દીકરીએ એવી ટિપ્પણી કરી કે CMએ મંત્રી પદ જ લઈ લીધું, મહિલા મંત્રીએ પણ કહી દીધું- મને બળજબરીથી હટાવી, તેઓ...

તેલંગાણાના રાજકારણમાં મોટા ધમાકા વચ્ચે મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ વન મંત્રી કોંડા સુરેખાને તાત્કાલિક અસરથી મંત્રીમંડળમાંથી બરતરફ કરવાનો નિર્ણય લીધો છે. કોંડા સુરેખાની પુત્રી દ્વારા મુખ્યમંત્રી સામે કરાયેલા જાહેર પ્રહારો બાદ આ રાજકીય વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જોકે આ મુદ્દો સપ્તાહો પહેલાં જ કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી પહોંચી ચૂક્યો હતો. ગુરુવારે બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, મંત્રી સુરેખાને પદ પરથી હટાવવા માટેની ભલામણ તેલંગાણાના રાજ્યપાલ શિવપ્રતાપ શુક્લાને મોકલી આપવામાં આવી છે.

મુખ્યમંત્રી દ્વારા બરતરફીની આ ભલામણ એ જ દિવસે સામે આવી છે, જે દિવસે લગભગ બે સપ્તાહ પહેલા સુરેખાએ કોંગ્રેસના પાંચ શીર્ષ નેતાઓને લખેલા પત્રો જાહેર થયા હતા. આ પત્રોમાં તેમણે તેલંગાણા સરકાર સામે અનેક ફરિયાદો ઉઠાવી હતી અને પોતાને રાજકીય તથા વહીવટી રીતે હાંસિયામાં ધકેલી દેવાયા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.

બરતરફીના નિર્ણય પર પ્રતિક્રિયા આપતાં કોંડા સુરેખાએ સ્પષ્ટ કર્યું હતું કે તેમની પાર્ટી બદલવાની કોઈ ઈચ્છા નથી. તેમણે આક્ષેપ કર્યો કે રેવંત રેડ્ડીએ તેમને બળજબરીથી કેબિનેટમાંથી હટાવ્યા છે. મારે પાર્ટી બદલવાનો કોઈ વિચાર નથી. રેવંત રેડ્ડીએ મને બળજબરીથી આ પદ પરથી હટાવી છે.

04

તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જે નેતાઓએ રેવંત રેડ્ડી સામે ગાળો ભાંડી હતી કે તેમની ટીકા કરી હતી તેઓ આજે પણ પદ ભોગવી રહ્યા છે. જે લોકોએ રેવંત રેડ્ડીની ટીકા કરી કે તેમને ભલુંબુરૂં કહ્યું, તેઓ આજે પણ મોટાં પદો ભોગવી રહ્યા છે, તેમણે ઉમેર્યું હતું. સુરેખાએ એ પણ સ્વીકાર્યું કે તેલંગાણા સરકારમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પોતે ધારાસભ્ય તરીકે ચાલુ રહેશે તેમ સ્પષ્ટ કરતાં સુરેખાએ કહ્યું, હું ક્યાંય નથી જઈ રહી. હું કોંગ્રેસમાં જ રહું છું. ધારાસભ્ય તરીકે મારી ફરજ નિભાવીશ અને મારા નેતા તથા પ્રજા પ્રત્યેની જવાબદારી ઉપાડીશ.

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકરો સરકાર સામે તેમના જેવી જ નારાજગી ધરાવે છે, પરંતુ તેઓ ખુલ્લેઆમ બોલતા ડરે છે. દરેક વ્યક્તિ મને સમર્થન આપશે. તેઓ પણ અસંતુષ્ટ છે, પણ કોઈ ખુલ્લેઆમ બોલતું નથી.

સુરેખાના જણાવ્યા મુજબ, કેટલાક લોકોએ તેમને કહ્યું કે તેમની પુત્રી કોંડા સુષ્મિતા પટેલે જાહેરમાં એ જ વાત કહી છે જે પક્ષના અન્ય લોકો કહી શકતા નહોતા. તેમણે મને કહ્યું કે જે વાત તેઓ કહી શક્યા નહીં તે મારી દીકરીએ કહી દીધી. બધા જ આવું અનુભવી રહ્યા છે પરંતુ સરકાર કોઈનું સાંભળતી નથી.

