ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી IPL અને WTC ફાઈનલમાંથી બહાર થઈ શકે છે

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ખેલાડી શ્રેયસ અય્યર લગભગ 5 મહિના સુધી ટીમની બહાર છે. અહીં તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ અમદાવાદ ટેસ્ટ દરમિયાન શ્રેયસે પીઠના નીચેના ભાગમાં દુખાવાની ફરિયાદ કરી હતી.

હવે મેડિકલ ટીમે શ્રેયસને સર્જરીની સલાહ આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રેયસ હાલ મુંબઈમાં ડોક્ટરોની દેખરેખમાં છે. ત્રીજા ચેકઅપ બાદ ડૉક્ટરોએ શ્રેયસને સર્જરીની સલાહ આપી હતી. મતલબ કે હવે શ્રેયસ લગભગ 5 મહિના સુધી રમતમાંથી બહાર રહેશે.

આવી સ્થિતિમાં શ્રેયસ અય્યર ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની સીઝનમાંથી બહાર થઈ જશે. ઉપરાંત, શ્રેયસ 7 જૂનથી યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. આવી સ્થિતિમાં ભારતીય ટીમ માટે આ એક મોટો ઝટકો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રેયસ અય્યર લંડનમાં તેની સર્જરી કરાવવા માંગે છે. જ્યારે ઓપરેશન માટેનું સ્થળ કે હોસ્પિટલ હજુ સુધી BCCI દ્વારા નક્કી કરવામાં આવ્યું નથી. ભારતમાં પણ તેની સર્જરી થાય તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે, શ્રેયસે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં બેટિંગ કરી ન હતી. અમદાવાદ ટેસ્ટમાં સતત બે દિવસ ફિલ્ડિંગ કર્યા બાદ શ્રેયસે તેની પીઠના નીચેના ભાગમાં સોજાની ફરિયાદ કરી હતી. આ દરમિયાન તેણે એક ઓવર પણ નાખી હતી.

તમને જણાવી દઈએ કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝન પણ 31 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. શ્રેયસ અય્યર IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમનો કેપ્ટન છે. આવી સ્થિતિમાં આ ટીમ માટે પણ ટેન્શનનો વિષય છે. હવે KKRને નવો કેપ્ટન શોધવો પડશે.

મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરની આ ઈજા વારંવાર સામે આવી રહી છે. અગાઉ, ડિસેમ્બર 2022ના બાંગ્લાદેશ પ્રવાસ પર, શ્રેયસને આવી જ સમસ્યામાંથી પસાર થવું પડ્યું હતું. ત્યાર બાદ તેને ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાંથી બહાર થવું પડ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રેયસ અય્યરે IPL 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ કરી હતી. જો તે નહીં રમે તો IPLમાં તેની જગ્યા કોણ લેશે. શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ, KKR અત્યાર સુધીમાં કુલ 14 મેચ રમી છે. જેમાંથી KKR માત્ર 6 મેચ જીતવામાં સફળ રહી છે અને 8માં હારનો સામનો કરવો પડ્યો છે.

શ્રેયસ ઐય્યરે અત્યાર સુધી 101 IPL મેચ રમી છે જેમાં તેણે 2776 રન બનાવ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ આ સિઝનમાં માત્ર શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ જ નહીં પરંતુ તેની બેટિંગની પણ ખૂબ ખોટ અનુભવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ સાઉથી, નીતિશ રાણા અને સુનીલ નારાયણમાંથી કોઈ એક ખેલાડી કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન બનતો જોવા મળી શકે છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.