રાજસ્થાનમાં શું થવાનું છે? ભાજપ સરકારના મંત્રીનું રાજીનામું

રાજસ્થાનમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભજન લાલ સરકારના કેબિનેટ મંત્રી ડો. કિરોડી લાલ મીણાએ રાજીનામું આપ દીધું છે. તેઓ સરકારમાં કૃષિ અને ગ્રામીણ મંત્રી હતી.મીણાએ ઘણા દિવસો પહેલા મુખ્યમંત્રીને રાજીનામું આપી દીધુ હતું, પરંતુ સત્તાવાર જાહેરાત ગુરુવારે કરી છે.

ડો. કિરોડી લાલ મીણાએ લોકસભાની ચૂંટણી પહેલાં એવુ કહ્યું હતું કે, જો પૂર્વી રાજસ્થાનની 7માંથી એક પણ સીટ પર ભાજપ હારશે તો પોતે રાજીનામું આપી દેશે. ચૂંટણીમાં ભાજપ 7માંથી 4 બેઠકો દૌસા, ધોલપુર, ટોંક સવાઇ માધોપુર અને ભરતપૂર બેઠકો હારી ગયું હતું.

ડો. મીણા વસંધરા રાજેની સરકારમાં પણ કેબિનેટ મંત્રી હતી, પરંતુ મતભેદોને કારણે તેમણે ભાજપ છોડી દીધી હતી અને એક વખત અપક્ષ અને એક વખત પી. એ.સંગમાની પાર્ટીમાંથી ચૂંટણી જીત્યા હતા. 2018માં મીણા પાછા ભાજપમાં આવી ગયા હતા.

About The Author

Related Posts

Top News

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના...
Sports 
‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.