સુરતના MLA મનુ ફોગવા અને એક મહિલા પેસેન્જર વચ્ચે વંદેભારત ટ્રેનમાં થઇ બબાલ

મંગળવારે ગાંધીનગરથી મુંબઇ જતી વંદેભારત ટ્રેનમાં એક મહિલા પેસેન્જર અને સુરત ઉધનાના MLA મનું ફોગવા વચ્ચે ભારે રકઝક થઇ હતી જેને લઇને ટીટી અને સિક્યુરિટી સ્ટાફ પણ ભેગો થઇ ગયો હતો. જોકે, થોડા સમય પછી સમાધાન થઇ ગયું હતું.

ટ્રેનમાં હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર સુરત ઉધનાના MLA મનુ ભાઇ ફોગવા ગાંધીનગરથી મુંબઇ જતી વંદેભારત ટ્રેનમાં મંગળવારે આવી રહ્યા હતા. લગભગ 3 વાગ્યાની આસપાસ તેઓ ટ્રેનમાં તેમના કેટલાક સમર્થકો સાથે હતા. ટ્રેન વડોદરા પહોંચવાની હતી ત્યારે આ ઘટના બની હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું. મનુભાઇ બોગી નંબર C-2માં સૌથી છેલ્લી રોમાં બેઠા હતા. ત્યારે તેઓ મોબાઇલ પર કંઇક સાંભળી રહ્યા હતા. આજુબાજુ વાળા લોકોને તેમના મોબાઇલમાંથી આવતો અવાજ વધુ લાગી રહ્યો હતો.

ત્યારે એક મહિલા જે મુંબઇ જઇ રહી હતી તેણે વાંધો લીધો હતો. પહેલીવાર મનુભાઇએ અવાજ ઓછો કરી દીધો હતો. જોકે, થોડીવાર પછી ફરી મોબાઇલનો અવાજ થોડો વધુ થઇ ગયો હતો. ત્યારે મહિલાએ ફરી વાંધો ઉઠાવ્યો હતો. મહિલાએ કહ્યું કે તમે બ્લુટૂથ કેમ નથી વાપરતા. તો મનુભાઇએ કહ્યું કે મારી પાસે બ્લુટૂથ નથી. હું આ રીતે જ સાંભળીશ. એવું ક્યાં લખ્યું છે કે અહીં મોબાઇલના જોવાય. તમે પોલીસને બોલાવો, સિક્યુરિટીને બોલાવો. કાયદો બતાવો કે એવું ક્યાં કહ્યું છે. તે દરમિયાન રેલ્વેનો સ્ટાફ અને સિક્યુરિટી ત્યાં પહોંચી ગયો હતો. બન્ને વચ્ચે સમજાવટ કરી હતી.

જોકે, મહિલા પોતે જ થોડીવારમાં શાંત થઇ ગઇ હતી. પછી મનુભાઇ પણ સમજી ગયા હતા અને તેમણે મોબાઇલનો ઉપયોગ બંધ કરી દીધો હતો. લોકોને પહેલા તો ખબર ન હતી કે તે એમએલએ છે. મનુભાઇએ પણ પોતાની ઓળખ આપી ન હતી. પરંતુ તેમની સાથે રહેલા સમર્થકોએ કહ્યું હતું કે આ સાહેબ કોણ છે તે તમને ખબર નથી. આ ઉધનાના એમએલએ છે. પરંતુ ત્યારપછી આખી બોગીમાં ભારે ચર્ચા રહી હતી. કેટલાક લોકોએ આ ઘટનાનું મોબાઇલ પર શૂટિંગ પણ કરી લીધું હતું.

આ ઘટના અંગે  જાણવા અમે જ્યારે મનુભાઇને ફોન કર્યો તો તેમણે કહ્યું કે આવું કંઇ થયું નથી. 

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.