તેમણે ચેતવણી આપી હતી કે જો સરકાર કાર્યકરો અને મંત્રીઓની ચિંતાઓ દૂર નહીં કરે તો આગામી ચૂંટણીમાં રાજકીય પરિણામો ભોગવવા પડશે. જો તેઓ કાર્યકરો અને મંત્રીઓનું સાંભળશે અને પ્રશ્નો ઉકેલશે તો જ આગામી ચૂંટણીમાં સત્તા પર પાછા આવશે, નહીંતર નહીં.

03

દિલ્હી જઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને મળવા અંગે પૂછાતાં તેમણે કહ્યું, ના, હું નહીં મળું... તેઓ મને પાછી નહીં લે. હવે ભવિષ્યમાં શું થાય છે તે જોઈએ.

રેવંત રેડ્ડી દ્વારા વિશ્વાસઘાત થયો હોવાની લાગણી વિશે પૂછાતાં સુરેખાએ ટૂંકો જવાબ આપ્યો હતો: હા.

23 ઓગસ્ટના રોજ લખાયેલા આ પત્રો અલગ-અલગ રીતે AICC પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલ, CPP ચેરપર્સન સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને મોકલવામાં આવ્યા હતા. ગુરુવારે જ્યારે રેવંત રેડ્ડીએ બરતરફીની ભલામણ કરી તે જ સમયે આ પત્રો જાહેરમાં વાયરલ થયા હતા.

આ પત્રોમાં સુરેખાએ આક્ષેપ કર્યો હતો કે એક પછાત વર્ગના મહિલા મંત્રી હોવાના નાતે તેમનું સતત રાજકીય અને વહીવટી રીતે દમન કરવામાં આવી રહ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે તેમના મંત્રાલયો - વન, પર્યાવરણ અને દેવસ્થાન - ને લગતા નિર્ણયો તેમની સાથે ચર્ચા કર્યા વિના સીધા મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ની સૂચનાથી જ લેવાતા હતા. આના કારણે તેમની ભૂમિકા માત્ર નામ પૂરતી રહી ગઈ હતી.

સુરેખાએ આક્ષેપ કર્યો હતો કે દેવસ્થાન મંત્રી હોવા છતાં યાદાદ્રી મંદિર ટ્રસ્ટ બોર્ડની રચના વિશે તેમને જાણ પણ કરવામાં આવી નહોતી. આ ઉપરાંત, સંત સમ્મક્કા-સારલમ્મા મંદિરના વિકાસ માટે તેમના મંત્રાલય દ્વારા મંજૂર કરાયેલી ગ્રાન્ટ તેમની જાણ બહાર એક જ દિવસમાં રોડ અને મકાન વિભાગને ટ્રાન્સફર કરી દેવાઈ હતી.

એટલું જ નહીં, આ વર્ષે શ્રી રામનવમીની રાજ્ય સરકારની સત્તાવાર જાહેરાતોમાંથી તેમનો ફોટો પણ હટાવી દેવાયો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.

સુરેખાએ પોતાના પૂર્વ OSD સુમંતનો મુદ્દો ઉઠાવતાં કહ્યું કે તેમને પણ જાણ કર્યા વિના પદ પરથી હટાવી દેવાયા હતા. ત્યારબાદ પોલીસ તેમના સત્તાવાર નિવાસસ્થાને સુમંતની અટકાયત કરવા આવી હતી અને હવે તેમના પર પુરાવા વગરનો બીજો બિનજામીનપાત્ર કેસ ઠોકી બેસાડાયો છે. પોતાના મતવિસ્તાર 'વારંગલ ઈસ્ટ' વિશે સુરેખાએ જણાવ્યું કે પાડોશી મતવિસ્તારો માટે મંજૂર કરાયેલી ગ્રાન્ટ તેમના વિસ્તારના પ્રોજેક્ટો માટે આપવામાં આવતી નહોતી. વારંગલ સ્માર્ટ સિટી મોડેલ બસ સ્ટેન્ડ અને બોંડી વાગુ વિસ્તરણ કામોમાં વિલંબ થતો હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.

તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે સ્ટેશન ઘનપુરના ધારાસભ્ય કડિયામ શ્રીહરીએ દેવસ્થાન વિભાગના અધિકારીઓ સાથે તેમની ગેરહાજરીમાં રિવ્યુ મીટિંગ કરી હતી. પક્ષના નેતૃત્વ સમક્ષ વિરોધ નોંધાવવા છતાં કોઈ જ પગલાં લેવાયા નહોતા.

02

હાઈકમાન્ડને લખેલા પત્રોમાં સુરેખાએ મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના બેવડા ધોરણો સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે સરખામણી કરી કે એક તરફ કોંગ્રેસ નેતા જગ્ગા રેડ્ડી સંગારેડ્ડીથી ચૂંટણી લડશે કે નહીં તેનો નિર્ણય હાઈકમાન્ડ પર છોડવાનું મુખ્યમંત્રી કહે છે, બીજી તરફ તેમણે પરકલ વિસ્તારમાં સભાઓ ભરીને વર્તમાન ધારાસભ્ય રેવુરી પ્રકાશ રેડ્ડી માટે ખુલ્લેઆમ પ્રચાર કર્યો હતો. સુરેખાએ દલીલ કરી હતી કે પુખ્ત વયની પુત્રીના અંગત વિવાદાસ્પદ નિવેદનો માટે માતાને જવાબદાર ઠેરવવી અયોગ્ય છે. એક BC મહિલા નેતા તરીકે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, જ્યારે અન્ય નેતાઓએ રેવંત રેડ્ડી વિરુદ્ધ કરેલી ટિપ્પણીઓને અવગણી દેવાઈ છે.

સુરેખાએ આ પત્રો સાથે એક પેન ડ્રાઈવ પણ જોડી હતી, જેમાં જરૂરી વિડિયો અને આધાર પુરાવા હાઈકમાન્ડના સંદર્ભ માટે મોકલવામાં આવ્યા હતા. જોકે, આ પત્રોમાં તેમણે ક્યાંય કોંગ્રેસ છોડવાની ધમકી આપી નહોતી અને પક્ષના નેતૃત્વમાં અડગ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. પરંતુ પત્ર લખ્યાના 11 દિવસ બાદ રેવંત રેડ્ડીએ રાજ્યપાલને ભલામણ મોકલીને તેમને મંત્રીમંડળમાંથી સત્તાવાર રીતે બરતરફ કરી દીધા છે.

આ તાજેતરની રાજકીય કટોકટી સુરેખાની દીકરી કોંડા સુષ્મિતા પટેલના એ જાહેર નિવેદન બાદ શરૂ થઈ હતી, જેમાં તેમણે કોંગ્રેસ ધારાસભ્ય રેવુરી પ્રકાશ રેડ્ડીને મુખ્યમંત્રી દ્વારા અપાતા સમર્થન સામે આકરા પ્રહારો કર્યા હતા. થોડા દિવસો પહેલાં રેવંત રેડ્ડીએ પરકલ ખાતે એક જાહેર સભામાં લોકોને વર્તમાન ધારાસભ્ય રેવુરી પ્રકાશ રેડ્ડીને ગત વખત કરતા પણ વધુ બહુમતીથી વિજેતા બનાવવા અપીલ કરી હતી. સુષ્મિતાએ આ અંગે સવાલ ઉઠાવ્યો કે 'કોંડા ગઢ' ગણાતા વિસ્તારમાં આવીને મુખ્યમંત્રી પ્રકાશ રેડ્ડીને કેમ પ્રોત્સાહન આપી રહ્યા છે?

તમે મારા વિસ્તારમાં આવીને, કોંડાના ગઢમાં આવીને લોકોને ફરીથી પ્રકાશ રેડ્ડીને ચૂંટવાની અપીલ કેમ કરી રહ્યા છો? સુષ્મિતાએ સવાલ કર્યો હતો. આ નિવેદન એટલા માટે મહત્વનું હતું કારણ કે સુષ્મિતા પોતે આગામી ચૂંટણીમાં પરકલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છુક છે. સુષ્મિતાએ ત્યારબાદ આક્રમક વલણ અપનાવતા આરોપ લગાવ્યો કે રેવંત રેડ્ડી અને તેમના ભાઈઓ રાજ્યનો ભોગ આપીને પોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે. તેમણે રૂ. 200 કરોડની સરકારી જમીન અને એક શેલ કંપની સાથે સંકળાયેલો ગંભીર આરોપ પણ મૂક્યો હતો.

