રાતના સમયે ફક્ત 2 એલચી અને પછી જોવો કમાલ, 5 દિવસની અંદર થશે ફાયદો

એલચી એક એવી વસ્તુ છે જે કદાચ જ ભારતમાં કોઈના ઘરમાં ન મળે. એલચીના ઘણા ફાયદા છે જે દરેકને ખબર છે. તમે ચામાં એલચી જરૂર નાંખીને પીધી હશે, તેની સાથે જ શીરો કે ખીરમાં પણ એલચીનો સ્વાદ ચાખ્યો હશે પરંતુ શું તમને ખબર છે કે એલચી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે, તેટલી જ ફાયદાકારક પણ હોય છે. જી હાં, એલચીને ખાવાથી તમારા મોંથી આવતી દુર્ગંધ દૂર થાય છે, પાચન શક્તિ મજબૂત થાય છે. આ ઉપરાંત તેના અન્ય ઘણા ફાયદાઓ છે. આજે અમે તમને એલચીના ફાયદાના વિશે જાણાવવા જઈ રહ્યા છીએ.

રાત્રે સૂતા પહેલા એલચીનું સેવન કરવુ જોઈએ. જે લોકોને ખીલની સમસ્યા હોય છે તેમણે રોજ ગરમ પાણી સાથે એલચી ખાવાથી સ્કીન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે. કેટલાક લોકોને હંમેશાં પેટ સંબંધી પ્રોબલેમ રહે છે. પેટ ઠીક ન રહેવાના કારણે વાળ ખરવા જેવી સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. આ બંને સમસ્યાઓથી બચવા માટે રોજ સવારે ખાલી પેટે 1 એલચી નવશેકા પાણીની સાથે ખાવી. થોડા જ દિવસો સુધી રોજ ખાવાથી ફર્ક દેખાશે.

કેટલાક લોકોને વધારે કામ કર્યા બાદ રાત્રે ઊંઘ નથી આવતી. સૂવા માટે લોકો દવાઓનો સહારો લે છે અને તેના કારણે શરીર પર ખોટો પ્રભાવ પડે છે. નેચરલ રીતે ઊંઘ લેવાથી રોજ રાત્રે સૂતા પહેલા એલચીને ગરમ પાણીની સાથે લો. તેનાથી સારી ઊંઘ આવશે અને નસકોરાની સમસ્યા પણ દૂર થઈ જશે.

ગેસ, એસિડીટી, કબજિયાત, પેટમાં દુખાવાની સમસ્યાને એલચીથી દૂર કરી શકાય છે. તેની સાથે જ એડકીથી પણ રાહત મળે છે. મોંમાથી આવતી દુર્ગંધને એલચી ખાવાથી દૂર કરી શકાય છે. તેને ખાવાથી ગળામાં થતી ખરાશ દૂર થાય છે અને અવાજમાં પણ સુધારો થાય છે. રોજ તેનો ઉકાળો પીવાથી માનસિક તણાવ દૂર થાય છે. તેનો ઉકાળો બનાવા માટે એલચી પાઉડરને પાણીમાં ઉકાળો. હવે ઉકાળામાં થોડું મધ મિલાવીને પીવો.

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.