‘ચૂંટણીમાંથી નામ પાછી લઈ રહી છું...’, આખરે ભાજપના ઉમેદવાર પૂજા મોરે ધ્રૂસકે-ધ્રૂસકે કેમ રડી પડ્યા?

મહારાષ્ટ્રમાં થનારી આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે તમામ પક્ષો જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. આ દરમિયાન પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની ખૂબ ચર્ચામાં છે, અને તેનું કારણ ભાજપ નેતા પૂજા મોરે છે. સતત થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને કારણે પાર્ટીના ઉમેદવાર પૂજા મોરેએ અચાનક પોતાનું નામાંકન પાછું ખેંચવું પડ્યું. તેમણે રડતા-રડતા આ જાહેરાત કરી. પૂજા મોરેએ કહ્યું કે તેમણે આખરે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપ દ્વારા પૂજા મોરેને ટિકિટ આપવામાં આવી હતી, ત્યારબાદ તેઓ સતત ટીકાનો ભોગ બની રહ્યા હતા. ભાજપના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર પણ ટીકા થઈ હતી.

શું છે આખો મામલો?

ભાજપમાં જોડાતા પહેલા પૂજા મોરે શરદ પવારની આગેવાની હેઠળની NCP સાથે જોડાયેલા હતા. મરાઠા આંદોલન દરમિયાન પૂજા મોરેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું હતું. આ બધું હોવા છતા જ્યારે ભાજપે પૂજા મોરેને ટિકિટ આપી, ત્યારે સોશિયલ મીડિયા પર પાર્ટી હાઇકમાન્ડ પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા. પૂજા મોરે 8 મહિના પહેલા લગ્ન બાદ પુણે રહેવા ગયા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સક્રિયપણે ભાગ લીધો હતો. રાહુલ ગાંધીની મુલાકાત દરમિયાન તેમની તસવીરોને લોકો ખૂબ જ ટ્રોલ કરી રહ્યા છે.

puja-more
punekarnews.in

પહેલગામની ઘટના દરમિયાન, પૂજા મોરે અને તેમના પતિ ધનંજય જાધવે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ હુમલાને હિન્દુ-મુસ્લિમ મુદ્દા તરીકે ન જોવો જોઈએ. પૂજા મોરેના નિવેદન બાદ, ભાજપ અને હિન્દુત્વ સંગઠનોમાં ઘણા લોકોએ તેમને રાષ્ટ્રવિરોધી ગણાવ્યા હતા. સતત ટ્રોલિંગ બાદ, પૂજા મોરે મીડિયા સામે આવીને સ્પષ્ટતા આપી હતી. આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે પહેલગામ હુમલા દરમિયાન ઘણા લોકો તેમના રૂમમાં છુપાયેલા હતા, પરંતુ પૂજા મોરે અને તેમના પતિએ બહાર આવીને મદદ કરી.

પૂજા મોરેએ જણાવ્યું હતું કે મરાઠા અનામત આંદોલન દરમિયાન વાયરલ થયેલ ઉશ્કેરણીજનક નિવેદન તેમનું નહોતું. તેમણે ક્યારેય દેવેન્દ્ર ફડણવીસ બાબતે ખરાબ વાત કરી નથી; અન્ય એક મહિલાના નિવેદનને તોડીમરોડીનેને તેમના નામ સાથે જોડી દેવામાં આવ્યું હતું. પૂજા મોરેના પતિ ધનંજય જાધવે સમગ્ર મામલાને કાવતરું ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે વોર્ડ નંબર-2માં એક નકલી મીડિયા એજન્સી પૂજા મોરેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે, અને જેના તેમની પાસે પુરાવા છે. ધનંજયે દાવો કર્યો હતો કે આ એજન્સી NCP કાર્યકર ચલાવે છે.

About The Author

Top News

લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના ફેશન અને ટેલેન્ટ શોમાં દિવ્યાંગ પ્રતિભાઓનું ભવ્ય પ્રદર્શન

સુરત: શહેરના વનિતા વિશ્રામ કોલેજના બાજીગૌરી એર થિયેટર ખાતે લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ દિવ્યાંગ પ્રતિભાઓ માટે ફેશન...
Gujarat 
લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના ફેશન અને ટેલેન્ટ શોમાં દિવ્યાંગ પ્રતિભાઓનું ભવ્ય પ્રદર્શન

AM/NS Indiaએ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો

હજીરા-સુરત, ગુજરાત, ફેબ્રુઆરી 16, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના વેલ્યુ એડેડ સ્ટીલ પોર્ટફોલિયોને વધુ મજબૂત...
Gujarat 
AM/NS Indiaએ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો

ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

(ઉત્કર્ષ પટેલ)  આપણો દેશ ભારત અનેક પ્રકારની તડકી છાયડી જોયા પછી આજે સ્વતંત્ર હોવાના ગર્વ અને વિકસિત ભારતના વિચારો સાથે...
Opinion 
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે

(ઉત્કર્ષ પટેલ) આજના ઝડપી અને તણાવભર્યા યુગમાં જ્યાં યુવાનોનું જીવન સ્ક્રીન, સ્પર્ધા અને અનિયમિતતાથી ભરેલું છે ત્યાં એક અદભૂત પરિવર્તન...
Opinion 
અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.