જાણો પાનેતર અને ઘરચોળા વચ્ચે શું ફરક હોય છે

ચોમાસા પછી અને દિવાળીના નવા દિવસો પછી લગ્નની સિઝન શરૂ થઈ જાય છે. લગ્નના તમામ રીતરિવાજો ખુબ જ અગત્યના હોય છે અને અલગ-અલગ રિવાજો માટે અલગ-અલગ કપડાનું પણ ઘણું મહત્ત્વ હોય છે. ત્યારે લગ્નના રિવાજમાં કન્યા માટે લગ્નમાં સૌથી મહત્ત્વના પોષક હોય તો તેમાં બે સાડીનો સમાવેશ થાય છે. એક સાડીને પાનેતર કહેવામાં આવે છે અને બીજી સાડીને ઘરચોળું કહેવામાં આવે છે. લગ્ન કરનાર કન્યા જાન માંડવે ત્યારથી માંડીને જાન ઉઘલાવવા અને સાસરિયામાં કંકુ પગલાં માંડવા સુધીના સમયગાળા દરમિયાન પાનેતર અને ઘરચોળું પહેરે છે. જો કે, આ પ્રથા ઘણી જગ્યા પર નાબૂદ થઈ ગઈ છે પરંતુ આજે તમને પાનેતર અને ઘરચોળા વચ્ચે શું ફરક હોય છે તે જણાવી શું. કારણ કે, આજની પેઢીના ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે, પાનેતર અને ઘરચોળામાં ફરક શું છે. લોકો એ બંને નામ તો સાંભળ્યા છે પરંતુ બંને વચ્ચે તફાવત શું છે તે નહીં ખબર હોય. આજે અમે પાનેતર અને ઘરચોળા વચ્ચેનો તફાવત અમે તમને જણાવીશું.

ઘરચોળાની વાત કરીએ તો કન્યા માટે તેનાં સાસરિયાં તરફથી જે સાડી આવે છે તને ઘરચોળું કહેવામાં આવે છે. ઘરચોળું પહેરીને જ કન્યાને લગ્ન સમયની વિધિઓ અને સાસરિયા પક્ષની તમામ વિધિ પૂર્ણ કરવી પડે છે. ઘરચોળું પાનેતરની જેમ જ શુકનવંતુ ગણવામાં આવે છે. સાસરિયાઓ તરફથી લગ્ન કરનાર કન્યાને આપવામાં આવતી છાબમાં ઘરચોળું મુખ્ય હોય છે અને તે સાસરીયાની આબરૂ પણ ગણાય છે.

ઘરચોળાના કલરની વાત કરવામાં આવે તો તેમાં મુખ્ય બે રંગો હોય છે અને આ બે રંગ લાલ અને લીલા હોય છે. પાનેતરની સરખામણીમાં ઘરચોળું વધારે આકર્ષક હોય છે. કારણ કે, તેમાં લાલ રંગમાં સુવર્ણમય રેશમી ભરત ભરવામાં આવ્યું હોય છે અને બાકી લીલા કલરમાં મોર, પોપટ કે, હાથીની ડિઝાઇન પાડવામાં આવેલી હોય છે.

ઘરચોળામાં રહેલા લાલ અને લીલા કલરનું પણ ઘણું મહત્ત્વ છે. લાલ કલર કન્યાના સાસરીયાની આબરૂ જાળવવાનું કહે છે અને લીલો કલર આબરૂદાર ઘરને પોતાના સંસ્કારથી વધારે મહેકાવાનું અને સાસરીયાને હરિયાળું બનાવવાનું સુચવે છે.

પાનેતરની વાત કરવામાં આવે તો પાનેતર લગ્ન કન્યા કન્યાને તેના મામા દ્વારા આપવામાં આવે છે. મામેરામાં મામા તેની ભાણેજને પાનેતર આપતા હોય છે અને માંડવાની શરૂઆતની રસમ સમયે કન્યાને આ પાનેતર પહેરવાનું હોય છે અને તે પાનેતર ખૂબ જ શુકનવંતુ ગણાય છે.

પાનેતરની ડિઝાઇનની વાત કરવામાં આવે તો પાનેતર લાલ કીનારી વાળું અને તેની અંદરનો ભાગ સફેદ હોય છે. આ ઉપરાંત તેની બોર્ડર પર આછું ભરતકામ પણ કરવામાં આવે છે. ભારતના અલગ-અલગ પ્રદેશોમાં પાનેતરનો રંગ પણ બદલાય છે કેમ કે, મહારાષ્ટ્રમાં પાનેતરનો રંગ પીળો હોય છે અને ગુજરાતમાં પાનેતર લાલ કીનારી વાળું અને અંદર સફેદ કલરનું હોય છે. પાનેતરનો રંગનું પણ એક મહત્ત્વ છે. પાનેતરનો સફેદ કલર કન્યાના પિયર અને સાસરીમાં શાંતિ જાળવી રાખે છે.

About The Author

Related Posts

Top News

'તેમને 4 વર્ષથી આ વાત કહી રહ્યા છીએ, પરંતુ...' સરકાર અને ટેલિગ્રામનો વર્ષો જૂનો ઝઘડો બહાર આવ્યો

NEET-UG 2026 પુનઃપરીક્ષા પહેલા ટેલિગ્રામ પર કામચલાઉ પ્રતિબંધ અંગે નવી માહિતી બહાર આવી છે. ભારત સરકાર અને ટેલિગ્રામ વચ્ચેનો આ...
National 
'તેમને 4 વર્ષથી આ વાત કહી રહ્યા છીએ, પરંતુ...' સરકાર અને ટેલિગ્રામનો વર્ષો જૂનો ઝઘડો બહાર આવ્યો

સુરતમાં બનશે દેશનું પ્રથમ ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન

સુરતના ટેક્સ્ટાઈલ વેપારીઓ માટે હવે આનંદના સમાચાર સામે આવ્યા છે. સુરતમાં પહેલુ ટેક્સ્ટાઈલ પોલીસ સ્ટેશન બનવા જઈ રહ્યુ છે. જેને...
Gujarat 
સુરતમાં બનશે દેશનું પ્રથમ ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન

TMC-શિવસેનાની જેમ અખિલેશની પાર્ટીને તોડવી કેમ અઘરી છે? આંકડાઓની રમત સિવાય ઘણું બધું છે!

મમતા બેનર્જીની TMCમાં બળવો અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)માં થયેલું વિભાજન પછી, ઉત્તર પ્રદેશના રાજકારણમાં સમાજવાદી...
National 
TMC-શિવસેનાની જેમ અખિલેશની પાર્ટીને તોડવી કેમ અઘરી છે? આંકડાઓની રમત સિવાય ઘણું બધું છે!

ક્રૂડ ઓઇલ સસ્તું થયું છતા ભારતમાં અત્યારે નહીં ઘટે પેટ્રોલ-ડીઝલના ભાવ, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કારણ

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ)ની કિંમતોમાં ઘટાડો થવા છતાં ભારતમાં અત્યારે તરત જ પેટ્રોલ અને ડીઝલના ભાવ સસ્તા નહીં...
Business 
ક્રૂડ ઓઇલ સસ્તું થયું છતા ભારતમાં અત્યારે નહીં ઘટે પેટ્રોલ-ડીઝલના ભાવ, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.