તમે અને તમારા ભાઈઓ રાજ્ય પર તૂટી પડ્યા છો અને તેનું શોષણ કરી રહ્યા છો, તે સિવાય તમે કંઈ જ કર્યું નથી, સુષ્મિતાએ કહ્યું હતું. તમે (CM રેવંત રેડ્ડી) અમારી સાથે ઝઘડો કેમ કરી રહ્યા છો? તમે અમારી સાથે આવું વર્તન કેમ કરી રહ્યા છો? સુષ્મિતાએ જ્ઞાતિ કાર્ડ ખેલતા કહ્યું કે કાપુ સમુદાયના લોકો ખેતી જાણે છે પરંતુ જીહજૂરી કે ગુલામી કરતા નથી આવડતું. અમે કાપુ સમુદાયના છીએ... અમે ખેતી જાણીએ છીએ, પણ ગુલામી કે જીહજૂરી કરતા નથી આવડતું.

તેમણે ઉમેર્યું, અમે પદ્મશાલી છીએ... અમે કાપડ વણવાનું જાણીએ છીએ, પરંતુ આ લોકોની જેમ દલાલી કરતા નથી જાણતા. સુષ્મિતાએ મુખ્યમંત્રીની આસપાસના લોકો પર દલાલી કરવાનો અને મુખ્યમંત્રીને ખોટા ઈશારા આપવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) સહિત કોંગ્રેસ હાઈકમાન્ડ પ્રત્યે આજે પણ પૂરો આદર ધરાવે છે.

 

About The Author

Top News

10000 mAh બેટરી સાથે Redmi Note 17 Pro Max 5G લોન્ચ; મળશે 100W ચાર્જિંગ સપોર્ટ, પણ કિંમત વધુ છે

Xiaomiએ 10,000mAh બેટરી ધરાવતો પોતાનો પહેલો સ્માર્ટફોન, Redmi Note 17 Pro Max 5G લોન્ચ કર્યો છે. આ ફોન...
Tech and Auto 
10000 mAh બેટરી સાથે Redmi Note 17 Pro Max 5G લોન્ચ; મળશે 100W ચાર્જિંગ સપોર્ટ, પણ કિંમત વધુ છે

ધોનીએ સ્પષ્ટ કહી દીધું તે ઈમ્પેક્ટ પ્લેયર નહીં બને...' તો 2027 IPLમાં કેવી રીતે રમશે?

મહેન્દ્ર સિંહ ધોનીના IPL ભવિષ્ય અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે, એક મોટો અપડેટ સામે આવ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના...
Sports 
ધોનીએ સ્પષ્ટ કહી દીધું તે ઈમ્પેક્ટ પ્લેયર નહીં બને...' તો 2027 IPLમાં કેવી રીતે રમશે?

દીકરીએ એવી ટિપ્પણી કરી કે CMએ મંત્રી પદ જ લઈ લીધું, મહિલા મંત્રીએ પણ કહી દીધું- મને બળજબરીથી હટાવી, તેઓ...

તેલંગાણાના રાજકારણમાં મોટા ધમાકા વચ્ચે મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ વન મંત્રી કોંડા સુરેખાને તાત્કાલિક અસરથી મંત્રીમંડળમાંથી બરતરફ કરવાનો નિર્ણય લીધો...
Politics 
દીકરીએ એવી ટિપ્પણી કરી કે CMએ મંત્રી પદ જ લઈ લીધું, મહિલા મંત્રીએ પણ કહી દીધું- મને બળજબરીથી હટાવી, તેઓ...

કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે કહ્યું- BJPને હરાવવું એટલું સરળ નથી, જણાવ્યું તેમની પાર્ટીને શું કરવું પડશે

ગુરુવારે મીડિયા સાથે વાત કરતા, સહારનપુર લોકસભા મતવિસ્તારના કોંગ્રેસના સાંસદ, ઇમરાન મસૂદે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં BJPને...
National 
કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદે કહ્યું- BJPને હરાવવું એટલું સરળ નથી, જણાવ્યું તેમની પાર્ટીને શું કરવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.