નીતિશ કુમાર જરૂરી કે મજબૂરી, NDAમાં નવા ગઠબંધનની આહટ? JDUએ ટ્વીટ કર્યા બાદ તરત જ ડીલિટ કરી નાખી

બિહાર વિધાનસભા ચૂંટણી બાદ, 14 નવેમ્બરે પરિણામ પણ આવી ગયા. NDAએ 202 બેઠકો સાથે પ્રચંડ જીત મેળવી છે. BJP સૌથી વધુ બેઠકો જીતી છે, ત્યારબાદ નીતિશ કુમારની JDU આવે છે. નીતિશની પાર્ટી, જનતા દળ (યુનાઇટેડ)એ 85 બેઠકો જીતી છે, તો RJD બેઠકો જીતવાના મામલે ત્રીજા નંબર પર રહી, તેને 25 બેઠકો મળી છે. પરંતુ આ દરમિયાન એક નવી વાત સામે આવી રહી છે કે, શું JDUની વિરુદ્ધ NDA નવું ગઠબંધન બનાવી શકે છે?

એવી પણ અટકળો છે કે NDA નીતિશ કુમાર વિના બિહારમાં સરકાર બનાવી શકે છે, જેમાં ભાજપ, ચિરાગ પાસવાનની LJP, માંઝીની HAM અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી સામેલ હશે. નીતિશ કુમારને મુખ્યમંત્રી નહીં બનાવી શકાય. આ અટકળોને ત્યારે વેગ મળ્યો જ્યારે JDUએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે નીતિશ કુમાર CM બનશે તેવી વાત પોસ્ટ કરી, પરંતુ થોડા સમય બાદ પોસ્ટ ડીલીટ કરી નાખી.

nitish-kumar2
indiatv.in

નીતિશ કુમારનની પાર્ટી JDUના X હેન્ડલ પરા તેમની એક તસવીર શેર કરવામાં આવી હતી અને તેનું કેપ્શન હતું- ‘ન ભૂતો ન ભવિષ્યતિ... નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી હતા, છે અને રહેશે. આ અગાઉ, પટનામાં પાર્ટી મુખ્યાલયની સામે એક પોસ્ટરમાં નીતિશ કુમારને લઈને કહેવામાં આવ્યું હતું કે, ‘ટાઇગર અભિ જિંદા હૈ.

શું હોય શકે છે NDAનું નવું સમીકરણ શું હોઈ શકે?

બિહારમાં આપણે જે નવા સમીકરણ વિશે વાત કરી રહ્યા છીએ તે નીતિશ વિના NDA સરકાર છે. એટલે કે પહેલી વખત ભાજપ બિહારમાં ભાજપનો પોતાના મુખ્યમંત્રી બનાવી શકે છે. હાલમાં આંકડા તો એવા જ સંકેત આપી રહ્યા છે, ભાજપે 89 બેઠકો જીતી છે, તો JDUને 85 બેઠકો મળી, ચિરાગની પાર્ટી, LJP(R)ને 19 બેઠકો, માંઝીની પાર્ટી HAMને 5 બેઠકો અને કુશવાહાની પાર્ટી, RLM, 4 બેઠકો મળી છે.

નીતિશ વિના નંબર જોઈએ તો ભાજપની 89 બેઠકો + ચિરાગની LJP ®ની 19 બેઠકો + માંઝી (HAM)ની 5 બેઠકો + કુશવાહાની (RLM) 4 બેઠકો = 117 બેઠકો.

nitish-kumar
deccanchronicle.com

આનું કારણ એ છે કે બહુમતી માટે 122 બેઠકોની જરૂર છે. વર્તમાન ડેટા અનુસાર, NDAને નીતિશ વિના માત્ર 5 બેઠકો ઓછી પડે છે. નિષ્ણાતોનું માનવું છે કે ભાજપ કોંગ્રેસના 3 ધારાસભ્યો, ડાબેરીઓના 2 અને BSPના એક ધારાસભ્ય ઉમેરીને તેની સંખ્યા વધારી શકે છે.

અમિત શાહનું નિવેદન શું હતું?

જૂન 2025માં એક ઇન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું હતું કે, ‘બિહારના મુખ્યમંત્રી કોણ હશે તે માત્ર સમય જ નક્કી કરશે, પરંતુ એ સ્પષ્ટ છે કે અમે નીતિશ કુમારના નેતૃત્વમાં આ ચૂંટણીઓ લડીશું. મુખ્યમંત્રી કોણ બનશે તે નક્કી કરનાર હું કોણ છું? ચૂંટણી બધા બધા સહયોગી પાર્ટીઓ સંયુક્ત રીતે ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરશે. જોકે, અમિત શાહે પાછળથી સ્પષ્ટતા કરતા કહ્યું હતું, ‘આમાં કોઈ મૂંઝવણ નથી. હું ફરી એકવાર સ્પષ્ટ કરું છું કે નીતિશ મુખ્યમંત્રી છે અને ચૂંટણી જીત્યા પછી પણ મુખ્યમંત્રી રહેશે.

હવે બીજા સમીકરણ પર નજર કરીએ

જો આપણે બીજા સમીકરણ પર વિચાર કરીએ તો, જો નીતિશ મહાગઠબંધન સાથે જાય છે, તો JDUને 85 બેઠકો, RJDને 25, કોંગ્રેસને 5, ડાબેરીઓને 3 અને અન્યોને 6 બેઠકો મળશે. આને ઉમેરીએ તો કુલ 124 બેઠકો થાય છે. આ રીતે નીતિશ મહાગઠબંધનમાં સામેલ થઇને સરકાર બનાવી શકે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -03-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની...
World 
ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.