રસ્તા પર તડકામાં છોડ વેચતા વૃદ્ધને મદદ કરવા બોલિવુડ સ્ટારે કરી અપીલ પછી...

બેંગ્લોરમાં રસ્તાને કિનારે સખત તડકાંમાં એક વૃદ્ધ છોડવા વેચી રહ્યો હતો. તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો તેમને મદદ કરવા માટે પહોંચી ગયા હતા. ટ્વીટર પર યુઝર્સે લોકોને આગ્રહ કર્યો કે તેઓ તેમની પાસેથી છોડવાની ખરીદી કરે, જેથી તેમની મદદ થઈ શકે.

સોમવારે શુભમ જૈન નામના એક ટ્વીટર યુઝરે રેવના સિદ્દપ્પા અંગે એક પોસ્ટ શેર કરી હતી, જેઓ કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં રસ્તાના કિનારે બેસીને છોડવા વેચી રહ્યા હતા. તેણે બે ફોટા શેર કર્યા છે. જેમાં જોઈ શકશો કે વૃદ્ધ સખત તડકાંથી બચવા માટે એક હાથમાં છત્રી લઈને બેઠેલો જોવા મળે છે. તેણે પોતાના ફોલોઅર્સને આ વૃદ્ધને સપોર્ટ કરવાની માગણી કરી હતી.

તેણે ફોટો શેર કરતા કહ્યું હતું કે, રેવના સિદ્દપ્પાને મળો, એક વૃદ્ધ વ્યક્તિ, જે કર્ણાટકના સરાકી સિગ્નલ પાસે કનકપુરા રોડ પર છોડવા વેચે છે. આ છોડવાની કિંમત 10 થી 30 રૂપિયા છે. આ ટ્વીટને હજારો લાઈક મળ્યા છે અને બોલિવુડના અભિનતા રણદીપ હુડ્ડાએ તેની પર રિએક્શન પણ આપ્યું છે અને તેણે તેમનું પરફેક્ટ એડ્રેસ માંગ્યુ હતું.

રણદીપ હુડ્ડાએ પણ પોતાના ફોલોઅર્સને આ વૃદ્ધ વ્યક્તિની મદદ કરવાની અપીલ કરી હતી. તેણે વૃદ્ધ વ્યક્તિની દુકાનનું સંપૂર્ણ એડ્રેસ નાખતા લખ્યું હતું કે, બેંગ્લોર વાળાઓ, તમારો પ્રેમ દેખાડો. અભિનેતા માધવન અને આરજે આલોક જેવી અન્ય ઘણી જાણીતી પર્સનાલિટીઓએ પણ આ ટ્વીટને શેર કરી હતી. મદદની અપીલ અને ફોટા સૌને પસંદ આવતા ઘણા લોકોએ તેમની દુકાનની મુલાકાત લેવાની અને તેમની પાસેથ છોડવા ખરીદવાનું જણાવ્યું.

જે પછી કનકપુરા રોડના ચેન્જમેકર્સ-એનજીઓ અને રેજિડેન્ટ વેલફેર એસોશિએશનનું એક મહાસંઘે સિદ્દપ્પાને એક કેનોપી અને બીજા છોડવા લઈને આપવા માટે પહોંચ્યા હતા, જેને તેઓ વેચીને કમાણી કરી શકે. તેમણે સિદ્દપ્પા માટે એક મોટી છત્રીનો ઈંતજામ કર્યો હતો. તેની સાથે તેમના માટે એક ખુરશી અને ટેબલ પણ મૂક્યું હતું. જેની લોકો દ્વારા ઘણી પ્રશંસા કરવામાં આવી છે. એક ટ્વીટર યુઝર્સે લખ્યું છે કે સોશિયલ મીડિયા ઘણું સારું કામ કરી રહ્યું છે. જો આગામી કેટલાંક વર્ષો આવું જ ચાલતું રહ્યું તો સરકારની સરખામણીએ સોશિયલ મીડિયા વધારે રોજગાર આપી શકશે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.