કોંગ્રેસે ઇટાલિયાની આશા પર પાણી ફેરવી દીધું, AAP સાથે ગઠબંધન ન કરવાનું કારણ જણાવ્યું

કોંગ્રેસે શુક્રવારે મોટી જાહેરાત કરી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતમાં વિસાવદર અને કડીની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરશે. કોંગ્રેસ પોતાના ઉમેદવારને પાર્ટીના સિમ્બોલ સાથે ઉતારશે.

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, જ્યારે બનાસકાંઠામાં પેટા ચૂંટણી થઇ હતી ત્યારે કોંગ્રેસ સાથે એવી ડીલ થઇ હતી કે બનાસકાંઠામાં AAP પોતાનો ઉમેદવાર નહીં ઉતારશે અને એ વચન અમે પાળ્યું હતું અને વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે. પરંતુ ગોપાલ ઇટાલિયાની આશા પર કોંગ્રેસ પાણી ફેરવી દીધું છે.

વિસાવદર અને કડીની પેટા ચૂંટણી માટે હજુ ચૂંટણી પંચે કોઇ તારીખ જાહેર કરી નથી, પરંતુ બધી પાર્ટીઓ તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસની જાહેરાતથી હવે આ બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ થશે.

શક્તિસિંહે ટ્વીટર પર કહ્યું હતું કે, પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે, ગુજરાતમાં બે વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે, તે બંને બેઠક પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારશે. ગઠબંધનનો કેટલોક ધર્મ હોય છે. રાષ્ટ્રીય સ્તરે અમારું ગઠબંધન છે અને રહેશે . આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસ પક્ષ સાથે કોઈ સંવાદ વગર ઉમેદવાર જાહેર કરી દીધેલ છે. રાજ્યકક્ષાએ અમારે નિર્ણય લેવાનો છે ત્યારે ભૂતકાળના બધા ઈતિહાસો તપાસ્યા પછી પોલિટિકલ અફેર્સ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો કે, પેટા ચૂંટણીની બંને બેઠક વિસાવદર અને કડીમાં કોંગ્રેસ એકલા હાથે ચુંટણી લડશે. હાલની પરિસ્થિતિમાં રાજ્યમાં મજબુત વિરોધપક્ષની જરૂર છે, જે ગુજરાતના હિતની વાતને ઉઠાવે. ત્યારે બંને વિધાનસભાની સીટોના મતદાતાઓને વિનંતી કરું છું કે, આપનો મત અને આશીર્વાદ કોંગ્રેસને આપી વિજય બનાવો. ૨૦૨૭ માં ગુજરાતીઓના આશીર્વાદથી કોંગ્રેસની સરકાર બનશે.

About The Author

Top News

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.