એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે

(ઉત્કર્ષ પટેલ)

ગુજરાતના જામનગરમાં વસતું વનતારા એક અદ્ભુત અને પ્રેરણાદાયી સેવાકીય પ્રકલ્પ છે જે અંબાણી પરિવારની નિઃસ્વાર્થ મહેનત અને વિઝનનું જીવંત પ્રતીક છે. 'વન' અને 'તારા' શબ્દોના મેળથી રચાયેલું આ નામ પ્રકૃતિના જંગલને તારાઓ જેવી ચમક અને આશા આપે છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત આ કેન્દ્ર, અનંત અંબાણીના દૃઢ નિર્ણય અને પ્રેરણાથી ઉભર્યું છે. 3,000 એકરમાં ફેલાયેલું આ વિશાળ વિસ્તાર રિલાયન્સ જામનગર રિફાઇનરી કોમ્પ્લેક્સના લીલા પટ્ટામાં આવેલું છે જે વન્યજીવનના રક્ષણ, પુનર્વસન અને સંભાળ માટેનું વિશ્વસ્તરીય કેન્દ્ર છે. આ પ્રકલ્પ ન માત્ર ભારતીય વન્યજીવને જ બચાવે છે પરંતુ વૈશ્વિક સ્તરે પણ પ્રાણીઓની સુરક્ષા અને સંરક્ષણ માટે કાર્યરત છે. વનતારા એક માત્ર રેસ્ક્યુ સેન્ટર નથી પરંતુ પ્રકૃતિ સાથે માનવતાનું પ્રતીક છે. 

03

વનતારાની શરૂઆત અનંત અંબાણીના બાળપણના અનુભવથી થઈ છે. જયપુરથી રણથંભોર જતા માર્ગે તેઓએ એક ઘાયલ હાથીને જોયો હતો. આ અનુભવથી પ્રેરિત થઈને તેમણે સ્વામી વિવેકાનંદના 'જીવ સેવા'ના સિદ્ધાંતને અપનાવી વનતારાને જન્મ આપ્યો. અંબાણી પરિવારના આ સેવાપ્રકલ્પમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીનું માર્ગદર્શન અને સમર્થન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે. તેઓએ મોટું રોકાણ કરીને આ કેન્દ્રને આધુનિક સુવિધાઓથી સુસંગત બનાવ્યું છે. આ સેવાકેન્દ્રમાં 2,000થી વધુ પ્રાણીઓ છે જેમાં હાથીઓ, ગેંડા, સાપો, વાઘો અને વિવિધ પક્ષીઓનો સમાવેશ થાય છે. તેઓને વિશ્વસ્તરીય સુવિધાઓ અને સંભાળ મળે છે. 2025 સુધીમાં વનતારાએ 1,50,000થી વધુ પ્રાણીઓની સંભાળ લીધી છે. આ પ્રાણીઓમાંથી ઘણા વિદેશોમાંથી રેસ્ક્યુ કરી લાવવામાં આવ્યા છે જે વનતારાના વૈશ્વિક દૃષ્ટિકોણને રજૂ કરે છે. 

વનતારાની વિશેષતાઓ અને સુવિધાઓ અદ્ભુત છે. ગ્રીન્સ ઝૂઓલૉજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર (જીઝેઆરઆરસી) 650 એકરમાં ફેલાયેલું છે જ્યાં હાથીઓ માટે વિશેષ હોસ્પિટલ, રિસ્ટ્રેનિંગ ફેસિલિટી, હાઇડ્રોથેરાપી પુલ, એલિફન્ટ જેકુઝી અને કુદરતી વ્યવસ્થાનો વિકાસ કરવામાં આવ્યો છે. આ સુવિધાઓ આર્થરાઇટિસ જેવી બીમારીઓના ઇલાજ માટે રચાયેલી છે જે પ્રાણીઓને માનવીય અને વૈજ્ઞાનિક સંભાળ આપે છે. અહીં કટિંગ-એજ મેડિકલ કેર, રિસર્ચ સેન્ટર્સ, એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન્સ અને વેટરનરી હોસ્પિટલ્સ છે જે આંતરરાષ્ટ્રીય યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN), વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ (WWF) અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA) જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. વનતારા હેબિટેટ લોસ, માનવ-પ્રાણી સંઘર્ષ, શિકાર અને વ્યાપાર જેવી સમસ્યાઓના ઉકેલ માટે કાર્ય કરે છે. તે વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટ, 1972, CITES કન્વેન્શન અને ઝૂ રુલ્સનું કડક પાલન કરે છે. વૈશ્વિક રેસ્ક્યુ મિશન્સ દ્વારા તે વિદેશી પ્રાણીઓને પણ આવકારે છે જેમ કે આફ્રિકા અને એશિયાના વિવિધ દેશોમાંથી ઘાયલ અથવા વેપારથી મુક્ત કરાયેલા હાથીઓ અને અન્ય પ્રાણીઓ સમાવિષ્ટ છે. 

