બેંગલુરુના માણસે સિમેન્ટ વગર આલીશાન બંગલો બનાવ્યો, 1000 વર્ષ સુધી ચાલશે

ઘર બનાવતી વખતે સૌથી મોટી ચિંતા તેની મજબૂતાઈ, ખર્ચ અને ટકાઉપણું છે. છેલ્લા કેટલાક દાયકાઓથી બાંધકામ માટે સિમેન્ટ અને કોંક્રિટનો ઉપયોગ સામાન્ય રીતે થાય છે, પરંતુ શું સિમેન્ટ વિના ઘર બનાવી શકાય? બેંગલુરુમાં એક અનોખું ઘર બનાવવામાં આવ્યું છે. તે સંપૂર્ણપણે પથ્થરથી બનેલું છે. આમાં સિમેન્ટ કે કોઈ આધુનિક એડહેસિવનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ખાસ વાત એ છે કે આ ઘર ફક્ત મજબૂત જ નથી પણ પર્યાવરણને અનુકૂળ પણ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોએ ટકાઉ બાંધકામ પર નવી ચર્ચા જગાવી છે.

Cement-Less-House1
storypick.com

હકીકતમાં, બેંગલુરુમાં એક વ્યક્તિએ આ ઘર બનાવ્યું છે. આ ઘર સંપૂર્ણપણે પથ્થરનું બનેલું છે. જેમાં સિમેન્ટ કે કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ ઘર, કન્ટેન્ટ ક્રિએટર પ્રિયમ સારસ્વતે પોતાના વીડિયોમાં બતાવ્યું હતું, જેના કારણે તે ચર્ચાનો વિષય બન્યું હતું. ઘરના માલિકનો દાવો છે કે આ વિશ્વનું પહેલું ઝીરો-સિમેન્ટ પથ્થરનું ઘર છે. તેને પર્યાવરણને અનુકૂળ બનાવવામાં આવ્યું છે. તેની ઉંમર હજાર વર્ષથી વધુ હોઈ શકે છે.

એવું કહેવાય છે કે, આ ઘર બનાવવા માટે ગ્રે ગ્રેનાઈટ અને સેન્ડસ્ટોન જેવા કુદરતી ખડકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને પરંપરાગત ઇન્ટરલોકિંગ ટેકનિક સાથે જોડવામાં આવે છે. જેમાં ન તો સિમેન્ટની જરૂર પડી. ન તો કોઈપણ પ્રકારના રાસાયણિક એડહેસિવ્સ અને બ્લાસ્ટિંગની જરૂર પડી. આ સંપૂર્ણપણે કૌશલ્ય આધારિત ઉત્પાદન છે.

Cement-Less-House2
storypick.com

આજના સમયમાં આ ટેકનિક ભલે નવી લાગે છે, પરંતુ વાસ્તવમાં તે સદીઓ જૂની ભારતીય સ્થાપત્ય પર આધારિત છે. આ ઇન્ટરલોકિંગ પદ્ધતિનો ઉપયોગ જૂના મંદિરો અને ઐતિહાસિક ઇમારતોમાં થતો હતો જેના કારણે આ રચનાઓ સેંકડો વર્ષો સુધી મજબૂત રીતે ઉભી રહે છે. આ પદ્ધતિ ફક્ત બાંધકામની મજબૂતાઈમાં વધારો કરતી નથી, પરંતુ સિમેન્ટ અને કોંક્રિટ જેવી આધુનિક સામગ્રીથી થતા કાર્બન ઉત્સર્જનને પણ અટકાવે છે.

https://www.instagram.com/reel/DHchD3lIYgx/

સોશિયલ મીડિયા પર લોકોએ આ ઘર વિશે મિશ્ર પ્રતિક્રિયાઓ આપી. કેટલાક લોકોએ તેની પ્રશંસા કરી અને તેને ભારતીય સ્થાપત્યનું પુનરાગમન ગણાવ્યું. તેમણે કહ્યું કે, જો આ ટેકનોલોજીને આખા શહેરમાં અપનાવવામાં આવે તો તે ખૂબ જ ટકાઉ સાબિત થઈ શકે છે. જ્યારે ઘણા યુઝર્સે પ્રશ્ન કર્યો કે તે ખૂબ સરસ લાગે છે, પણ ઉનાળા અને શિયાળામાં તે રહેવા માટે કેવું રહેશે.

Top News

ન તાળું તૂટ્યું, ન દરવાજો.. છતા SBI બેન્કમાંથી 2 કરોડના ઘરેણા અને 8 લાખ રોકડ કેવી રીતે સાફ કરી ગયા ચોર?

મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના મહાનંદા નગર વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં ચોરીની એક મોટી ઘટના...
National 
ન તાળું તૂટ્યું, ન દરવાજો.. છતા SBI બેન્કમાંથી 2 કરોડના ઘરેણા અને 8 લાખ રોકડ કેવી રીતે સાફ કરી ગયા ચોર?

શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી

મહારાષ્ટ્ર સરકારે મરાઠા અનામત આંદોલનકારી મનોજ જરાંગે પાટીલની માગણીઓ સ્વીકાર્યા બાદ, જરાંગે પાટીલે પોતાની 5 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત...
National 
શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી

અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે નવા ટેરિફની યોજના બનાવી રહ્યા છે, તેઓ દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લાદવાની...
Business 
અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

લખનૌ હાઈકોર્ટની બેન્ચે એક મહત્વપૂર્ણ કૌટુંબિક વિવાદ કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે જો પત્ની પોતે...
National 
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.