કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય ટીમના ખેલાડીઓ ઇંગ્લેન્ડ પહોંચી ગયા છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલની આ ટેસ્ટ શ્રેણીમાં કઠિન કસોટી થવાની છે. રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી ગિલને સૌથી મોટા ફોર્મેટમાં કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

હવે શુભમન ગિલે જણાવ્યું છે કે, જ્યારે તેમને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે શું પ્રતિક્રિયા આપી હતી. શુભમન ગિલે સ્પષ્ટતા કરી કે, કોચ અને મુખ્ય પસંદગીકારને તેમની પાસેથી કોઈ અપેક્ષાઓ નથી, તેઓ ફક્ત ઇચ્છે છે કે હું મારી જાતને સાબિત કરું અને મુક્તપણે રમું.

rain
ahmedabadmirror.com

શુભમન ગિલે એક સ્પોર્ટ્સ ચેનલ પર દિનેશ કાર્તિક સાથેની વાતચીતમાં કહ્યું, 'જ્યાં સુધી અપેક્ષાઓનો સવાલ છે... મેં ગૌતી ભાઈ (ગૌતમ ગંભીર) અને અજિત ભાઈ (અજિત અગરકર) સાથે ઘણી વખત વાત કરી છે. તેઓ ફક્ત ઇચ્છે છે કે, હું કેપ્ટન તરીકે મારી જાતને સાબિત કરું. તેમને મારી પાસેથી કોઈ અપેક્ષાઓ નથી. તેઓ મારી પાસેથી એવું કંઈક કરવાની અપેક્ષા રાખતા નથી જે હું કરી શકવા સક્ષમ નથી.'

ભલે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકર તરફથી શુભમન ગિલ પર કોઈ દબાણ ન હોય, પણ ભારતીય કેપ્ટને પોતાના માટે કેટલાક લક્ષ્યો નક્કી કર્યા છે. શુભમન ગિલ માને છે કે, ફક્ત ટ્રોફી જીતવી જ નહીં પરંતુ એવું વાતાવરણ બનાવવું પણ મહત્વપૂર્ણ છે જ્યાં દરેક ખેલાડી સુરક્ષિત અને ખુશીનો અનુભવ કરે.

Gambhir, Gill
navbharattimes.indiatimes.com

શુભમન ગિલે કહ્યું, 'ટ્રોફી કે ટાઇટલ તેની જગ્યાએ છે, પરંતુ હું ટીમમાં એવું વાતાવરણ બનાવવા માંગુ છું કે દરેક ખેલાડી સુરક્ષિત અને ખુશી અનુભવે. હું જાણું છું કે આટલી બધી મેચો અને સતત બદલાતી ટીમોને કારણે આ સરળ નહીં હોય. પરંતુ જો હું આ કરી શકું, તો આ મારી વાસ્તવિક સફળતા હશે.'

શુભમન ગિલને એક મોટો પડકારનો સામનો કરવો પડશે, કારણ કે તેણે હજુ સુધી વિદેશી ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં બેટ્સમેન તરીકે પોતાને સ્થાપિત કરવાનો બાકી છે. શુભમન ગિલે અત્યાર સુધી ભારતની બહાર 13 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 29.50ની નબળી સરેરાશથી ફક્ત 649 રન બનાવ્યા છે.

https://twitter.com/SkyCricket/status/1934158945469304992

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, KL રાહુલ, સાઈ સુદર્શન, રિષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઇશ્વરન, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.

ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીનું સંપૂર્ણ સમયપત્રક: પહેલી ટેસ્ટ-20-24 જૂન-2025-હેડિંગ્લી-લીડ્સ, બીજી ટેસ્ટ-2-6 જુલાઈ-2025-એજબેસ્ટન-બર્મિંગહામ, ત્રીજી ટેસ્ટ-10-14 જુલાઈ-2025-લોર્ડ્સ-લંડન, ચોથી ટેસ્ટ-23-27 જુલાઈ-2025-ઓલ્ડ ટ્રેફોર્ડ-માન્ચેસ્ટર, પાંચમી ટેસ્ટ-31 જુલાઈ-4 ઓગસ્ટ-2025-ધ ઓવલ-લંડન. (બધી મેચ ભારતીય સમય મુજબ બપોરે 3.30 વાગ્યે શરૂ થશે).

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.