મેં મારા પતિને બિઝનેસમેન બનાવ્યા, મારી દીકરીએ તેના પતિને વડાપ્રધાનઃ સુધા મૂર્તિ

કહેવાય છે કે, એક સફળ વ્યક્તિની પાછળ એક મહિલાનો હાથ હોય છે. ઇન્ફોસિસના માલિક નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિએ પણ એ વાતને માની છે. સુધા મૂર્તિએ પોતાના જમાઈ ઋષિ સુનકને બ્રિટનના વડાપ્રધાન બનાવવાનો શ્રેય પોતાની દીકરીને આપ્યો. તેમની એક વીડિયો ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે. તેમા 72 વર્ષીય સુધા મૂર્તિ પોતાના જમાઈ વિશે વાત કરી રહ્યા છે. તેમા તેઓ કહે છે કે, કઈ રીતે તેમની દીકરીએ ઋષિ સુનકના કરિયરમાં ભૂમિકા નિભાવી છે.

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકના લગ્ન અક્ષતા મૂર્તિ સાથે થયા છે, જે ઇનફોસિસના માલિક અને અબજોપતિ નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિની દીકરી છે. અક્ષતા મૂર્તિની કુલ સંપત્તિ આશરે 73 અબજ રૂપિયા જેટલી છે, જે તેમને બ્રિટનની સૌથી ધનવાન મહિલાઓમાંથી એક બનાવે છે. સુધા મૂર્તિ એક વીડિયોમાં કહેતા સંભળાય છે કે, મેં મારા પતિને એક બિઝનેસમેન બનાવ્યા, મારી દીકરીએ પોતાના પતિને યુકેના વડાપ્રધાન બનાવ્યા છે.

તેમણે કહ્યું, જુઓ કઇ રીતે એક પત્ની પોતાના પતિને બદલી શકે છે. પરંતુ, હું મારા પતિને ના બદલી શકી. મેં મારા પતિને એક બિઝનેસમેન બનાવ્યા અને મારી દીકરીએ પોતાના પતિને વડાપ્રધાન બનાવ્યા. ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિએ વર્ષ 2009માં લગ્ન કર્યા હતા. બંનેની બે દીકરીઓ છે. ઋષિ સુનકે 2009માં કંઝર્વેટિવ પાર્ટી જોઈન કરી હતી અને 2015માં તેઓ સાંસદ બન્યા. ઓક્ટોબર 2022માં તેમણે ઇતિહાસ રચ્યો અને પહેલીવાર ભારતીય મૂળના વ્યક્તિ બ્રિટનના PM બન્યા.

સુધા મૂર્તિની ક્લિપથી એ અંગે જાણકારી મળે છે કે, ભારતીય મૂળના બ્રિટિશ વડાપ્રધાન દર ગુરુવારે ઉપવાસ રાખે છે. તેમણે કહ્યું, હાં ગુરુવારે શું શરૂ કરવુ જોઈએ. ઇનફોસિસની શરૂઆત ગુરુવારે થઈ. એટલું જ નહીં, અમારી દીકરી સાથે લગ્ન કરનારા અમારા જમાઈના પૂર્વજ છેલ્લાં 150 વર્ષથી ઇંગ્લેન્ડમાં છે. પરંતુ, તેઓ ખૂબ જ ધાર્મિક છે. લગ્ન બાદ તેમણે પૂછ્યું કે, અમે દરેક કામ ગુરુવારે શા માટે કરીએ છીએ. તેઓ દર ગુરુવારે વ્રત રાખે છે. અમારા જમાઈના મમ્મી સોમવારે વ્રત રાખે છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.