ધોની સિવાય 'કેપ્ટન કૂલ' કોઈ ઉપયોગ નહીં કરી શકે, વકીલે કેસ કર્યો- આ શબ્દ...

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને 'કેપ્ટન કૂલ' તરીકે ઓળખવામાં આવે છે. હવે મહેન્દ્ર સિંહ ધોની આ નામને ટ્રેડમાર્ક કરવા માગે છે. એટલે કે, કાયદાકીય રૂપે માત્ર પોતાના નામનો ઉપયોગ કરવાનો અધિકાર ઇચ્છે છે. પરંતુ તેના પર એક કાયદાકીય પડકાર આવી ગયો છે. દિલ્હીના વકીલ આશુતોષ ચૌધરીએ તેના પર આપત્તિ દર્શાવી છે. ધોનીએ કેપ્ટન કૂલ નામને પોતાના માટે ટ્રેડમાર્ક કરવા માટે અરજી કરી છે. જો તે મંજૂર થઈ જાય છે, તો કોઈ અન્ય વ્યક્તિ કે કંપની આ નામનો બિઝનેસ કે જાહેરાતમાં ઉપયોગ નહીં કરી શકે. પરંતુ વકીલ આશુતોષ ચૌધરીએ કહ્યું છે કે આ શબ્દ નવો કે અનોખો નથી.

dhoni
telegraphindia.com

શું છે વકીલનો તર્ક?

તેમનું કહેવું છે કે, ‘કેપ્ટન કૂલ માત્ર ધોની માટે નથી, પરંતુ ઘણા અન્ય કેપ્ટનોને પણ કહેવામાં આવ્યો છે. જેમ કે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા. તેમના સિવાય  ધ વોલ (રાહુલ દ્રવિડ) અને ગોડ ઓફ ક્રિકેટ (સચિન તેંદુલકર) જેવા શબ્દો પણ લોકોએ બનાવ્યા છે, પરંતુ તેમને ટ્રેડમાર્ક કરવામાં આવ્યા નથી. ચૌધરીએ એમ પણ કહ્યું કે આ પ્રકારના શબ્દ રમત અને સંસ્કૃતિ સાથે જોડાયેલા હોય છે, અને તેના પર કોઈ વ્યક્તિનો અધિકાર ન હોવો જોઈએ. એટલે તેમણે માગ કરી કે ધોનીની ટ્રેડમાર્ક અરજી ફગાવી દેવામાં આવે.

dhoni2
jagranjosh.com

હવે આ મામલો ટ્રેડમાર્ક વિભાગ પાસે છે. જો ધોનીની અરજી મંજૂર નહીં થાય, તો તેઓ કેપ્ટન કૂલ નામને પોતાની બ્રાન્ડ તરીકે નહીં ચલાવી શકે. પરંતુ જો અરજી મંજૂર થઈ ગઈ, તો આ નામ માત્ર ધોની માટે જ કાયદેસર રીતે સુરક્ષિત થઈ જશે. આ વિવાદ હવે ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે પણ ચર્ચાનો વિષય બની ગયો છે, કારણ કે કેપ્ટન કૂલ ધોનીની ઓળખ સાથે જોડાયેલો છે.

About The Author

Top News

‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં દેશના અનેક મોટા સંતો, મહાત્માઓ, વિવિધ અખાડાઓના...
National 
‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ...
National  Politics 
મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-01-2026 વાર- બુધવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી...
World 
મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.