શપથગ્રહણ સમારોહ અગાઉ BJP-JDUમાં ખેંચતાણ, આ વિભાગો પર બંને પાર્ટીઓ કરી રહી છે દાવેદારી

બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી જીત બાદ NDA સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. દિલ્હીથી પટના સુધી બેઠકો ચાલી રહી છે. સ્પીકર અને મંત્રીઓના નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન એવા અહેવાલો સામે આવ્યા છે કે ભાજપ અને JDU વચ્ચે સ્પીકર પદને લઈને ખેંચતાણ ચાલી રહી છે. બંને પાર્ટીઓ સ્પીકર પદ પોતાની પાસે રાખવા માગે છે. JDUના નેતા સંજય ઝા અને લલન સિંહ આ બાબતે ચર્ચા કરવા માટે દિલ્હી પહોંચ્યા છે. ગૃહ વિભાગ અને નાણાં વિભાગ પર પણ બંને પાર્ટીઓ દાવા કરી રહી છે. જોકે, શપથ ગ્રહણ સમારોહ અગાઉ દિલ્હીમાં આ વિવાદને ઉકેલવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં એક ભવ્ય શપથ ગ્રહણ સમારોહ થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ અને NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપશે. વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી જ સત્તાની રચનાને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે, અને સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી સરકારની રૂપરેખા લગભગ નક્કી થઈ ગઈ છે. શપથ ગ્રહણ સમારોહની સંભાવિત તારીખ પણ જાહેર કરવામાં આવી છે. નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની નવી સરકાર ગુરુવાર 20 નવેમ્બરના રોજ શપથ લેશે.

NDA
livehindustan.com

NDA ગઠબંધનમાં મંત્રાલયો વહેચણી પર પણ સહમતી બની ગઈ છે અંતિમ સ્વરૂપ આપી દીધું છે. દર 6 ધારાસભ્યો પર એક મંત્રી પદનો ફોર્મ્યૂલા લાગૂ કરી શકાય છે. તેના આધારે સહયોગી દળોના ક્વોટા નક્કી કરવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર 20 નવેમ્બરના રોજ નીતિશ કુમાર સાથે 20 મંત્રીઓ શપથ લઈ શકે છે, ત્યારબાદ  વધુ14 મંત્રીઓ બનાવવામાં આવશે. એટલે કે નીતિશ કુમારની સરકારમાં કુલ 34 મંત્રીઓ હશે.

ભાજપના ક્વોટામાંથી 15

JDUના ક્વોટામાંથી 14 (મુખ્યમંત્રી સહિત)

LJP (R)ના ક્વોટામાંથી 3

HAMના ક્વોટામાંથી 1

RLMના ક્વોટામાંથી 1

NDA1
indiatv.in

JDU અને ભાજપ વચ્ચે સ્પીકર, ગૃહ અને નાણાં વિભાગોને લઈને ખેચતાણ છે. જો LJPને નાયબ મુખ્યમંત્રી પદ મળે છે, તો તેની પાસે બે મંત્રીઓ હશે. શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી સાથે 20 મંત્રીઓ શપથ ગ્રહણ કરી શકે છે. મંત્રીમંડળનું વિસ્તરણ બાદમાં થશે. શપથ ગ્રહણ સમારોહ બાદ 24 થી 28 નવેમ્બર સુધી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવી શકે છે. સત્ર દરમિયાન, સરકાર ગૃહમાં પોતાની બહુમતી સાબિત કરશે.

About The Author

Related Posts

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.