બેંગલુરુના માણસે સિમેન્ટ વગર આલીશાન બંગલો બનાવ્યો, 1000 વર્ષ સુધી ચાલશે

ઘર બનાવતી વખતે સૌથી મોટી ચિંતા તેની મજબૂતાઈ, ખર્ચ અને ટકાઉપણું છે. છેલ્લા કેટલાક દાયકાઓથી બાંધકામ માટે સિમેન્ટ અને કોંક્રિટનો ઉપયોગ સામાન્ય રીતે થાય છે, પરંતુ શું સિમેન્ટ વિના ઘર બનાવી શકાય? બેંગલુરુમાં એક અનોખું ઘર બનાવવામાં આવ્યું છે. તે સંપૂર્ણપણે પથ્થરથી બનેલું છે. આમાં સિમેન્ટ કે કોઈ આધુનિક એડહેસિવનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ખાસ વાત એ છે કે આ ઘર ફક્ત મજબૂત જ નથી પણ પર્યાવરણને અનુકૂળ પણ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોએ ટકાઉ બાંધકામ પર નવી ચર્ચા જગાવી છે.

Cement-Less-House1
storypick.com

હકીકતમાં, બેંગલુરુમાં એક વ્યક્તિએ આ ઘર બનાવ્યું છે. આ ઘર સંપૂર્ણપણે પથ્થરનું બનેલું છે. જેમાં સિમેન્ટ કે કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ ઘર, કન્ટેન્ટ ક્રિએટર પ્રિયમ સારસ્વતે પોતાના વીડિયોમાં બતાવ્યું હતું, જેના કારણે તે ચર્ચાનો વિષય બન્યું હતું. ઘરના માલિકનો દાવો છે કે આ વિશ્વનું પહેલું ઝીરો-સિમેન્ટ પથ્થરનું ઘર છે. તેને પર્યાવરણને અનુકૂળ બનાવવામાં આવ્યું છે. તેની ઉંમર હજાર વર્ષથી વધુ હોઈ શકે છે.

એવું કહેવાય છે કે, આ ઘર બનાવવા માટે ગ્રે ગ્રેનાઈટ અને સેન્ડસ્ટોન જેવા કુદરતી ખડકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને પરંપરાગત ઇન્ટરલોકિંગ ટેકનિક સાથે જોડવામાં આવે છે. જેમાં ન તો સિમેન્ટની જરૂર પડી. ન તો કોઈપણ પ્રકારના રાસાયણિક એડહેસિવ્સ અને બ્લાસ્ટિંગની જરૂર પડી. આ સંપૂર્ણપણે કૌશલ્ય આધારિત ઉત્પાદન છે.

Cement-Less-House2
storypick.com

આજના સમયમાં આ ટેકનિક ભલે નવી લાગે છે, પરંતુ વાસ્તવમાં તે સદીઓ જૂની ભારતીય સ્થાપત્ય પર આધારિત છે. આ ઇન્ટરલોકિંગ પદ્ધતિનો ઉપયોગ જૂના મંદિરો અને ઐતિહાસિક ઇમારતોમાં થતો હતો જેના કારણે આ રચનાઓ સેંકડો વર્ષો સુધી મજબૂત રીતે ઉભી રહે છે. આ પદ્ધતિ ફક્ત બાંધકામની મજબૂતાઈમાં વધારો કરતી નથી, પરંતુ સિમેન્ટ અને કોંક્રિટ જેવી આધુનિક સામગ્રીથી થતા કાર્બન ઉત્સર્જનને પણ અટકાવે છે.

https://www.instagram.com/reel/DHchD3lIYgx/

સોશિયલ મીડિયા પર લોકોએ આ ઘર વિશે મિશ્ર પ્રતિક્રિયાઓ આપી. કેટલાક લોકોએ તેની પ્રશંસા કરી અને તેને ભારતીય સ્થાપત્યનું પુનરાગમન ગણાવ્યું. તેમણે કહ્યું કે, જો આ ટેકનોલોજીને આખા શહેરમાં અપનાવવામાં આવે તો તે ખૂબ જ ટકાઉ સાબિત થઈ શકે છે. જ્યારે ઘણા યુઝર્સે પ્રશ્ન કર્યો કે તે ખૂબ સરસ લાગે છે, પણ ઉનાળા અને શિયાળામાં તે રહેવા માટે કેવું રહેશે.

About The Author

Top News

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.