WC માટે BCCIએ કર્યા 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ, હર્ષા ભોગલેના મતે આ નામો હોય શકે છે

T20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઇનલ મેચમાં ઇંગ્લિશ ટીમ સામે મળેલી શરમજનક હાર અને વર્ષ 2023ના વર્લ્ડ કપની તૈયારીઓને લઇને થયેલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની રિવ્યૂ મીટિંગમાં ઘણા મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. BCCI અધ્યક્ષ રોજર બિન્ની, સચિવ જય શાહ, NCA પ્રમુખ વી.વી.એસ. લક્ષ્મણ, કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ આ રિવ્યૂ મીટિંગમાં હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં BCCIએ ભારતની મેજબાનીમાં થનારા વર્લ્ડ કપને લઇને 20 મુખ્ય ખેલાડીઓને શોર્ટ લિસ્ટ કરી દેવામાં આવ્યા છે.

આ એ ખેલાડી હશે જેમણે વર્લ્ડ કપ પહેલા વર્કલોડ મેનેજમેન્ટ માટે રોટેટ કરવામાં આવશે. જો કે, તેઓ કયા 20 ખેલાડી હશે? એ બાબતે કઇ કહેવામાં આવ્યું નથી, પરંતુ જાણીતા કમેન્ટેટર હર્ષા ભોગલેએ BCCIના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને 21 ખેલાડીઓની લિસ્ટ શે કરી છે જે BCCI દ્વારા શોર્ટ લિસ્ટ કરાયા હશે. તેમના જણાવ્યા મુજબ, તે 21 નામો છે- રોહિત શર્મા, વિરાટ કોહલી, કે.એલ. રાહુલ, શુભમન ગિલ, શ્રેયસ ઐય્યર, ઇશાન કિશન, રિષભ પંત, સૂર્યકુમાર યાદવ.

સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, વૉશિંગટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ અને શાર્દૂલ ઠાકુર. એ સિવાય તેમણે બીજા 2 નામ સામેલ કર્યા છે જેમાં રજત પાટીદાર અને ફાસ્ટ બોલર ઉમરાન મલિક સામેલ છે. 3 કલાક કરતા વધુ ચાલેલી આ મીટિંગમાં ઘણા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી, જેમ કે ખેલાડીઓના વર્કલોડ, ઇન્ટરનેશનલ ક્રિકેટ અને દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝમાં પ્રાથમિક પણ ડિસાઇડ કરવામાં આવશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ખેલાડીની ઇજાને પહોંચીવળવા માટે એક મોટો નિર્ણય લીધો છે. હવે ખેલાડીઓએ સિલેક્શનનો આધાર યો-યો ટેસ્ટ સિવાય DEXA સ્કેન ટેસ્ટ પણ હશે. ગયા વર્ષે જો ભારતીય ટીમની વાત કરીએ તો કદાચ જ એટલા ખેલાડી ઇજાગ્રસ્ત થાય હશે જેટલા વર્ષ 2022માં થયા હતા. જસપ્રીત બૂમરાહ, દીપક ચાહર, રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી અને કે.એલ. રાહુલ જેવા નામ સામેલ છે, જે કોઇક ને કોઇક ઇજાના કારણે મેદાનથી દૂર રહ્યા. આ વર્ષે ભારતમાં વન-ડે વર્લ્ડ કપનું પણ આયોજન થવાનું છે. જેની સંપૂર્ણ મેજબાની ભારત પાસે હશે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.