ધર્મનો મામલો નહીં... મુસ્લિમ દેશ સાઉદીમાં આ કારણે દારૂ પર પ્રતિબંધ લગાવાયો હતો

દુનિયાભરમાંથી લાખોની સંખ્યામાં હજ અને ઉમરાહ કરવા માટે સાઉદી અરબ જાય છે. મુસ્લિમો માટે આ તીર્થયાત્રા ખૂબ મહત્ત્વપૂર્ણ છે. એક તરફ, એવું માનવામાં આવે છે કે આ દેશમાં હજ અને ઉમરાહ કર્યા બાદ મુસ્લિમોના પાપો માફ થઈ જાય છે. તો બીજી તરફ, ઇસ્લામમાં દારૂને હરામ કહેવામાં આવ્યો છે, પરંતુ હવે સાઉદી અરબમાં તેના વધુ બે નવા સ્ટોર ખૂલવાના છે.  

સાઉદી અરબ પોતાના સામાજિક અને આર્થિક સુધારાના ભાગ રૂપે બે નવા દારૂના સ્ટોર ખોલવાની તૈયારીમાં છે. રોઇટર્સે આ યોજનાથી પરિચિત લોકોના સંદર્ભે જણાવ્યું છે. ગયા વર્ષે રિયાધમાં બિન-મુસ્લિમ રાજદ્વારીઓ માટે દારૂની દુકાન ચૂપચાપ ખોલવામાં આવી હતી.

Alcohol
zinniahealth.com

ક્યાં ક્યાં ખુલશે સ્ટોર?

એક દારૂની દુકાન ધહરાનમાં અને એક જેદ્દાહમાં ખુલશે.

ધહરાન અરામકોની માલિકીના કમ્પાઉન્ડની અંદર સ્થિત એક દુકાન, જે બિન-મુસ્લિમ વિદેશી કર્મચારીઓને સેવા આપશે.

જેદ્દાહ: એક અલગ આઉટલેટ બિન-મુસ્લિમ રાજદ્વારીઓને સેવા આપશે, જેમાં બંદરગાહ શહેરમાં માનદ કોન્સ્યૂલ સાથે જોડાયેલા લોકોનો પણ સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, રિયાધવાળા સ્ટોરના ગ્રાહકો હવે વધારી દેવામાં આવ્યા છે, જેમાં બિન-મુસ્લિમ સાઉદી પ્રીમિયમ રેસિડેન્સી ધારકોનો સમાવેશ થાય છે. પ્રીમિયમ રેસીડેન્સી સામાન્ય રીતે ઉદ્યોગસાહસિકો, મોટા રોકાણકારો અને ખાસ પ્રતિભા ધરાવતા વ્યક્તિઓને આપવામાં આવે છે.

Alcohol1
wsj.com

દેશનું પહેલું સ્ટોર રિયાધમાં ખુલ્યું હતું. રિયાધ સ્ટોર ખુલે તે પહેલાં સાઉદી અરબમાં દારૂ મોટેભાગે માત્ર રાજદ્વારી ટપાલ, કાળા બજાર અથવા ઘરે બનાવેલા દારૂ દ્વારા જ મળી શકતો હતો. કુવૈત સિવાયના અન્ય ગલ્ફ દેશોમાં દારૂ શરતો સાથે ઉપલબ્ધ છે.

દારૂ પર પ્રતિબંધ શા માટે લગાવવામાં આવ્યો હતો?

સાઉદી અરબે 1952માં એક હિંસક ઘટના બાદ દારૂ પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને ત્યારથી દેશમાં કડક સામાજિક નિયમો અમલમાં છે. વાસ્તવમાં આ પ્રતિબંધ તે ઘટના બાદ લગાવવામાં આવ્યો હતો. જ્યારે તત્કાલીન રાજા અબ્દુલ અઝીઝના પુત્રએ દારૂ પીધેલી હાલતમાં બ્રિટિશ રાજદ્વારીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

About The Author

Related Posts

Top News

સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

જ્યારે વિશ્વના સૌથી મોટા વેપાર મંચ દાવોસ ૨૦૨૬માં સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સલાહ અહમદ જમા ઇન્ટરવ્યૂ દરમિયાન અચાનક શુદ્ધ અને...
National 
સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.