પાકિસ્તાનનો મંત્રી ગાંડો થયો, લવારો કરતા બોલ્યો- ‘ગુજરાત, હરિયાણા, રાજસ્થાન અમારા છે’ રાજનાથ સિંહના...

થોડા દિવસ અગાઉ રક્ષા મંત્રી રાજનાથ સિંહે સિંધ અંગે એક નિવેદન આપ્યું હતું. જેને લઈને પાકિસ્તાનને મરચું લાગ્યું છે. એવામાં ન માત્ર પાકિસ્તાન સરકાર, પરંતુ ત્યાંના રાજકારણીઓ પણ ભારત વિરુદ્ધ લવારો કરી રહ્યા છે. આમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતના શિક્ષણ મંત્રી સૈયદ સરદાર અલી શાહનો પણ સમાવેશ થાય છે. સિંધ વિધાનસભામાં ભાષણ આપતા તેણે ભારતના ગુજરાત, હરિયાણા અને રાજસ્થાન પર પોતાનો દાવો કરી નાખ્યો. અને પાકિસ્તાનીઓના મિજાજ પ્રમાણે કાશ્મીરનો રાગ પણ તાણ્યો અને તેને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો. હવે, સોશિયલ મીડિયા પર આને શેખચલ્લીના સપના તરીકે બતાવવામાં આવી રહ્યું છે, જે ક્યારેય સાકાર નહીં થાય.

Syed-Sardar-Ali-Shah1
facebook.com/sardarshah.offical

સૈયદ સરદાર અલી શાહે સિંધ વિધાનસભામાં કહ્યું કે, ‘તમે દિલ્હી- બોમ્બેમાં બેસીને નિવેદનબાજી ન કરો. અહીં કોઈ મરાઠી બોલનાર નથી. અમારા વક્તાઓ ત્યાં છે. અમે દાવો કરી શકીએ છીએ કે રાજસ્થાન, ગુજરાત અને હરિયાણા અમારો હિસ્સો છે. ઐતિહાસિક રીતે તે અમને આપવા જોઈએ. અમે તેમને કાલે પાછા લઈ શકીએ છીએ. કાશ્મીર અમારો ભાગ રહ્યો છે, અમે હંમેશાં રિન્યૂઅલમાં વાત કરી છે. કાશ્મીર વાદી-એ-હિન્દનો હિસ્સો છે. આજે, વાદીયો સિંધ પાકિસ્તાનમાં છે.

રાજનાથ સિંહે શું કહ્યું હતું

નવી દિલ્હીમાં સિંધી સમુદાયને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું હતું કે સીમાઓ બદલાઈ શકે છે અને સિંધ ફરીથી ભારતમાં સામેલ થઈ શકે છે. અડવાણીજીએ તેમના એક પુસ્તકમાં લખ્યું છે કે સિંધી હિન્દુઓ, ખાસ કરીને તેમની પેઢીના લોકો, અત્યારે પણ સિંધના ભારતથી અલગ કરવાની વાત સ્વીકારી શક્યા નથી. માત્ર સિંધમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાં, હિન્દુઓ સિંધુ નદીને પવિત્ર માનતા હતા. સિંધના ઘણા મુસ્લિમો પણ માનતા હતા કે સિંધુ નદીનું પાણી મક્કાના ઝમઝમ (સૌથી પવિત્ર પાણી) કરતા ઓછું પવિત્ર નથી.

rajnath
moneycontrol.com

રાજનાથ સિંહે કહ્યું હતું કે, ‘આ અડવાણીજીનું નિવેદન છે. આજે, સિંધની ભૂમિ ભલે ભારતનો ભાગ નથી, પરંતુ સભ્યતાના દૃષ્ટિકોણથી, સિંધ હંમેશાં ભારતનો હિસ્સો રહેશે. જ્યાં સુધી ભૂમિનો સવાલ છે, સીમાઓ બદલાઈ શકે છે. કોણ જાણે છે, કાલે સિંધ ભારતમાં પાછું આવી જાય. સિંધના આપણા લોકો, જે સિંધુ નદીને પવિત્ર માને છે, તે હંમેશાં આપણા જ રહેશે. ભલે તેઓ ગમે ત્યાં રહે, તેઓ હંમેશાં આપણા જ રહેશે.

Syed-Sardar-Ali-Shah3
facebook.com/sardarshah.offical

સિંધ પર રાજનાથ સિંહના નિવેદન પર પાકિસ્તાને સખત આપત્તિ દર્શાવી હતી. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે તેને ઉશ્કેરણીજનક અને આક્રમક ગણાવ્યું હતું. આટલું જ નહીં, પાકિસ્તાને આ દરમિયાન કાશ્મીરનો રાગળો પણ તાણ્યો હતો.

About The Author

Top News

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?

આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
Opinion 
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.