ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંદૂર મામલે સંસદમાં પાકિસ્તાનને ખૂલ્લું પાડી દીધું

ભારતે પહેલગામ હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર ચલાવ્યું. આ અંતર્ગત પાકિસ્તાનમાં જૈશ અને લશ્કરના આતંકવાદી ઠેકાણાઓને તબાહ કરી દેવામાં આવ્યા. ઓપરેશન મહાદેવ હેઠળ પહેલગામના આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ દરમિયાન, કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે દાવો કર્યો હતો કે, આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હોવાના કોઈ પુરાવા નથી. તેના પર આજે અમિત શાહે સંસદમાં જવાબ આપ્યો હતો. અમિત શાહે પહેલગામના આતંકવાદીઓના પાકિસ્તાન કનેક્શનના 3 પુરાવા બતાવ્યા અને પી ચિદમ્બરમનું નામ લઈને તેમને ખૂબ સંભળાવ્યું.

અમિત શાહે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓની પાકિસ્તાની હોવા પર સવાલ ઉઠાવતા કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમની ટિપ્પણીનો જબરદસ્ત જવાબ આપ્યો. તેમણે કહ્યું કે સરકાર પાસે નક્કર પુરાવા છે કે તેઓ પાકિસ્તાનથી આવ્યા હતા. તેમણે કહ્યું કે અમારી પાસે તેમના વોટર ID નંબર છે. પહેલગામ હુમલામાં ઉપયોગ કરવામાં આવેલી રાઇફલ્સ અને કારતૂસ પાકિસ્તાનમાં બની હતી.

amit-shah
deccanherald.com

આતંકીઓ પાકિસ્તાની હોવાના 3 પુરાવા

1. પાકિસ્તાની વૉટર ID નંબર

2. પાકિસ્તાની ચોકલેટ

3. પાકિસ્તાની હથિયાર- રાઇફલ

અમિત શાહે બતાવ્યા એ 3 પુરાવા

અમિત શાહે પાકિસ્તાની ચોકલેટ, પાકિસ્તાની વૉટર ID અને પાકિસ્તાની રાઇફલનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ નેતાની બોલતી બંધ કરી દીધી. અમિત શાહે કહ્યું કે, ‘ઓપરેશન મહાદેવમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાની વોટર ID કાર્ડ, રાઇફલ અને પાકિસ્તાની ચોકલેટ મળી છે. આ બધી વિગતો આપણી સામે છે. છતા, દેશના પૂર્વ ગૃહમંત્રી પાકિસ્તાનને ક્લીનચીટ કેમ આપી રહ્યા છે? તેમણે પી. ચિદમ્બરમનું નામ લઈને કહ્યું કે જો તેમણે કહ્યું કે આતંકવાદીઓ પાકિસ્તાનના નહોતા, તો પછી આપણે પાકિસ્તાન પર હુમલો કેમ કર્યો?

amit-shah2
businesstoday.in

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 'ગઈકાલે તેઓ (કોંગ્રેસ) અમને પૂછી રહ્યા હતા કે આતંકવાદીઓ ક્યાંથી આવ્યા અને તેના માટે કોણ જવાબદાર છે. તેમાં કોઈ શંકા નથી કે, તે અમારી જવાબદારી છે કારણ કે અમે સત્તામાં છીએ. 'ચિદમ્બરમજીએ સવાલ ઉઠાવ્યો કે, આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હોવાના પુરાવા શું છે? હું તેમને પૂછવા માગુ છું કે પાકિસ્તાનને બચાવીને તેમને શું મળશે. જ્યારે તેઓ આમ કહે છે, તો તેનો અર્થ એ છે કે તેઓ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યા છે.જ્યારે અમિત શાહ સંસદમાં ઓપરેશન મહાદેવનો ઉલ્લેખ કરી રહ્યા હતા, ત્યારે સંસદ હર હર મહાદેવનો નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.