9 વર્ષ પછી પ્રથમ વાર ભારતના વિદેશ મંત્રી જશે પાકિસ્તાન, જાણો શું છે કારણ

પાકિસ્તાનમાં આજથી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંમેલન શરુ થઇ રહ્યું છે. આ SCOની બેઠકમાં ભાગ લેવા માટે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચી ચુક્યા છે. આ દરમિયાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ ડિનરનું આયોજન કરશે ત્યારે બાદ SCO સંમેલનની શરૂઆત થશે. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા વર્ષોથી બંને પાડોશી દેશોનો સંબંધ તણાવ ભર્યો રહ્યો છે જે દરમિયાન ભારત તરફથી પાકિસ્તાનનો આ પ્રથમ ઉચ્ચ સ્તરીય પ્રવાસ છે.

9 વર્ષ પછી ભારતીય વિદેશમંત્રીનો પાકિસ્તાન પ્રવાસ

જો કે એસ.જયશંકરની આ પાકિસ્તાન યાત્રા ઘણી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જયશંકરે એક સંબોધનમાં કહ્યું હતું કે “ભારત અન્ય પાડોશી દેશોની જેમ પાકિસ્તાન સાથે પણ ચોક્કસપણે સારા સંબંધ ઈચ્છશે. પરંતુ, સરહદ પારના આંતકવાદને નજર અંદાજ કરી તે શક્ય નથી.” લગભગ 9 વર્ષ પછી આ પ્રથમવાર છે કે ભારતના વિદેશમંત્રી પાકિસ્તાનનો પ્રવાસ કરશે. જો કે એવી પણ માહિતી સામે આવી છે કે એસ.જયશંકર પાકિસ્તાનમાં 24 કલાકથી પણ ઓછો સમય રોકાશે. તમને જણાવી દઈએ કે SCOના સભ્ય દેશોના સરકારના વડાઓ સિવાય એસ.જયશંકર અને પાકિસ્તાનની વિદેશમંત્રી ઈશાક દાર વચ્ચે કોઈપણ દ્વિપક્ષીય સંવાદ માટે ભારતે તૈયારી દર્શાવી નથી.

પાકિસ્તાનના PMએ ભારતના વડાપ્રધાનને આપ્યું હતું આમંત્રણ

છેલ્લે પાકિસ્તાનનો પ્રવાસ ડિસેમ્બર 2015માં ભારતના તત્કાલીન વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કર્યો હતો. તેઓ અફઘાનિસ્તાન પરના એક સંમેલનમાં ભાગ લેવા ઇસ્લામાબાદ ગયા હતા. પાકિસ્તાનના પ્રધાનમંત્રી દ્વારા SCO સંમેલનમાં ભાગ લેવા માટે ઓગસ્ટમાં પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.

જાણો કેવા છે સુરક્ષાનો બંદોબસ્ત

SCO સમિટ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઇસ્લામાબાદના પોલીસ મહાનિર્દેશકે કહ્યું કે ઇસ્લામાબાદમાં આયોજિત થનાર SCO સંમેલન માટે સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે હોટેલ કે અન્ય જગ્યાએ જ્યાં વિદેશી પ્રતિનિધિ રોકાયા છે ત્યાં સુરક્ષા કર્મીઓએ તૈનાત કરવામાં આવ્યા છે. વિદેશી પ્રતિનિધિમંડળની સુરક્ષા માટે પાકિસ્તાન આર્મી, ગુપ્તચર એજન્સીઓ, ફ્રન્ટિયર કોર્પ્સ (એફસી) અને રેન્જર્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

પોલીસ પ્રમુખે કહ્યું કે SCO સંમેલન દરમિયાન સુરક્ષા માટે 9000 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કર્યા છે. કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે સરકારે રાજધાનીમાં પહેલાથી જ સેનાને તૈનાત કરી દીધી છે અને ઇસ્લામાબાદના પડોશી રાવલપિંડી અને અન્ય શહેરોમાં વિરોધ પ્રદર્શન અને રેલીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે.  

Top News

અમેરિકા હટાવશે 25 ટકા ટેરિફ, સરકારના મોટા અધિકારીનો દાવો; જાણો શું બોલ્યા

ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને કહ્યું કે, અમેરિકા ટૂંક સમયમાં ભારતીય સામાન પર લાગનારો વધારાના પેનલ 25% ટેરિફને...
National 
અમેરિકા હટાવશે 25 ટકા ટેરિફ, સરકારના મોટા અધિકારીનો દાવો; જાણો શું બોલ્યા

આર્મીનો યુનિફોર્મ પહેરી 3 લૂંટારું SBIમાં આવ્યા 20 કિલો સોનું ઉડાવી ગયા

કર્ણાટકના વિજયપુરા જિલ્લાના ચાદચાનમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ આવેલી છે. મંગળવારે સાંજે સ્ટેટ બેંકની શાખામાં 3 માસ્ક ધારી આર્મીનો...
National 
આર્મીનો યુનિફોર્મ પહેરી 3 લૂંટારું SBIમાં આવ્યા 20 કિલો સોનું ઉડાવી ગયા

સોનાના ભાવમાં ઉછાળો... શું શેરબજારમાં કડાકો બોલવાની શક્યતા છે? 'નિક્સન શોક' જેવી આપત્તિ આવવાના સંકેતો

હમણાના કેટલાક સમયમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે એવી અટકળો થઈ રહી છે કે, ...
Business 
સોનાના ભાવમાં ઉછાળો... શું શેરબજારમાં કડાકો બોલવાની શક્યતા છે? 'નિક્સન શોક' જેવી આપત્તિ આવવાના સંકેતો

એવું શું છે અદાણી અંગેના 138 વીડિયોમાં કે રવિશ કુમાર, ધ્રૂવ રાઠી બધાને સરકારે ડિલીટ કરવા કહી દીધું

કેન્દ્ર સરકારના ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટીંગ ડિપાર્ટમેન્ટ બે મીડિયા સંસ્થા અને અનેક યુટ્યુબર્સને નોટીસ મોકલીને અદાણી ગ્રુપ સબંધિત 138 વીડિયો અને ...
National 
એવું શું છે અદાણી અંગેના 138 વીડિયોમાં કે રવિશ કુમાર, ધ્રૂવ રાઠી બધાને સરકારે ડિલીટ કરવા કહી દીધું

Opinion

એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના જામનગરમાં વસતું વનતારા એક અદ્ભુત અને પ્રેરણાદાયી સેવાકીય પ્રકલ્પ છે જે અંબાણી પરિવારની નિઃસ્વાર્થ મહેનત અને વિઝનનું...
સુરતની સચિન GIDCના ઉદ્યોગકારોને બ્લેકમેલિંગ, લાઇઝનિંગ અને લાંચખોરીથી કોણ બચાવશે?
વેસુ કેનાલ વોકવે ખાઉધરાગલીમાં પરિવર્તિત થઈ રહ્યો છે: શું આરોગ્યની ભેટ હવે વેપારીકરણનું માધ્યમ બની રહી છે?
GIDCના લાંચીયા અધિકારીઓથી સમગ્ર ગુજરાતના ઉદ્યોગકારો ત્રાહિમામ
શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.