‘ચૂંટણીમાંથી નામ પાછી લઈ રહી છું...’, આખરે ભાજપના ઉમેદવાર પૂજા મોરે ધ્રૂસકે-ધ્રૂસકે કેમ રડી પડ્યા?

મહારાષ્ટ્રમાં થનારી આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે તમામ પક્ષો જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. આ દરમિયાન પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની ખૂબ ચર્ચામાં છે, અને તેનું કારણ ભાજપ નેતા પૂજા મોરે છે. સતત થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને કારણે પાર્ટીના ઉમેદવાર પૂજા મોરેએ અચાનક પોતાનું નામાંકન પાછું ખેંચવું પડ્યું. તેમણે રડતા-રડતા આ જાહેરાત કરી. પૂજા મોરેએ કહ્યું કે તેમણે આખરે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ દ્વારા પૂજા મોરેને ટિકિટ આપવામાં આવી હતી, ત્યારબાદ તેઓ સતત ટીકાનો ભોગ બની રહ્યા હતા. ભાજપના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર પણ ટીકા થઈ હતી.

શું છે આખો મામલો?

ભાજપમાં જોડાતા પહેલા પૂજા મોરે શરદ પવારની આગેવાની હેઠળની NCP સાથે જોડાયેલા હતા. મરાઠા આંદોલન દરમિયાન પૂજા મોરેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું હતું. આ બધું હોવા છતા જ્યારે ભાજપે પૂજા મોરેને ટિકિટ આપી, ત્યારે સોશિયલ મીડિયા પર પાર્ટી હાઇકમાન્ડ પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા. પૂજા મોરે 8 મહિના પહેલા લગ્ન બાદ પુણે રહેવા ગયા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સક્રિયપણે ભાગ લીધો હતો. રાહુલ ગાંધીની મુલાકાત દરમિયાન તેમની તસવીરોને લોકો ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે.

puja-more
punekarnews.in

પહેલગામની ઘટના દરમિયાન, પૂજા મોરે અને તેમના પતિ ધનંજય જાધવે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ હુમલાને હિન્દુ-મુસ્લિમ મુદ્દા તરીકે ન જોવો જોઈએ. પૂજા મોરેના નિવેદન બાદ, ભાજપ અને હિન્દુત્વ સંગઠનોમાં ઘણા લોકોએ તેમને રાષ્ટ્રવિરોધી ગણાવ્યા હતા. સતત ટ્રોલિંગ બાદ, પૂજા મોરે મીડિયા સામે આવીને સ્પષ્ટતા આપી હતી. આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે પહેલગામ હુમલા દરમિયાન ઘણા લોકો તેમના રૂમમાં છુપાયેલા હતા, પરંતુ પૂજા મોરે અને તેમના પતિએ બહાર આવીને મદદ કરી.

પૂજા મોરેએ જણાવ્યું હતું કે મરાઠા અનામત આંદોલન દરમિયાન વાયરલ થયેલ ઉશ્કેરણીજનક નિવેદન તેમનું નહોતું. તેમણે ક્યારેય દેવેન્દ્ર ફડણવીસ બાબતે ખરાબ વાત કરી નથી; અન્ય એક મહિલાના નિવેદનને તોડીમરોડીનેને તેમના નામ સાથે જોડી દેવામાં આવ્યું હતું. પૂજા મોરેના પતિ ધનંજય જાધવે સમગ્ર મામલાને કાવતરું ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે વોર્ડ નંબર-2માં એક નકલી મીડિયા એજન્સી પૂજા મોરેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે, અને જેના તેમની પાસે પુરાવા છે. ધનંજયે દાવો કર્યો હતો કે આ એજન્સી NCP કાર્યકર ચલાવે છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

અમદાવાદના બહુચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ...
Gujarat 
અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.