અંબાણી પરિવારની આ મહેનત નિઃસ્વાર્થ છે. મુકેશ અંબાણી, નીતા અંબાણી અને અનંત અંબાણીએ વાર્ષિક બજેટમાં વિશેષજ્ઞો, વેટરનરી સુવિધાઓ અને પર્યાવરણીય સંરક્ષણ માટે વિશાળ રોકાણ કર્યું છે. અનંત અંબાણીએ કહ્યું છે કે, "વનતારા માત્ર એક સેન્ટર નથી પરંતુ પ્રકૃતિ સાથેના સમન્વય અને જીવસેવાનું પ્રતીક છે." પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2025માં તેનું ઉદ્ઘાટન કરીને તેને રાષ્ટ્રીય માન્યતા આપી હતી. આ પ્રકલ્પ ભારતને વિશ્વમાં વન્યજીવ સંરક્ષણના ક્ષેત્રે અગ્રેસર બનાવે છે અને તેના કાર્યો દ્વારા હજારો પ્રાણીઓને નવું જીવન મળ્યું છે. વનતારાની સફળતા એ દર્શાવે છે કે વ્યક્તિગત અને કોર્પોરેટ પ્રયત્નો કેવી રીતે વિશ્વને બદલી શકે છે.

01

તાજેતરમાં દેશની સર્વોચ્ચ ન્યાયાલયે વનતારા વિશેના આક્ષેપો પર તેના તરફેણમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જે આ સેવાપ્રકલ્પની પારદર્શિતા અને કાયદાકીય પાલનને મજબૂતી આપે છે. 15 સપ્ટેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટની બેન્ચ જસ્ટિસ પંકજ મિથલ અને જસ્ટિસ પી.બી. વરાલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રિપોર્ટને નોંધી લીધી અને જણાવ્યું કે વનતારાએ કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી. SIT જેનું નેતૃત્વ પૂર્વ વડા જસ્ટિસ જે. ચેલમેશ્વર કરતા હતા તેમણે 25 ઓગસ્ટ 2025ના રોજ રચાયા પછી વનતારાના કાર્યોની તપાસ કરી. આક્ષેપોમાં પ્રાણીઓની અણધારી ખરીદી, કેદમાં દુર્વ્યવહાર, નાણાકીય અનિયમિતતાઓ અને મની લોન્ડરિંગ જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો જે મીડિયા અને NGOઓ દ્વારા ઉઠાવાયા હતા. પરંતુ SITની તપાસમાં જામનગરમાં ઓનસાઇટ વિઝિટ, રેગ્યુલેટરી અધિકારીઓ સાથેની ચર્ચા અને 13 વોલ્યુમ્સના રેકોર્ડ્સની તપાસ પછી તેમણે સ્પષ્ટ કહ્યું કે વનતારા વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટ, 1972, રેકગ્નિશન ઓફ ઝૂ રુલ્સ, 2009, CZA ગાઇડલાઇન્સ, કસ્ટમ્સ એક્ટ અને CITES કન્વેન્શનનું પૂરું પાલન કરે છે.

કોર્ટે જણાવ્યું કે પ્રાણીઓની કેર સ્ટાન્ડર્ડ્સ CZA અને વૈશ્વિક માનકોને મેળવે છે અને મોર્ટાલિટી રેટ આંતરરાષ્ટ્રીય સરેરાશ સાથે મેળ છે. વનતારા મંદિરના હાથીઓના સ્થાનાંતરણમાં પણ કોઈ ભૂલ નથી. આ ચુકાદો વનતારાના કાર્યોને 'ક્લીન ચિટ' આપે છે અને તેને કાયદાકીય માન્યતા પૂરી પાડે છે. 

04

વનતારા પર કેટલાક આક્ષેપો થયા હતા જેમ કે તેના વિસ્તાર, પ્રાણીઓની મેળવણી અને કાર્યપ્રણાલી વિશેના સવાલો. આ આક્ષેપોનો દુરુપયોગ કરીને આ ઉમદા સેવાને કલંકિત કરવાના પ્રયાસો નિંદનીય છે. વનતારા જેવા પ્રકલ્પોને વગોવવાની જગ્યાએ આપણે તેને બિરદાવીએ અને તેના યોગદાનને માન આપીએ. આ સેવાકીય હવનમાં હાડકાં નાખવા વાળી રાક્ષસી માનસિકતાને પ્રોત્સાહન ન આપી વન્યજીવ, પ્રકૃતિ અને સેવાની કદર કરીએ. વનતારા જેવા પ્રયાસો દ્વારા આપણે પર્યાવરણીય સંતુલન જાળવી શકીએ છીએ જે ભવિષ્ય પેઢીઓ માટે આશીર્વાદરૂપ છે. 

વિશેષમાં અંબાણી પરિવાર મુખ્યતઃ મુકેશ અંબાણી, નીતા અંબાણી અને અનંત અંબાણીનો હૃદયપૂર્વક આભાર માનીએ. તેમની નિઃસ્વાર્થ મહેનત અને વિઝનને કારણે વનતારા જેવું અદ્ભુત સેવાકેન્દ્ર ઉભું થયું છે જે હજારો જીવોને નવું જીવન આપે છે. તેમના આ યોગદાનને ગર્વ સાથે આવકારીએ અને તેને આગળ વધારવા માટે સમર્થન આપીએ. વનતારા એક સેવા સંદેશ આપે છે કે સેવા અને સંરક્ષણથી વિશ્વને સુધારી શકાય છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.