કોંગ્રેસે ઇટાલિયાની આશા પર પાણી ફેરવી દીધું, AAP સાથે ગઠબંધન ન કરવાનું કારણ જણાવ્યું

કોંગ્રેસે શુક્રવારે મોટી જાહેરાત કરી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતમાં વિસાવદર અને કડીની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરશે. કોંગ્રેસ પોતાના ઉમેદવારને પાર્ટીના સિમ્બોલ સાથે ઉતારશે.

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, જ્યારે બનાસકાંઠામાં પેટા ચૂંટણી થઇ હતી ત્યારે કોંગ્રેસ સાથે એવી ડીલ થઇ હતી કે બનાસકાંઠામાં AAP પોતાનો ઉમેદવાર નહીં ઉતારશે અને એ વચન અમે પાળ્યું હતું અને વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે. પરંતુ ગોપાલ ઇટાલિયાની આશા પર કોંગ્રેસ પાણી ફેરવી દીધું છે.

વિસાવદર અને કડીની પેટા ચૂંટણી માટે હજુ ચૂંટણી પંચે કોઇ તારીખ જાહેર કરી નથી, પરંતુ બધી પાર્ટીઓ તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસની જાહેરાતથી હવે આ બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ થશે.

શક્તિસિંહે ટ્વીટર પર કહ્યું હતું કે, પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે, ગુજરાતમાં બે વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે, તે બંને બેઠક પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારશે. ગઠબંધનનો કેટલોક ધર્મ હોય છે. રાષ્ટ્રીય સ્તરે અમારું ગઠબંધન છે અને રહેશે . આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસ પક્ષ સાથે કોઈ સંવાદ વગર ઉમેદવાર જાહેર કરી દીધેલ છે. રાજ્યકક્ષાએ અમારે નિર્ણય લેવાનો છે ત્યારે ભૂતકાળના બધા ઈતિહાસો તપાસ્યા પછી પોલિટિકલ અફેર્સ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો કે, પેટા ચૂંટણીની બંને બેઠક વિસાવદર અને કડીમાં કોંગ્રેસ એકલા હાથે ચુંટણી લડશે. હાલની પરિસ્થિતિમાં રાજ્યમાં મજબુત વિરોધપક્ષની જરૂર છે, જે ગુજરાતના હિતની વાતને ઉઠાવે. ત્યારે બંને વિધાનસભાની સીટોના મતદાતાઓને વિનંતી કરું છું કે, આપનો મત અને આશીર્વાદ કોંગ્રેસને આપી વિજય બનાવો. ૨૦૨૭ માં ગુજરાતીઓના આશીર્વાદથી કોંગ્રેસની સરકાર બનશે.

Related Posts

Top News

ઇઝરાયલ-ઇરાનના દંગલથી ભારતનું ટેન્શન કેમ વધી ગયું છે?

ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધને કારણે આખી દુનિયા ટેન્શનમાં આવી ગઇ છે. જો બંને દેશો વચ્ચેનું યુદ્ધ આગળ વધ્યું તો...
World 
ઇઝરાયલ-ઇરાનના દંગલથી ભારતનું ટેન્શન કેમ વધી ગયું છે?

ગુજરાતમાં 5,300 વર્ષ જૂની પ્રાચીન હડપ્પા વસાહત મળી આવી

કેરળ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ ગુજરાતના પશ્ચિમી કચ્છ વિસ્તારાં આવેલા લાખાપર ગામમાં 5300 વર્ષ જુની વસાહત શોધી કાઢી છે. ખોદકામ દરમિયાન પ્રાચીન...
Gujarat 
ગુજરાતમાં 5,300 વર્ષ જૂની પ્રાચીન હડપ્પા વસાહત મળી આવી

વિજય રૂપાણીના એક નિર્ણયને કારણે આ ગામના લોકો કરોડપતિ બની ગયા હતા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનામાં પ્રભુને પ્યારા થઇ ગયા, પરંતુ તેમણે લીધેલા એક નિર્ણયને...
Gujarat 
વિજય રૂપાણીના એક નિર્ણયને કારણે આ ગામના લોકો કરોડપતિ બની ગયા હતા

સોમવારે શેરબજારમાં આ 3 મોટા પરિબળો ભાગ ભજવશે

ગયા અઠવાડિયે શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો અને આગામી સપ્તાહમાં પણ કેટલાક પરિબળો પર ધ્યાન કેન્દ્રિત રહેશે, જેના...
Business 
સોમવારે શેરબજારમાં આ 3 મોટા પરિબળો ભાગ ભજવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.