‘ચૂંટણીમાંથી નામ પાછી લઈ રહી છું...’, આખરે ભાજપના ઉમેદવાર પૂજા મોરે ધ્રૂસકે-ધ્રૂસકે કેમ રડી પડ્યા?

મહારાષ્ટ્રમાં થનારી આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે તમામ પક્ષો જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. આ દરમિયાન પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની ખૂબ ચર્ચામાં છે, અને તેનું કારણ ભાજપ નેતા પૂજા મોરે છે. સતત થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને કારણે પાર્ટીના ઉમેદવાર પૂજા મોરેએ અચાનક પોતાનું નામાંકન પાછું ખેંચવું પડ્યું. તેમણે રડતા-રડતા આ જાહેરાત કરી. પૂજા મોરેએ કહ્યું કે તેમણે આખરે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ દ્વારા પૂજા મોરેને ટિકિટ આપવામાં આવી હતી, ત્યારબાદ તેઓ સતત ટીકાનો ભોગ બની રહ્યા હતા. ભાજપના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર પણ ટીકા થઈ હતી.

શું છે આખો મામલો?

ભાજપમાં જોડાતા પહેલા પૂજા મોરે શરદ પવારની આગેવાની હેઠળની NCP સાથે જોડાયેલા હતા. મરાઠા આંદોલન દરમિયાન પૂજા મોરેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું હતું. આ બધું હોવા છતા જ્યારે ભાજપે પૂજા મોરેને ટિકિટ આપી, ત્યારે સોશિયલ મીડિયા પર પાર્ટી હાઇકમાન્ડ પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા. પૂજા મોરે 8 મહિના પહેલા લગ્ન બાદ પુણે રહેવા ગયા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સક્રિયપણે ભાગ લીધો હતો. રાહુલ ગાંધીની મુલાકાત દરમિયાન તેમની તસવીરોને લોકો ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે.

puja-more
punekarnews.in

પહેલગામની ઘટના દરમિયાન, પૂજા મોરે અને તેમના પતિ ધનંજય જાધવે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ હુમલાને હિન્દુ-મુસ્લિમ મુદ્દા તરીકે ન જોવો જોઈએ. પૂજા મોરેના નિવેદન બાદ, ભાજપ અને હિન્દુત્વ સંગઠનોમાં ઘણા લોકોએ તેમને રાષ્ટ્રવિરોધી ગણાવ્યા હતા. સતત ટ્રોલિંગ બાદ, પૂજા મોરે મીડિયા સામે આવીને સ્પષ્ટતા આપી હતી. આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે પહેલગામ હુમલા દરમિયાન ઘણા લોકો તેમના રૂમમાં છુપાયેલા હતા, પરંતુ પૂજા મોરે અને તેમના પતિએ બહાર આવીને મદદ કરી.

પૂજા મોરેએ જણાવ્યું હતું કે મરાઠા અનામત આંદોલન દરમિયાન વાયરલ થયેલ ઉશ્કેરણીજનક નિવેદન તેમનું નહોતું. તેમણે ક્યારેય દેવેન્દ્ર ફડણવીસ બાબતે ખરાબ વાત કરી નથી; અન્ય એક મહિલાના નિવેદનને તોડીમરોડીનેને તેમના નામ સાથે જોડી દેવામાં આવ્યું હતું. પૂજા મોરેના પતિ ધનંજય જાધવે સમગ્ર મામલાને કાવતરું ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે વોર્ડ નંબર-2માં એક નકલી મીડિયા એજન્સી પૂજા મોરેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે, અને જેના તેમની પાસે પુરાવા છે. ધનંજયે દાવો કર્યો હતો કે આ એજન્સી NCP કાર્યકર ચલાવે છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત તરફ આવતા થાઈલેન્ડના જહાજ પર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હુમલો

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં બુધવારે એક મોટી દરિયાઈ દુર્ઘટના ઘટી છે. થાઈલેન્ડનો ધ્વજ ધરાવતું અને ગુજરાત તરફ આવી રહેલું એક માલવાહક...
World 
ગુજરાત તરફ આવતા થાઈલેન્ડના જહાજ પર સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હુમલો

ગોપાલના આરોપો.. ભાજપે રાજકોટ અને સુરતમાં ઔદ્યોગિક કંપનીઓના 1100 કરોડ માફ કર્યા છે પણ...

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને વિસાવદર બેઠકના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચૂંટાયા બાદ ગુજરાતમાં ખૂબ જ સક્રિય દેખાઈ...
Gujarat 
ગોપાલના આરોપો.. ભાજપે રાજકોટ અને સુરતમાં ઔદ્યોગિક કંપનીઓના 1100 કરોડ માફ કર્યા છે પણ...

નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!

નિર્લિપ્ત રાયનું નામ આવતા જ ગુનેગારોમાં તો ફફડાટ ફેલાઇ જ જાય છે પરંતુ તેમનાથી નેતાઓ અને તેમના ડિપાર્ટમેન્ટની પોલીસ પણ...
Opinion 
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!

દેશમાં પહેલીવાર કોર્ટે હરીશ રાણાને ઈચ્છામૃ*ત્યુની મંજૂરી આપી, એવી છે કહાની કે જજ પણ રડી પડ્યા

ગાઝિયાબાદના હરીશ રાણાને સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઈચ્છામૃ*ત્યુની મંજૂરી આપી છે. દેશમાં આ પહેલો એવો કેસ છે જેમાં ઈચ્છામૃ*ત્યુની મંજૂરી આપવામાં...
National 
દેશમાં પહેલીવાર કોર્ટે હરીશ રાણાને ઈચ્છામૃ*ત્યુની મંજૂરી આપી, એવી છે કહાની કે જજ પણ રડી પડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.