કોંગ્રેસે ઇટાલિયાની આશા પર પાણી ફેરવી દીધું, AAP સાથે ગઠબંધન ન કરવાનું કારણ જણાવ્યું

કોંગ્રેસે શુક્રવારે મોટી જાહેરાત કરી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતમાં વિસાવદર અને કડીની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરશે. કોંગ્રેસ પોતાના ઉમેદવારને પાર્ટીના સિમ્બોલ સાથે ઉતારશે.

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, જ્યારે બનાસકાંઠામાં પેટા ચૂંટણી થઇ હતી ત્યારે કોંગ્રેસ સાથે એવી ડીલ થઇ હતી કે બનાસકાંઠામાં AAP પોતાનો ઉમેદવાર નહીં ઉતારશે અને એ વચન અમે પાળ્યું હતું અને વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉતારે. પરંતુ ગોપાલ ઇટાલિયાની આશા પર કોંગ્રેસ પાણી ફેરવી દીધું છે.

વિસાવદર અને કડીની પેટા ચૂંટણી માટે હજુ ચૂંટણી પંચે કોઇ તારીખ જાહેર કરી નથી, પરંતુ બધી પાર્ટીઓ તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસની જાહેરાતથી હવે આ બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ થશે.

શક્તિસિંહે ટ્વીટર પર કહ્યું હતું કે, પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે, ગુજરાતમાં બે વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે, તે બંને બેઠક પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારશે. ગઠબંધનનો કેટલોક ધર્મ હોય છે. રાષ્ટ્રીય સ્તરે અમારું ગઠબંધન છે અને રહેશે . આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસ પક્ષ સાથે કોઈ સંવાદ વગર ઉમેદવાર જાહેર કરી દીધેલ છે. રાજ્યકક્ષાએ અમારે નિર્ણય લેવાનો છે ત્યારે ભૂતકાળના બધા ઈતિહાસો તપાસ્યા પછી પોલિટિકલ અફેર્સ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો કે, પેટા ચૂંટણીની બંને બેઠક વિસાવદર અને કડીમાં કોંગ્રેસ એકલા હાથે ચુંટણી લડશે. હાલની પરિસ્થિતિમાં રાજ્યમાં મજબુત વિરોધપક્ષની જરૂર છે, જે ગુજરાતના હિતની વાતને ઉઠાવે. ત્યારે બંને વિધાનસભાની સીટોના મતદાતાઓને વિનંતી કરું છું કે, આપનો મત અને આશીર્વાદ કોંગ્રેસને આપી વિજય બનાવો. ૨૦૨૭ માં ગુજરાતીઓના આશીર્વાદથી કોંગ્રેસની સરકાર બનશે.

Related Posts

Top News

સચિન તેંદુલકરે જીત્યું દિલ, ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં કાયમ રહેશે પટૌડીનો વારસો

ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડ વિરુદ્ધ તેની ધરતી પર 20 જૂનથી 5 મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. આ સીરિઝથી શુભમન ગિલ...
Sports 
સચિન તેંદુલકરે જીત્યું દિલ, ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાં કાયમ રહેશે પટૌડીનો વારસો

એર ઇન્ડિયા વિમાન ક્રેશ વિશે અમેરિકાના એવિએશન નિષ્ણાતે શું કહ્યું?

એર ઇન્ડિયાના વિમાન ક્રેશને લઇને સોશિયલ મીડિયા પર અલગ અલગ અંદાજ લગાવવામાં આવી રહ્યા છે. અમેરિકન નેવીના નિવૃત અધિકારી અને...
World 
એર ઇન્ડિયા વિમાન ક્રેશ વિશે અમેરિકાના એવિએશન નિષ્ણાતે શું કહ્યું?

શું ક્રૅશ થયેલી 787 ડ્રીમ લાઇનરનું મેન્ટેનન્સ તુર્કીની કંપનીએ કર્યુ હતું? જાણો હકીકત

એર ઇન્ડિયા વિમાન ક્રેશ પછી સોશિયલ મીડિયા પર એવા અહેવાલો વાયરલ થયા હતા કે એર ઇન્ડિયાના 787 ડ્રીમ લાઇનરનું સર્વિસ...
National 
શું ક્રૅશ થયેલી 787 ડ્રીમ લાઇનરનું મેન્ટેનન્સ તુર્કીની કંપનીએ કર્યુ હતું? જાણો હકીકત

માયાભાઇ આહીરને ગોપાલ ઇટાલીયા સાથે શું વાંધો છે?

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની મતદાનની તારીખ 19 જૂન છે અને 23 જૂને મત ગણતરી થવાની છે. વિસાવદર પર ત્રિપાંખીયો જંગ...
Politics 
માયાભાઇ આહીરને ગોપાલ ઇટાલીયા સાથે શું વાંધો છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.