શું લાગે છે, કોણ જીતશે? આવા સવાલનો જવાબ તમે શું આપો?

(Virang Bhatt). આજકાલ આપણને દરેક ક્ષેત્રના એક્સપર્ટ મળી જશે. તે એક સારી વાત છે. કારણ કે કોઇ એક વ્યક્તિ તમામ બાબતો જાણતો હોય તેવું બની શકે નહીં. જીવનના જુદા જુદા પાસાઓમાં આપણે અલગ અલગ લોકોની મદદ લઇએ. બીમાર પડીએ તો ડોક્ટર પાસે જઇએ. ભણવું હોય તો શિક્ષક પાસે જઇએ, ધર્મની વાત હોય તો સાધુ-સંત કે મહારાજ પાસે જઇએ. આમ કરવાના ફાયદા પણ છે. કારણ કે જે તે વિષયમાં સતત રચ્યા પચ્યા રહેનાર પાસે આપણે જઇએ તો ઉકેલ તરત મળે છે. પરંતુ એક્સપર્ટ તમને જેટલો ફાયદો કરાવે એટલું મોટું નુક્સાન પણ કરાવી શકે. તેની પાછળ ચોક્કસ કારણો અને વૈજ્ઞાનિક તારણો પણ છે.

તાજેતરમાં જ એક રસપ્રદ મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવ્યો. અભ્યાસમાં એ જાણવું હતું કે એક્સપર્ટ હોય તે પોતે સાચા હોય ત્યારે કેટલા કોન્ફિડન્ટ હોય અને ખોટા હોય ત્યારે કેટલા કોન્ફિડન્ટ હોય. તારણ ચોંકાવનારૂં બહાર આવ્યું. એક્સપર્ટને ખબર હોય કે તે સાચો છે ત્યારે તો તો ખૂબ કોન્ફિડન્ટ હોય જ છે પરંતુ તે ખોટો હોય ત્યારે પણ તે તેટલો જ કોન્ફિડન્ટ હોય છે.
એક્સપર્ટ પોતે જાણતો હોય છે. તેને શંકા હોય છે છતાં તે માનતો નથી. તેનું મન માનતું નથી અને તે ખોટા અભિપ્રાય આપી જ દે છે.

આ વાતને આપણે પત્રકારોના ઉદાહરણથી સરળ રીતે સમજી શકીએ. મોટાભાગના વ્યક્તિ એમ માનતા હોય છે કે પત્રકારોને દરેક બાબતની ખબર હોય છે. ખાસ કરીને રાજકારણની તો ખબર જ હોય. એટલે સામાન્ય રીતે લોકો પત્રકારોને પૂછતા હોય છે કે શું લાગે છે, ચૂટંણી કોણ જીતશે. આવા સવાલોનો સામનો દરેક પત્રકારે કરવાનો આવે છે. હવે જો તો આવા સવાલનો જવાબ ન આપે તો લોકો એવું માને છે કે આને કંઇ ખબર પડતી નથી. એટલે તેને જે મનમાં આવે તે કહી દે છે. તેની પાસે જે પણ જાણકારી હોય તે આપી દે છે. પછી તે સાચી હોય કે ખોટી. કારણ કે અહીં તેની ઇમ્પ્રેશનનો સવાલ છે. લોકો શું કહેશે, તેની ચિંતા હોય છે. ભવિષ્યમાં લોકો તેને મહત્ત્વ જ નહીં આપશે, તેની ચિંતા હોય છે. એટલે તે આવું કરવા પ્રેરાય છે. જો તે કોઇપણ જવાબ ન આપે તો નુક્સાન થાય તેમ છે.

રીસર્ચ કરનારે પણ આવું જ તારણ આપ્યું છે. એક્સપર્ટ લોકોની ઇમ્પ્રેશન ખરાબ ન થાય એટલે તેમને ખબર ન હોય તેવી બાબતનો પણ જવાબ તેઓ આપી દેતા હોય છે. કારણ કે તેની સાથે તેમનો ધંધો પણ જોડાયેલો છે. જોકે, કેટલાક એક્સપર્ટ તેમને ન ખબર હોય તો બીજા પાસે મોકલી દે છે. તબીબી ક્ષેત્રમાં આવું બનતું હોય છે. પરંતુ આવું કરનારા ઓછા હોય છે. એટલે કેટલાક લોકો સેકન્ડ કે થર્ડ ઓપિનિયન લેતા હોય છે. મહત્ત્વની બાબતોમાં તે લઇ લેવું સલાહભર્યું છે. એક્સપર્ટને ખોટું લાગશે કે તે તમારો મિત્ર છે, તેવું વિચારીને નિર્ણય કરવો નહીં. 

અંતમાં જાણીતા શાયર નિદા ફાઝલીનો એક શેર ટાંકીને આ વાતને પૂરી કરીએ

કભી કભી હમને અપને દિલ કો યું ભી બહલાયા હૈ..યુ ભી બહલાયા હૈ...જિન બાતોં કો ખુદ નહીં સમઝે..ઔરોં કો સમઝાયા હૈ..

 

About The Author

Related Posts

Top News

અમે બંગાળ સરકાર પર બોલીશું, પણ દીદીનું નામ નહીં લઈએ! BJPની નવી રણનીતિથી TMC ટેન્શનમાં

પશ્ચિમ બંગાળનું રાજકારણ ફરી એકવાર ગરમાઈ રહ્યું છે. ચૂંટણી પંચ આજે સાંજે 4 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને ચૂંટણીની...
National 
અમે બંગાળ સરકાર પર બોલીશું, પણ દીદીનું નામ નહીં લઈએ! BJPની નવી રણનીતિથી TMC ટેન્શનમાં

પરિવારને ખુશ કરવા માટે પહેરી વર્દી, નકલી RPF સબ-ઇન્સ્પેક્ટરની ધરપકડ

પ્રયાગરાજમાં એક નકલી RPF સબ-ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ GRP પોલીસ સ્ટેશનની પોલીસે કરી છે. આરોપી ઘણા દિવસોથી...
National 
પરિવારને ખુશ કરવા માટે પહેરી વર્દી, નકલી RPF સબ-ઇન્સ્પેક્ટરની ધરપકડ

LPG ગેસની અછત? શાળામાં મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવી પાણીપુરી; વીડિયો વાયરલ

ભારતભરના શહેરોમાં હાલમાં LPG સપ્લાયની તંગીને કારણે ગભરાટનો માહોલ છે, ત્યારે પશ્ચિમ બંગાળની એક સરકારી શાળાએ આ સમસ્યાનો એક...
National 
LPG ગેસની અછત? શાળામાં મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવી પાણીપુરી; વીડિયો વાયરલ

ઓપિનિયન પોલને કારણે BJPનું ટેન્શન વધી ગયું; CM મમતા બેનર્જીને ચૂંટણી જીતવામાં આ 'કેપ્સ્યુલ 7' મદદ કરશે!

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો બ્યુગલ વાગી ચૂક્યો છે. 24 કલાકની અંદર, CM મમતા બેનર્જીના નજીકના ગણાતા ઘણા અધિકારીઓની બદલીઓ શરૂ...
National 
ઓપિનિયન પોલને કારણે BJPનું ટેન્શન વધી ગયું; CM મમતા બેનર્જીને ચૂંટણી જીતવામાં આ 'કેપ્સ્યુલ 7' મદદ કરશે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.