જ્યોતિરાદિત્ય સિંધિયાએ જાહેરસભામાં પુછ્યું જય-વીરુ કોણ હતા? જવાબ મળ્યો ચોર

મધ્ય પ્રદેશમાં 17 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી થવાની છે એ પહેલાં રાજ્યના રાજકારણમાં શોલેના ગબ્બર, જય-વીરુની એન્ટ્રી થઇ ચૂકી છે. કોંગ્રેસે કમલનાથ અને દિગ્વિજ સિંહને જય-વીરુની જોડી બતાવ્યા હતા. તો કમલ નાથે સોશિયલ મીડિયા પર શિવરાજ સિંહ ચૌહાણને ગબ્બર બતાવી દીધા હતા. હવે જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ જય-વીરુની વાત છેડી હતી.

કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાસંદ જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના સમર્થક અને મૈહર વિધાનસભા પરથી ભાજપના ઉમેદવાર શ્રીકાંત ચતુર્વેદી માટે જાહેરસભાને સંબોધન કરી રહ્યા હતા. તેમણે સભાને સવાલ કર્યો કે જય-વીરુ કોણ હતા? તો એક સાથે શ્રોતાઓએ જવાબ આપ્યો હતો કે ચોર હતા.

તાજેતરમાં કોગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કમલનાથ અને દિગ્વિજય સિંહને જય-વીરુની જોડી બતાવ્યા હતા. એના પર સિંધિયાએ પણ સ્ટેજ પરથી મજા લીધી હતી.

જાહેરસભાને સંબોધતી વખતે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઇશાર ઇશારામાં કમલનાથ અને દિગ્વિજય સિંહની ટીખળ પણ કરી લીધી હતી. સિંધિયાએ કહ્યુ કે, એક પૂર્વ મુખ્યમંત્રીએ બીજા પૂર્વ મુખ્યમંત્રીને અપશબ્દો સાંભળવાનો પાવર ઓફ એર્ટની આપી દીધો છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસમાં એવું છે કે જો તમને ટિકીટથી સંતોષ નથી તો જઇને પૂર્વ મુખ્યમંત્રીના કપડા ફાડો.

સિંધિયાએ કહ્યુ કે મધ્ય પ્રદેશ આવીને કોંગ્રેસ મહાસચિવે કહ્યુ કે કમલનાથ અને દિગ્વિજય તો જય-વીરુની જોડી છે. એ પછી તેમણે લોકોને પુછ્યું કે કેટલાં લોકોએ શોલે ફિલ્મ જોઇ છે? શોલેમાં જય-વીરુનો રોલ શું હતો? લોકોએ એક સાથે જવાબ આપ્યો કે ચોર હતા.

લોકોનો જવાબ સાંભળીને ફોર્મમાં આવી ગયેલા સિંધિયાએ કહ્યુ કે આ પબ્લિક છે જે બધું જ જાણે છે. સાથે જ સિંધિયાએ કૌન બનેગા કરોડપતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમિતાભ બચ્ચનનો રિયાલિટી શો KBC બધા જોતા હશો. અમે કહીએ છીએ કે ખેડુત બનશે કરોડપતિ અને કોંગ્રેસ કહે છે કે નેતા બનશે કરોડપતિ.

મૈહર પહોંચીને મા શારદાના દર્શન કર્યા પછી જ્યોતિરાદિત્યએ મીડિયાને કહ્યું, સિંધિયા પરિવારને ખુરશીની રેસમાં સામેલ ન કરો. સિંધિયા પરિવાર વિકાસ, પ્રગતિ અને જનસેવાના જુસ્સા સાથે દિવસ-રાત કામ કરે છે. કોંગ્રેસની આ જ ઝંખના છે, કોંગ્રેસ જય બની જાય, કોંગ્રેસ વીરુ બની જાય. સિંધિયાએ કહ્યુ કે ન તો અમે અભિનેતા બનવા માંગીએ છીએ, ન તો નેતા બનવા માંગીએ છીએ, ન તો અમે અભિનેત્રી સાથે ઉભા રહીએ છીએ, અમે તો માત્ર લોકોના દિલમાં વસવા માંગીએ છીએ. સિંધિયાએ કહ્યુ કે મધ્ય પ્રદેશમાં પૂર્ણ બહુમતી સાથે ભાજપ સરકાર બનાવશે.

Related Posts

Top News

હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

રાહુલ ગાંધીની અત્યાર સુધી કોંગ્રેસ નેતાઓએ ચાપલૂસી કરી હોય તેવી વાત સામે નહોતી આવી, પરંતુ લાગે  છે કે સામાન્ય...
Politics 
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને જનસૂરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર એક જ રસ્તાના મુસાફર બની ગયા હોય એવું...
Politics 
અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટેસ્ટ સિરીઝની પાંચમી અને નિર્ણાયક મેચ  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ છે. આ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર...
Sports 
ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?

ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર 25 ટકા ટેરિફ નાંખવાની અને 1 ઓગસ્ટથી અમલ કરવાની જાહેરાત કરી. ટ્રમ્પના આ ટેરિફની સૌથી...
Business 
ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.