યુવા આગ્રામાં કબ્રસ્તાન જોવાની જગ્યાએ અયોધ્યા જઈ રહ્યા છે

(ઉત્કર્ષ પટેલ)

પ્રખ્યાત કવિ ડૉ. કુમાર વિશ્વાસે તાજેતરના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે “યુવા આગ્રામાં કબ્રિસ્તાન જોવાની જગ્યાએ અયોધ્યા જઈ રહ્યા છે.” આ વાક્ય એક સાદું વર્ણન નથી, પરંતુ આજના ભારતના યુવાનોના મનોભાવનું પ્રતિબિંબ છે. તાજમહેલની ઐતિહાસિક સુંદરતા અને તેની સાથે જોડાયેલી ભૂતકાળની લોકકથાઓને છોડીને યુવા પેઢી અયોધ્યાના શ્રી રામ મંદિર તરફ ખેંચાઈ રહી છે. આ ફેરફાર માત્ર પ્રવાસનનો નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને અધ્યાત્મ તરફની લાગણીનું પ્રતીક છે. આજના યુવાનો વિકાસના પંથે આગળ વધી રહ્યા છે અને એ તેમની સંસ્કૃતિને વળગીને એ એક ગર્વનો વિષય છે.

02

અયોધ્યાનું શ્રી રામ મંદિર 2024માં પ્રાણ પ્રતિષ્ઠા પછી વિશ્વના સૌથી વધુ દર્શનાર્થીઓવાળા ધાર્મિક સ્થળોમાંનું એક બની ગયું છે. 2024માં જ અહીં 13.5 કરોડથી વધુ દર્શનાર્થીઓ આવ્યા જેમાં મોટા ભાગના યુવાનો હતા. 2025માં મહાકુંભ મેળા અને અન્ય ધાર્મિક આયોજનો સાથે આ આંકડો ઘણો મોટો છે. યુવા પેઢી માત્ર દર્શન માટે નથી આવતી પરંતુ શ્રી રામના આદર્શો, મર્યાદા, કર્તવ્ય અને ધર્મને પોતાના જીવનમાં અપનાવવા માટે પ્રેરિત થઈ રહી છે. સોશિયલ મીડિયા પર યોગ, ધ્યાન, જ્યોતિષ અને આધ્યાત્મિક કન્ટેન્ટની લોકપ્રિયતા વધી છે, અને 18થી 30 વર્ષની ઉંમરના 80% યુવાનો આવા કન્ટેન્ટ સાથે સંકળાયેલા છે.

આ પરિવર્તન આધુનિકતા અને પરંપરાનો સુંદર સંગમ છે. આજના યુવાનો ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ અને ગ્લોબલ કારકિર્દીમાં આગળ વધી રહ્યા છે પરંતુ તેમનામાં અધ્યાત્મની ભૂખ પણ વધી છે. વૈશ્વિક સંઘર્ષો, માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ અને ઝડપી જીવનશૈલી વચ્ચે યુવાનો ભારતીય સંસ્કૃતિમાંથી શાંતિ અને સ્થિરતા શોધી રહ્યા છે. અયોધ્યા, વારાણસી, તિરુપતિ જેવા સ્થળોમાં યુવા દર્શનાર્થીઓની સંખ્યામાં 30-40%નો વધારો થયો છે. આ યુવાનો માત્ર ધાર્મિક નથી પરંતુ સંસ્કારી અને દેશભક્ત પણ છે. તેઓ પોતાના સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને ગર્વ સાથે અપનાવી રહ્યા છે.

ram-mandir1
khabarchhe.com

આ ફેરફાર ભારતના વિકાસ માટે પણ શુભ છે. અધ્યાત્મિક પર્યટનથી અર્થતંત્રને વેગ મળે છે, રોજગાર વધે છે અને સાંસ્કૃતિક વારસો ચેતનમય થાય છે. યુવાનો જ્યારે શ્રી રામના માર્ગે ચાલે છે ત્યારે તેઓ માત્ર વ્યક્તિગત શાંતિ જ નથી મેળવતા પરંતુ રાષ્ટ્રને પણ મજબૂત બનાવે છે. કુમાર વિશ્વાસના શબ્દોમાં કહીએ તો આ યુવા પેઢી અયોધ્યા તરફ જઈને ભારતીય સંસ્કૃતિના નવા અધ્યાયની શરૂઆત કરી રહી છે. આ એક ગર્વની વાત છે કારણ કે આ યુવાનો ભવિષ્યના ભારતના નિર્માતા છે જે અધ્યાત્મ અને વિકાસના સંતુલન પર ઊભું રહેશે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.