શ્રીલંકા સીરિઝ પછી ખતરામાં આવી આ પ્લેયર્સની જગ્યા,હાર્દિક-કોચનું વધ્યું ટેન્શન

ભારતીય ટીમે શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કર્યું અને સીરિઝ 2-1થી પોતાના નામે કરી લીધી. શ્રીલંકા વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની T20 ક્રિકેટમાં આ 19મી જીત છે. સીરિઝમાં ઘણા યુવાન પ્લેયર્સે ઘણી સારી રમત રમી હતી, પરંતુ કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ રાહુલ દ્રવિડ સામે હજુ પણ ઘણી એવી ચેલેન્જો છે, જોન ઉકેલ લાવવો ઘણો જરૂરી છે. શ્રીલંકા સીરિઝમાં ઘણા પ્લેયર્સે ઘણું જ ખરાબ પ્રદર્શન કર્યું છે. જેમાં સૌથી મોટી મુશ્કેલી ઓપનિંગ જોડી માટેની છે. 

શ્રીલંકા વિરુદ્ધ T20 સીરિઝમાં રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો. તેવામાં ઓપનિંગ માટે શુભમન ગિલ અને ઈશાન કિશનને તક આપવામાં આવી હતી. પરંતુ આ બંને જ ખેલાડીઓ આ તકનો લાભ ઉઠાવી શક્યા ન હતા. ઓપનિંગ જોડીનું કામ હોય છે ટીમને મજબૂત શરૂઆત અપાવવાનું પરંતુ ગિલ-કિશનની જોડી આવું કરવામાં તદ્દન નિષ્ફળ રહી હતી.

પહેલી મેચમાં આ જોડીએ 27 રન પાર્ટનરશીપમાં બનાવ્યા હતા. બીજી મેચમાં આ જોડી માત્ર 12 જ રન બનાવી શકી હતી. ત્રીજી મેચમાં આ જોડી બે આંકડા સુધીના સ્કોર પર પણ પહોંચી શકી ન હતી અને 3 રનના સ્કોર પર જ તેમની જોડી તૂટી ગઈ હતી. મતલબ જોવા જઈએ તો આખી સીરિઝમાં ટીમની ઓપનર જોડીએ માત્ર 42 રન જ બનાવ્યા છે.આ સિવાય યુવાન બોલર્સને પણ આ સીરિઝમાં તક આપવામાં આવી હતી પરંતુ ભારતનને તેની ડેથ ઓવર્સમાં જે મુશ્કેલી પડે છે તે આ યુવાન બોલરો પણ ઉકેલી શક્યા ન હતા.

અર્શદીપ સિંહે જ્યાં બીજી મેચમાં 5 નો બોલ નાખી, તો ઉમરાન મલિકે વિકેટ તો લીધી પરંતુ તે ઘણો મોંઘા સાબિત થયો હતો. જે T20 મેચ માટે ઘણી ખરાબ વાત છે. જ્યારે યુઝવેન્દ્ર ચહલ પણ પોતાના નામને અનુરૂપ સારું પ્રદર્શન કરી શક્યો ન હતો. જ્યારે ટીમમાં હાજર સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને એક પણ મેચમાં રમવાની તક જ નહોંતી આપવામાં આવી. ભલે ભારતે શ્રીલંકા સામેની T20 સીરિઝમાં જીત મેળવી લીધી પરંતુ ભારતીય ટીમ જો તેની આ કાયમી મુશ્કેલીનો ઉકેલ જલદીથી નહીં લાવે તો આગામી વર્ષના વર્લ્ડ કપમાં ટીમના પ્રદર્શન અંગે ઘણા સવાલો ઊભા થઈ શકે તેમ છે.   

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.