દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીએ સંસ્કૃત વિભાગના એક પેપરમાં મનુસ્મૃતિને સામેલ કરવાનો વિરોધ કર્યો હતો. DUના વાઇસ ચાન્સેલર યોગેશ સિંહે કહ્યું કે, ‘અમારું વલણ એકદમ સ્પષ્ટ છે. મનુસ્મૃતિને કોઈપણ કોર્સમાં ભણાવવામાં નહીં આવે.

ગયા વર્ષે પણ તેને કાયદાના અભ્યાસક્રમમાં સામેલ કરવાનો પ્રસ્તાવ આવ્યો હતો, ત્યારે પણ અમે તેને હટાવી દીધો હતો. આ વખત તેને સંસ્કૃત અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું હતું. જેવું જ તે અમારા ધ્યાનમાં આવ્યું, અમે તેને હટાવવાનો નિર્ણય લીધો.  યુનિવર્સિટીએ આ મુદ્દા પર X પર પર એક નિવેદન પણ જાહેર કરતા કહ્યું કે, સંસ્કૃત વિભાગના ધર્મશાસ્ત્ર સ્ટડીઝ (DSC) કોર્સમાં, જ્યાં મનુસ્મૃતિને રેકમન્ડેન્ડ રીડિંગ' તરીકે સામેલ કરવામાં આવ્યું હતું, તેને પૂરી રીતે હટાવી દેવામાં આવ્યું છે.

01

ગુરુવારે, નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના રાષ્ટ્રીય પ્રમુખ વરુણ ચૌધરીએ આ પગલાની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘DUના અભ્યાસક્રમમાં મનુસ્મૃતિને સામેલ  કરવાનું શરમજનક છે. તેણે દલિતો, મહિલાઓ અને વંચિત વર્ગો વિરુદ્ધ જાતિગત ભેદભાવ અને અન્યાયનો પાયો નાખ્યો હતો. નોંધનીય છે કે આ વિવાદ બાદ, DUના આ નિર્ણયે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે ચાલી રહેલી બહેસ વધુ ગરમાવી દીધી છે. ઘણા લોકો તેને યોગ્ય દિશામાં ઉઠાવવામાં આવેલું પગલું માની રહ્યા હતા, જ્યારે કેટલાક તેને શૈક્ષણિક સ્વતંત્રતા પર સવાલ ઉઠાવનારું પગલું બતાવવા લાગ્યા હતા.

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે પણ દિલ્હી યુનિવર્સિટીના કાયદા ફેકલ્ટીના પહેલા સેમેસ્ટરના પાઠ્યક્રમમાં વિવાદિત હિન્દુ ગ્રંથ મનુસ્મૃતિને સામેલ કર્યા બાદ વિવાદ ઊભો થઈ ગયો હતો. ત્યારબાદ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર યોગેશ સિંહે તાત્કાલિક આ પ્રસ્તાવ પાછો લેવાનો નિર્ણય લીધો હતો. તે સમયે પણ તેને લઈને ખૂબ વિવાદ થયો હતો અને બાદમાં કુલપતિએ કહ્યું હતું કે, અકાદમીક કાઉન્સિલ સમક્ષ, અમારી પાસે સમિતિની અંદર પ્રસ્તાવ પર ચર્ચા કરવાની સિસ્ટમ છે, જ્યાં અમને જાણવા મળ્યું કે આ પ્રસ્તાવ મનુસ્મૃતિ માટે હતો. અમે તાત્કાલિક તેને નકારી કાઢ્યો અને દરખાસ્તમાં સુધારો કરવામાં આવ્યો. અકાદમીક કાઉન્સિલમાં પણ કોઈ સભ્ય નહોતો, જે આ મનુસ્મૃતિ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માગતો હતો.

About The Author

Related Posts

Top News

અમદાવાદ પ્લેન ક્રૅશમાં બચી ગયેલા વિશ્વાસ કુમારને ઉંઘ નથી આવતી, કોઈને મળતા નથી

આજે દુનિયાના ઘણા લોકો તેમને સૌથી ભાગ્યશાળી વ્યક્તિ માને છે, પરંતુ 12 જૂનના રોજ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં બચી...
Gujarat 
અમદાવાદ પ્લેન ક્રૅશમાં બચી ગયેલા વિશ્વાસ કુમારને ઉંઘ નથી આવતી, કોઈને મળતા નથી

મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારે એક ઓટો રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો....
National 
મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ (12 જુલાઈ) નાટકીય રીતે સમાપ્ત થયો. ઇંગ્લિશ ઓપનર જેક ક્રાઉલીએ...
Sports 
ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

હળદરના વધુ પડતા ડોઝને કારણે 57 વર્ષીય મહિલાનું લીવર ખરાબ થવાના આરે હતું. હાલમાં, મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે....
World 
રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.