ઈંગ્લેન્ડ મેચ હારી તો કેપ્ટન બેન સ્ટોક્સ આ નિયમ બદલવાની વાત કરવા લાગ્યો

ઇંગ્લિશ ટીમને ભારતીય ટીમ સામે રાજકોટ ટેસ્ટમાં નિરાશાજનક હાર મળી. ભારતીય ટીમે આ મેચને 434 રનના મોટા અંતરથી પોતાના નામે કરી દીધી. મેચ પૂરી થયા બાદ ઇંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ DRSના એક નિર્ણયને લઈને નિરાશ નજરે પડ્યો અને તેણે નિયમમાં બદલાવની માગ કરી નાખી. બેન સ્ટોક્સે આ માગ જેક ક્રાઉલીને વિવાદાસ્પદ રૂપે આઉટ આપવાને લઈને કરી. બેન સ્ટોક્સ મુજબ, DRSથી અમ્પાયર્સ કોલને હટાવી દેવો જોઈએ. તેણે મેચ બાદ કહ્યું કે, 'રિપ્લેમાં બૉલ સ્પષ્ટ સ્ટમ્પ્સથી બહાર જતો નજરે પડી રહ્યો હતો.

તેને જ્યારે ઍમ્પયાર કોલ માનવામાં આવ્યો તો અમે થોડા ભ્રમિત થયા. રેફરીએ કહ્યું કે, નંબરોના હિસાબે એ સ્ટમ્પને હિટ કરી રહ્યા હતા, પરંતુ પ્રોજેક્શન ખોટું હતું. હું તેનો અર્થ જાણતો નથી. મને અંગત રૂપે લાગે છે કે અમ્પાયર કોલને હટાવી દેવો જોઈએ. જો બૉલ સ્ટમ્પ પર લાગી રહ્યો છે તો તે લાગી રહ્યો છે. રમતનો મેદાન બધા માટે બરાબર હોવું જોઈએ. ઇંગ્લેન્ડની બીજી ઇનિંગની નવમી ઓવર જસપ્રીત બૂમરાહ નાખી રહ્યો હતો. ઓવરનો બીજો બૉલ જેક ક્રાઉલીના પેડ પર જઈને અથડાયો.

અપીલ બાદ ગ્રાઉન્ડ અમ્પાયરે જેક ક્રાઉલીને આઉટ આપી દીધો. ક્રાઉલીએ અમ્પાયરને નિર્ણયને પડકાર આપતા DRS લીધો. રિપ્લેમાં જોવા પર એમ લાગ્યું કે, બૉલ સ્ટમ્પ સાથે લાગી રહ્યો નથી, પરંતુ પછી તેને અમ્પયાર કોલ માનવામાં આવ્યો અને ક્રાઉલીને પીચ છોડીને જવું પડ્યું. આ વિવાદાસ્પદ નિર્ણયને લઈને ઇંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સ અને કોચ બ્રેન્ડન મેક્કુલમ મેચ રેફરી પાસે પણ ગયો હતો.

આ અગાઉ વાઈજેક ટેસ્ટમાં પણ LBWને લઈને વિવાદ થયો હતો અને ખાસ વાત એ હતી કે એ વખત પણ જેક ક્રાઉલીને લઈને જ વિવાદ થયો હતો. મેચની ચોથી ઇનિંગની 42મી ઓવર કુલદીપ યાદવ નાખી રહ્યો હતો. તેનો બૉલ જેક ક્રાઉલીના પેડ પર જઈને લાગ્યો, પરંતુ કુપદીપ યાદવ અને ભારતીય ટીમની અપીલ નકારતા અમ્પાયરે જેક ક્રાઉલીને નોટઆઉટ આપી દીધો. કુલદીપના કહેવા પર કેપ્ટને રોહિત શર્માએ રિવ્યૂ લીધું. રિપ્લેમાં જોવા મળ્યું કે, બૉલ લેગ સ્ટમ્પની લાઇન બહાર પિચ થયો હતો, પરંતુ જ્યારે થર્ડ અમ્પાયરે રિપ્લે જોયું તો બૉલ લાઇનમાં પીચ થયો અને આ કારણે જેક ક્રાઉલીને આઉટ આપવામાં આવ્યો.

ક્રાઉલી આ દરમિયાન સારા ટચમાં નજરે પડી રહ્યો હતો. તેની આ વિવાદિત વિકેટને લઈને બેન સ્ટોક્સે ખોટો નિર્ણય આપવાનો આરોપ લગાવ્યો હતો. રમતમાં ટેક્નોલોજીનો ઉપયોગ સ્પષ્ટ રૂપ થાય છે. એ વાત દરેકને ખબર છે કે ક્યારેય 100 ટકા સાચો નહીં હોય શકે, એટલે અમારી પાસે અમ્પાયર્સ કોલનું ઓપ્શન હોય છે. મને લાગે છે કે આ અવસર પર ટેક્નોલોજી સારું પરિણામ આપ્યું. ઉલ્લેખનીય છે કે, 5 મેચોની સીરિઝમાં 3 મેચ રમાઈ ગઈ છે. જેમાંથી ઈંગ્લેન્ડને એક જ્યારે ભારતીય ટીમે 2 મેચ જીતી છે. સીરિઝની ચોથી મેચ 23 ફેબ્રુઆરીએ રાંચીમાં રમાશે.

About The Author

Related Posts

Top News

વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સથી કેમ છે નારાજ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં શાનદાર શરૂઆત કરનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી હવે રાજસ્થાન રોયલ્સની (RR)ની...
Sports 
વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સથી કેમ છે નારાજ

ઈરાન યુદ્ધની ભારતના ઓટો ઉદ્યોગ પર મોટી અસરનો ભય, કાર ઉત્પાદન પર પડી શકે અસર

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ અને પશ્ચિમ એશિયાના તણાવના કારણે ભારતના ઓટો ઉદ્યોગને ટૂંકા ગાળામાં પડકારોનો સામનો કરવો પડી શકે...
Tech and Auto 
ઈરાન યુદ્ધની ભારતના ઓટો ઉદ્યોગ પર મોટી અસરનો ભય, કાર ઉત્પાદન પર પડી શકે અસર

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 15-04-2026 વાર- બુધવાર મેષ -  પાણીજન્ય રોગમાં ધ્યાન રાખવું,  બચતની ચિંતા છોડી પુષ્કળ ભક્તિમાં આજે હનુમાનજીને મીઠી વસ્તુ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો થવા પામ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ...
Business 
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.