પાકિસ્તાનનો મંત્રી ગાંડો થયો, લવારો કરતા બોલ્યો- ‘ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અમારા છે’ રાજનાથ સિંહના...

થોડા દિવસ અગાઉ રક્ષા મંત્રી રાજનાથ સિંહે સિંધ અંગે એક નિવેદન આપ્યું હતું. જેને લઈને પાકિસ્તાનને મરચું લાગ્યું છે. એવામાં ન માત્ર પાકિસ્તાન સરકાર, પરંતુ ત્યાંના રાજકારણીઓ પણ ભારત વિરુદ્ધ લવારો કરી રહ્યા છે. આમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતના શિક્ષણ મંત્રી સૈયદ સરદાર અલી શાહનો પણ સમાવેશ થાય છે. સિંધ વિધાનસભામાં ભાષણ આપતા તેણે ભારતના ગુજરાત, હરિયાણા અને રાજસ્થાન પર પોતાનો દાવો કરી નાખ્યો. અને પાકિસ્તાનીઓના મિજાજ પ્રમાણે કાશ્મીરનો રાગ પણ તાણ્યો અને તેને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો. હવે, સોશિયલ મીડિયા પર આને શેખચલ્લીના સપના તરીકે બતાવવામાં આવી રહ્યું છે, જે ક્યારેય સાકાર નહીં થાય.

Syed-Sardar-Ali-Shah1
facebook.com/sardarshah.offical

સૈયદ સરદાર અલી શાહે સિંધ વિધાનસભામાં કહ્યું કે, ‘તમે દિલ્હી- બોમ્બેમાં બેસીને નિવેદનબાજી ન કરો. અહીં કોઈ મરાઠી બોલનાર નથી. અમારા વક્તાઓ ત્યાં છે. અમે દાવો કરી શકીએ છીએ કે રાજસ્થાન, ગુજરાત અને હરિયાણા અમારો હિસ્સો છે. ઐતિહાસિક રીતે તે અમને આપવા જોઈએ. અમે તેમને કાલે પાછા લઈ શકીએ છીએ. કાશ્મીર અમારો ભાગ રહ્યો છે, અમે હંમેશાં રિન્યૂઅલમાં વાત કરી છે. કાશ્મીર વાદી-એ-હિન્દનો હિસ્સો છે. આજે, વાદીયો સિંધ પાકિસ્તાનમાં છે.

રાજનાથ સિંહે શું કહ્યું હતું

નવી દિલ્હીમાં સિંધી સમુદાયને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું હતું કે સીમાઓ બદલાઈ શકે છે અને સિંધ ફરીથી ભારતમાં સામેલ થઈ શકે છે. અડવાણીજીએ તેમના એક પુસ્તકમાં લખ્યું છે કે સિંધી હિન્દુઓ, ખાસ કરીને તેમની પેઢીના લોકો, અત્યારે પણ સિંધના ભારતથી અલગ કરવાની વાત સ્વીકારી શક્યા નથી. માત્ર સિંધમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં, હિન્દુઓ સિંધુ નદીને પવિત્ર માનતા હતા. સિંધના ઘણા મુસ્લિમો પણ માનતા હતા કે સિંધુ નદીનું પાણી મક્કાના ઝમઝમ (સૌથી પવિત્ર પાણી) કરતા ઓછું પવિત્ર નથી.

rajnath
moneycontrol.com

રાજનાથ સિંહે કહ્યું હતું કે, ‘આ અડવાણીજીનું નિવેદન છે. આજે, સિંધની ભૂમિ ભલે ભારતનો ભાગ નથી, પરંતુ સભ્યતાના દૃષ્ટિકોણથી, સિંધ હંમેશાં ભારતનો હિસ્સો રહેશે. જ્યાં સુધી ભૂમિનો સવાલ છે, સીમાઓ બદલાઈ શકે છે. કોણ જાણે છે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય. સિંધના આપણા લોકો, જે સિંધુ નદીને પવિત્ર માને છે, તે હંમેશાં આપણા જ રહેશે. ભલે તેઓ ગમે ત્યાં રહે, તેઓ હંમેશાં આપણા જ રહેશે.

Syed-Sardar-Ali-Shah3
facebook.com/sardarshah.offical

સિંધ પર રાજનાથ સિંહના નિવેદન પર પાકિસ્તાને સખત આપત્તિ દર્શાવી હતી. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે તેને ઉશ્કેરણીજનક અને આક્રમક ગણાવ્યું હતું. આટલું જ નહીં, પાકિસ્તાને આ દરમિયાન કાશ્મીરનો રાગળો પણ તાણ્યો હતો.

About The Author

Top News

સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ કાર્યક્રમ વિવાદમાં, મહિલા પાસે ‘તું ચીઝ બડી હૈ મસ્ત’ પર ડાન્સ કરાવાયો

સુરતમાં તહેવારો હવે વિવાદોમાં ફેરવાઇ રહ્યા છે. અગાઉ વસંત પંચમીના અવસર પર મા સરસ્વતીની પૂજાને બદલે 2 મહિલા ડાન્સરો પાસે...
Gujarat 
સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ કાર્યક્રમ વિવાદમાં, મહિલા પાસે ‘તું ચીઝ બડી હૈ મસ્ત’ પર ડાન્સ કરાવાયો

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્ત્વપૂર્ણપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા...
Gujarat 
કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લેતી. બેંક ઓફ બરોડાએ અનિલ અંબાણી અને તેની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન સામે નવો...
Business 
અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.