આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો ગીતા અને બબીતા ​​ફોગટના પિતા છે, જેમણે કુસ્તીમાં ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો. 'દંગલ'ની વાર્તા ગીતા અને બબીતા ​​પર જ આધારિત છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી, પરંતુ શું તમે જાણો છો? આમિર ખાનની આ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ ન થઈ.

Aamir Khan
timesnowhindi.com

હકીકતમાં, પાકિસ્તાનના સેન્સર બોર્ડે ફિલ્મમાંથી ત્રિરંગો અને ભારતનું રાષ્ટ્રગીત દૂર કરવા કહ્યું હતું. તાજેતરમાં, આમિર ખાને TVની ચેનલ પર એક શોમાં આ ફિલ્મ વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમની ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રિલીઝ ન થઈ શકે. અભિનેતાએ એમ પણ કહ્યું હતું કે, ફિલ્મના નિર્માતાઓએ એમ પણ કહ્યું હતું કે, જો ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ ન થાય તો તેની બિઝનેસ પર નકારાત્મક અસર પડી શકે છે. પરંતુ તેમને ખાતરી હતી કે તેઓ ભારત વિરુદ્ધ હોય તેવી કોઈપણ વસ્તુને સમર્થન આપવા માંગતા નથી.

Aamir Khan
livehindustan.com

આમિર ખાને કહ્યું, 'ડિઝનીએ ફિલ્મ દંગલ રજૂ કરી હતી. જ્યારે ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે પાકિસ્તાનના સેન્સરે તેમને ગીતા ફોગાટના મેચ વિનિંગ સીન પરથી ત્રિરંગો અને ભારતનું રાષ્ટ્રગીત દૂર કરવા કહ્યું. તેમણે કહ્યું કે, જ્યાં સુધી આ પૂર્ણ નહીં થાય, ત્યાં સુધી તેઓ આ ફિલ્મ રિલીઝ નહીં કરે. પછી મેં તેમને એક જ સેકન્ડમાં કહ્યું કે, અમારી ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહીં થાય. ડિઝનીના લોકોએ એમ પણ કહ્યું કે આનાથી અમારા વ્યવસાય પર અસર પડશે. પછી મેં કહ્યું, જો કોઈ મને આપણો રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત દૂર કરવાનું કહે, તો મને તેમાં કોઈ રસ નથી. મને આવો વ્યવસાય જોઈતો જ નથી.'

Aamir Khan
m.bollywood.punjabkesari.in

અહીં તમને જણાવી દઈએ કે, આમિર ખાનની ફિલ્મ 'દંગલ' સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ છે. 'દંગલ'એ ઘરેલુ બોક્સ ઓફિસ પર 374.43 કરોડની કમાણી કરી હતી, જ્યારે વિશ્વભરમાં સૌથી વધુ કમાણી 2,024 કરોડ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ્યારે પહેલગામ આતંકવાદી હુમલો થયો હતો, ત્યારે 26 નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારથી, ભારતમાં કામ કરતા પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત પાકિસ્તાની વેબ સિરીઝ, ફિલ્મો, ગીતો, પોડકાસ્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

Aamir Khan
ptcnews.tv

અહીં તમને જણાવી દઈએ કે સુપરસ્ટાર આમિર ખાન લાંબા સમય સુધી રાહ જોયા પછી આખરે મોટા પડદા પર પાછા ફરી રહ્યા છે. 2022માં 'લાલ સિંહ ચઢ્ઢા'ના ફ્લોપ થયા પછી, અભિનેતાએ ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો. હવે આમિર 'સિતારે જમીન પર' લાવી રહ્યા છે, જે તેમની 2007ની સુપરહિટ ફિલ્મ 'તારે જમીન પર'ની સ્પિરિચ્યુઅલ સિક્વલ છે. તેમની ફિલ્મ 20 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.