ગૃહમંત્રી અમિત શાહે ઓપરેશન સિંદૂર મામલે સંસદમાં પાકિસ્તાનને ખૂલ્લું પાડી દીધું

ભારતે પહેલગામ હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર ચલાવ્યું. આ અંતર્ગત પાકિસ્તાનમાં જૈશ અને લશ્કરના આતંકવાદી ઠેકાણાઓને તબાહ કરી દેવામાં આવ્યા. ઓપરેશન મહાદેવ હેઠળ પહેલગામના આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ દરમિયાન, કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે દાવો કર્યો હતો કે, આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હોવાના કોઈ પુરાવા નથી. તેના પર આજે અમિત શાહે સંસદમાં જવાબ આપ્યો હતો. અમિત શાહે પહેલગામના આતંકવાદીઓના પાકિસ્તાન કનેક્શનના 3 પુરાવા બતાવ્યા અને પી ચિદમ્બરમનું નામ લઈને તેમને ખૂબ સંભળાવ્યું.

અમિત શાહે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચામાં ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓની પાકિસ્તાની હોવા પર સવાલ ઉઠાવતા કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમની ટિપ્પણીનો જબરદસ્ત જવાબ આપ્યો. તેમણે કહ્યું કે સરકાર પાસે નક્કર પુરાવા છે કે તેઓ પાકિસ્તાનથી આવ્યા હતા. તેમણે કહ્યું કે અમારી પાસે તેમના વોટર ID નંબર છે. પહેલગામ હુમલામાં ઉપયોગ કરવામાં આવેલી રાઇફલ્સ અને કારતૂસ પાકિસ્તાનમાં બની હતી.

amit-shah
deccanherald.com

આતંકીઓ પાકિસ્તાની હોવાના 3 પુરાવા

1. પાકિસ્તાની વૉટર ID નંબર

2. પાકિસ્તાની ચોકલેટ

3. પાકિસ્તાની હથિયાર- રાઇફલ

અમિત શાહે બતાવ્યા એ 3 પુરાવા

અમિત શાહે પાકિસ્તાની ચોકલેટ, પાકિસ્તાની વૉટર ID અને પાકિસ્તાની રાઇફલનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ નેતાની બોલતી બંધ કરી દીધી. અમિત શાહે કહ્યું કે, ‘ઓપરેશન મહાદેવમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાની વોટર ID કાર્ડ, રાઇફલ અને પાકિસ્તાની ચોકલેટ મળી છે. આ બધી વિગતો આપણી સામે છે. છતા, દેશના પૂર્વ ગૃહમંત્રી પાકિસ્તાનને ક્લીનચીટ કેમ આપી રહ્યા છે? તેમણે પી. ચિદમ્બરમનું નામ લઈને કહ્યું કે જો તેમણે કહ્યું કે આતંકવાદીઓ પાકિસ્તાનના નહોતા, તો પછી આપણે પાકિસ્તાન પર હુમલો કેમ કર્યો?

amit-shah2
businesstoday.in

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, 'ગઈકાલે તેઓ (કોંગ્રેસ) અમને પૂછી રહ્યા હતા કે આતંકવાદીઓ ક્યાંથી આવ્યા અને તેના માટે કોણ જવાબદાર છે. તેમાં કોઈ શંકા નથી કે, તે અમારી જવાબદારી છે કારણ કે અમે સત્તામાં છીએ. 'ચિદમ્બરમજીએ સવાલ ઉઠાવ્યો કે, આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હોવાના પુરાવા શું છે? હું તેમને પૂછવા માગુ છું કે પાકિસ્તાનને બચાવીને તેમને શું મળશે. જ્યારે તેઓ આમ કહે છે, તો તેનો અર્થ એ છે કે તેઓ પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યા છે.જ્યારે અમિત શાહ સંસદમાં ઓપરેશન મહાદેવનો ઉલ્લેખ કરી રહ્યા હતા, ત્યારે સંસદ હર હર મહાદેવનો નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો.

About The Author

Related Posts

Top News

હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો થવા પામ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ...
Business 
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે મોટો નિર્ણય લેવા માટે તૈયાર છે. તેઓ વૈભવ સૂર્યવંશીને...
Sports 
વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

ભારત સરકારે સોમવારે જાહેર કર્યું કે વર્ષ 2026માં દેશમાં ચોમાસુ વરસાદ સામાન્ય કરતાં નબળો રહેવાની સંભાવના છે. આ ત્રણ વર્ષમાં...
National 
ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?

દેશની રાજકીય વ્યવસ્થામાં ધરખમ ફેરફાર લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વકાંક્ષી પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ અંતર્ગત...
National 
લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.