પડી ગયેલો માત્ર એક દાંત પણ તમને મોટા ખર્ચામાં ઉતારી શકે છે

સુરતમાં પ્રેક્ટિસ કરતા એક ડેન્ટલ સર્જન તરીકે હું ઘણી વાર એવા દર્દીઓને મળું છું જે પડી ગયેલા એક દાંતને નાની વાત માને છે. તેઓ કહેતા હોય છે “દુખતો નથી, પછી કરાવીશ.” પરંતુ મોઢામાં એક ખાલી જગ્યા — દેખીતી રીતે નિર્દોષ લાગે પરંતુ સમય સાથે અનેક ગંભીર સમસ્યાઓ ઉભી કરી શકે છે.

દાંત પડી ગયા પછી શું થાય છે?

 1. હાડકું ઘટવું (Resorption)

 દાંત ન હોય ત્યારે ચાવવાની દબાણશક્તિ અને રૂટનું સ્ટીમ્યુલેશન મળતું નથી. પરિણામે એ ભાગનું જડબાનું હાડકું થોડાં મહિનામાં જ ઘટવા લાગે છે.

 આના પરિણામો:

 - ચહેરો તે ભાગે અંદર ધસાયેલો અથવા સુકાયેલો લાગી શકે — જે વૃદ્ધ હોવાનો દેખાવ આપે છે.

- હાડકું પાતળું અને નીચું થઈ જવાથી ભવિષ્યમાં ઈમ્પ્લાન્ટ અથવા પ્રોસ્ટેસિસ વધુ મુશ્કેલ અથવા મોંઘી પડી શકે.

- આજુબાજુના દાંતનું સપોર્ટ ઘટે છે અને હાડકાની રચના પણ બગડે છે.

03

2. બાજુના દાંત અને ચાવવા પર અસર

 દાંત એકલા નથી રહેતા. એક દાંત પડી જાય તો આસપાસના અને સામેના દાંત ખાલી જગ્યા તરફ ખસવા લાગે છે.

 -બાજુના દાંત ઝૂકવા અથવા ખાલી જગ્યા તરફ સરકવા લાગે છે.

- સામેનો દાંત (અપર/લોવર) ઊંચો-નીચો થઈ જાય છે કારણ કે તેનો સપોર્ટિંગ પાર્ટનર નથી.

3. TMJ ડિસઓર્ડર (જોડાણ સંબંધી સમસ્યા)

-અસમતોલ દબાણ: બાઈટ ગડબડ થતા જડબા પર તાણ વધે છે અને TMJ પર બોજ પડે છે.

-મસલ ટેન્શન અને પીડા: જડબાના માંસપેશીમાં સોજો, માથાનો દુખાવો, ક્લિકિંગ-પોપિંગ જેવા લક્ષણો.

-જોઇન્ટની જગ્યા ઘટવી: દાંત ગુમાવવાથી TMJ joint space ઘટી શકે છે અને જોઇન્ટની સ્થિતિ બદલાઈ શકે છે.

4. પેરીયોડોન્ટલ (પેઢા) રોગોનો ખતરો

દાંત ખસવાથી સફાઈ મુશ્કેલ બને છે, પ્લેક વધે છે અને પેઢાનો રોગ (પાયોરિયા) ઝડપથી વધી શકે છે.

ઊપરાંત, મોઢું સાફ નહીં થવાથી હ્રદયરોગ અને સ્ટ્રોક સાથે સંબંધ સ્થાપિત થયો છે.

5. પોષણ અને ચાવવાની ક્ષમતા પર અસર

સમય સાથે તમે એ તરફ ચાવવાનું ટાળી દેતા હો, જેનાથી કઠણ શાકભાજી, નટ્સ વગેરે ટાળી દેવામાં આવે છે અને મહત્વના પોષકતત્ત્વોથી વંચિત રહી શકો છો. ચાવવાની ક્ષમતા ઘટે છે અને અન્ય દાંત અને માંસપેશીઓ પર દબાણ વધે છે.

01

ઉપચાર શું કરી શકાય?

-ડેન્ટલ ઈમ્પ્લાન્ટ શ્રેષ્ઠ વિકલ્પોમાંનો એક છે — તે દાંતના ક્રાઉન અને રૂટ બન્ને બદલે છે, હાડકાંને સપોર્ટ આપે છે અને ચાવવું સહેલું બનાવે છે.

મારા ક્લિનિકલ અનુભવથી હું સલાહ આપું છું કે

- જો સમયસર ઉપચાર ન કરાવો તો થોડાં મહિનામાં જ હાડકું ઘટે છે. વિલંબ કરશો તો બોન graft, sinus lift અથવા orthodonticsની જરૂર પડી શકે છે. એક દાંત ગુમાવ્યા પછી અવગણશો નહીં. ભલે દુખાવો ન હોય, પરંતુ અંદરથી નુકસાન થઈ રહ્યું હોય છે.

About The Author

Dr. Risshi D. Bhatt Picture

Dr. Risshi Bhatt is a dental surgeon specializing in TMJ disorders and facial pain. He leads the RR Dental and Maxillofacial Clinic, known for its integrated approach to jaw and sleep-related conditions. Passionate about patient education and preventive care, Dr. Bhatt bridges the gap between dentistry and overall wellness.

Related Posts

Top News

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

દેશમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની કેન્દ્ર સરકારની જાહેર ખાતરીના થોડા સમય બાદ, ભારતના મુખ્ય ઓટોમોબાઈલ સંગઠને બળતણમાં મિશ્રણ...
Tech and Auto 
ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.