વેપારીને મળ્યો 16 નખવાળો કાચબો, ખૂબ જ શુભ માનવામાં આવે છે

મધ્ય પ્રદેશના બેતૂલમાં એક દુર્લભ પ્રજાતિનો કાચબો મળ્યો છે. કાળું કવચ હોવના કારણે તેને બ્લેક શેડ નામની પણ ઓળખવામાં આવે છે. આતંરરાષ્ટ્રીય બજારમાં તેની સારી એવી કિંમત માનવામાં આવી રહી છે. વાસ્તુ શાસ્ત્રમાં આ કાચબાને શુભ માનવામાં આવે છે. તેને ઘર પર રાખવાથી સુખ શાંતિ આવે છે અને ધન લાભ પણ થાય છે.

જાણકારોનું કહેવું છે કે, આ કાચબાની ખાસિયત એ છે કે તે ઘાંસ ખાય છે. સાથે જ તે પાણીમાં ઓછો રહે છે અને જમીન પર વધારે રહે છે. તેના એક પગ પર 4 નખ હોય છે. 16 નખવાળા આ કાચબાને લોકો લકી માને છે. સામાન્ય રીતે તે ભાગ્યે જ જોવા મળે છે. પણ તેને ઘરોમાં રાખવો ગેરકાયદેસર છે.

બેતૂલમાં આ દુર્લભ કાળા કવચવાળો કાચબો વેપારી બ્રિજ કપૂરને મળ્યો છે. જેને વેપારીએ વન વિભાગને સોંપી દીધો છે. વેપારી બ્રિજ કપૂરનું કહેવું છે કે, વરસાદ દરમિયાન તેમને આ કાચબો પાણીમાં વહેતો દેખાયો.

બ્રિજ કપૂરે જણાવ્યું કે, 10 દિવસ સુધી કાચબાને ઘરે રાખ્યા પછી અમને લાગ્યું કે તેનો યોગ્ય વિકાસ થઇ શકશે નહીં. ઘરે કાળા કવચવાળા કાચબાને રાખવાથી બરકત આવે છે અને તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. પણ તેમ છતાં અમે તેને વન વિભાગને સોંપી દીધો. જેથી તેની યોગ્ય રીતે સંભાળ થઇ શકે.

બૈતૂલના વન રક્ષક ચંદ્રશેખરનું કહેવું છે કે, આ કાચબો વેપારી બ્રિજ કપૂરના ઘરેથી મળ્યો છે. 10 દિવસ પહેલા વરસાદ દરમિયાન તેમને રસ્તા પર મળ્યો હતો. ત્યાર પછી વેપારીઅ કાચબાની સંભાળ કરી. પણ 10 દિવસ પછી તેમણે કાચબાને વન વિભાગને સોંપી દીધો. આ દુર્લભ પ્રજાતિના કાચબાને નદીમાં છોડી દેવામાં આવશે.

જાણ હોય તો કાચબાને શાસ્ત્રના હિસાબે શુભ માનવામાં આવે છે. તેને ઉત્તર દિશાનો સંરક્ષક માનવામાં આવે છે. કાચબો ઉંમરને વધારનાર અને જીવનમાં પ્રગતિ આપે છે. સનાતન ધર્મ મુજબ કાચબાને શુભતાનો પ્રતીક માનવામાં આવે છે. તો વળી કાચબાના પ્રતીકને ક્યારે પણ બેડરૂમમાં રાખવું જોઈએ નહીં. તેને ડ્રોઈંગ રૂમમાં જ રાખવો યોગ્ય ગણાય છે. એવી માન્યતા છે કે કાચબાના પ્રતીકને ઘરમાં રાખવાથી સતત આર્થિક ઉન્નતિ પ્રાપ્ત થઇ શકે છે.

About The Author

Related Posts

Top News

હવે તારીખ પે તારીખ...તારીખ પે તારીખ... નહીં ચાલે, હાઇ કોર્ટે રિઝર્વ ઓર્ડર પર 3 મહિનામાં નિર્ણયો આપવા પડશે, સુપ્રીમ કોર્ટે સમય મર્યાદા આપી

દેશની હાઇકોર્ટોમાં કેસોના બેકલોગ અને નિર્ણયોમાં વિલંબને દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટે એક મોટું પગલું ભર્યું છે. સુપ્રીમ કોર્ટે ન્યાય...
National 
હવે તારીખ પે તારીખ...તારીખ પે તારીખ... નહીં ચાલે, હાઇ કોર્ટે રિઝર્વ ઓર્ડર પર 3 મહિનામાં નિર્ણયો આપવા પડશે, સુપ્રીમ કોર્ટે સમય મર્યાદા આપી

શું સેનાના જવાનો દ્વારા NEETના પેપર્સ પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચશે?

NEET-UG પરીક્ષાના કથિત પેપર લીક અને શરમજનક ઘટના પછી, સરકાર હવે 21 જૂને યોજાનારી ફરીથી પરીક્ષા સંપૂર્ણપણે સુરક્ષિત રહે...
Education 
શું સેનાના જવાનો દ્વારા NEETના પેપર્સ પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચશે?

પંજાબ સ્થાનિક ચૂંટણીમાં AAPનો દબદબો! 925થી વધુ વોર્ડમાં જીત; ભાજપ ચોથા નંબરે

પંજાબમાં તાજેતરમાં પૂર્ણ થયેલી મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામોમાં શાસક પક્ષ આમ આદમી પાર્ટી (AAP)નો દબદબો રહ્યો છે. 1977માંથી 1909...
National 
પંજાબ સ્થાનિક ચૂંટણીમાં AAPનો દબદબો! 925થી વધુ વોર્ડમાં જીત; ભાજપ ચોથા નંબરે

UPની મઝારને તંત્રએ 'લાવારિસ'નું ટેગ કેમ આપ્યું, અલ્ટીમેટમ ખતમ થયું, તોડી પડાશે

લખનઉમાં કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU) વહીવટીતંત્રે કેમ્પસમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા મઝારને 'લાવારિસ' જાહેર કરી છે...
National 
UPની મઝારને તંત્રએ 'લાવારિસ'નું ટેગ કેમ આપ્યું, અલ્ટીમેટમ ખતમ થયું, તોડી પડાશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.