‘ભારતની રાજનીતિને કારણે થઈ રહ્યું છે..’, બાંગ્લાદેશની પરિસ્થિતી પર દિગ્વિજય સિંહનું નિવેદન

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો પર રાજકારણ તેજ થઈ ગયું છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે આ મુદ્દા પર એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ ભારતમાં લઘુમતીઓ પર થઈ રહેલી કાર્યવાહીઓનું રીએક્શન છે. દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે ભારતમાં કટ્ટરવાદી તાકતો લઘુમતીઓ પર સતત કાર્યવાહી કરી રહી છે. તેમનો દાવો છે કે આ પડોશી બાંગ્લાદેશમાં અનુભવાઈ રહ્યું છે, જ્યાં હિન્દુ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.

પૂર્વ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોની સખત નિંદા કરે છે. લઘુમતીઓ સામે હિંસા અને ભેદભાવ કોઈપણ દેશમાં અસ્વીકાર્ય છે અને આવી ઘટનાઓ માનવતા પર કલંક છે. દિગ્વિજય સિંહના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચા વધુ તેજ થઈ ગઈ છે. જ્યાં એક તરફ તેમના સમર્થકો તેને આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય ગણાવી રહ્યા છે, ત્યારે વિરોધ પક્ષો તેમના નિવેદન પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

Digvijaya-Singh1
facebook.com/DigvijayaSinghOfficial

દિગ્વિજય સિંહે ભાર મૂકીને કહ્યું હતું કે આ મુદ્દો માત્ર રાજકારણનો નથી, પરંતુ માનવ અધિકારો સાથે જોડાયેલો છે. તેમણે કેન્દ્ર સરકારને આ બાબતને ગંભીરતાથી લેવા અને આંતરરાષ્ટ્રીય મંચો પર લઘુમતી સંરક્ષણનો મુદ્દો ઉઠાવવા માટે પણ અપીલ કરી હતી.

ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માએ દિગ્વિજય સિંહના નિવેદનની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે દિગ્વિજય સિંહે ભૂલથી 10 વર્ષ સુધી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી રહ્યા અને આજે તેઓ નક્કી કરી શકતા નથી કે તેઓ ભારતીય નાગરિક છે કે પાકિસ્તાનના એજન્ટ. રામેશ્વર શર્માએ આરોપ લગાવ્યો કે આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓએ દિગ્વિજય સિંહને સુપારી આપી રાખી છે અને તેમને તેમના પ્રવક્તા બનાવી રાખ્યા છે. તેમણે કહ્યું કે દિગ્વિજય સિંહનું નિવેદન રાષ્ટ્ર વિરોધી તાકતોને બળ આપે છે અને આંતરરાષ્ટ્રીય ઇસ્લામિક આતંકવાદના નેરેટિવને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

Digvijaya-Singh
indiatoday.in

રામેશ્વર શર્માએ આરોપ લગાવ્યો કે દિગ્વિજય સિંહે પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન આતંકવાદીઓનું સમર્થન આપ્યું અને જ્યારે પણ તેમને તક મળે છે તેમને સન્માનિત કર્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે આતંકવાદને સમર્થન આપનારાઓએ યાદ રાખવું જોઈએ કે ભારતના લોકો બધું જાણે છે અને યોગ્ય સમયે જવાબ આપશે.

માનવ અધિકાર વિરુદ્ધ રાષ્ટ્રીય હિત ચર્ચા

આ સમગ્ર ઘટનાએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર પરની બહેસને બે ધ્રુવોમાં વહેંચી દીધી છે. કોંગ્રેસ તેને માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા સાથે જોડી રહી છે, જ્યારે ભાજપ તેને રાષ્ટ્ર વિરોધી વિચારસરણી અને આતંકવાદનું પરોક્ષ સમર્થન ગણાવીને તેના પર પ્રહાર કરી રહી છે.

About The Author

Top News

દેશમાં પહેલીવાર સુરત પોલીસે સાયબર સ્લેવરી પર વેબ સીરિઝ બનાવી

  સાયબર ક્રાઇમ સેલ સુરત સિટી દ્રારા સાયબર સ્લેવરી વેબસીરિઝ તૈયાર કરવામાં આવી છે અને સાયબર ફ્રોડના અવેરનેસ માટે એક14...
Gujarat 
દેશમાં પહેલીવાર સુરત પોલીસે સાયબર સ્લેવરી પર વેબ સીરિઝ બનાવી

દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન...
National 
દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની...
National 
હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે ...
National 
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની
Copyright (c) Khabarchhe All Rights Reserved.