MIએ રોહિતની કેપ્ટન્સી છીનવી તો ચહલે કરી દીધું એવું કામ કે હેરાન થઈ ગયા ફેન્સ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને તેના માટે આજે ઓક્શન થવા જઈ રહ્યું છે. એવામાં 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ IPLની આગામી સીઝન અગાઉ પોતાનો કેપ્ટન બદલવાની જાહેરાત કરી છે. આ ફ્રેન્ચાઇઝીએ ધાકડ ઓપનર રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમની કેપ્ટન્સીની જવાબદારી સોંપી છે. આ દરમિયાન સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે  સોમવારે કંઈક એવું કરી દીધું, જેની ચર્ચા થવા લાગી છે.

ભારતીય ટીમના અનુભવી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પોતાના X (અગાઉ ટ્વીટર) અકાઉન્ટનો પ્રોફાઇલ ફોટો બદલી દીધો છે. 33 વર્ષીય યુઝવેન્દ્ર ચાહલે પોતાની નવા પ્રોફાઇલ પિક્ચર ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્મા સાથે લગાવ્યું છે. આ તસવીરમાં બંને ખેલાડી ભારતીય જર્સીમાં એક સાથે મેદાનમાં નજરે પડી રહ્યા છે. ‘હિટમેન’ આ તસવીરમાં યુઝવેન્દ્ર ચહલને ગળે લગાવતો નજરે પડી રહ્યો છે. એટલું જ નહીં યુઝવેન્દ્ર ચહલના બેકગ્રાઉન્ડ પ્રોફાઇલમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પણ તેની સાથે જોઈ શકાય છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ IPL ફ્રેન્ચાઇઝી મુંબઈ ઈન્ડિયન્સએ રોહિત શર્માને કેપ્ટન્સી પદમાંથી હટાવી દીધો છે. ફ્રેન્ચાઇઝીન આ નિર્ણય પર ફેન્સમાં ખૂબ ગુસ્સો છે. લોકો સતત સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે. એટલું જ નહીં, ફેન્સ સોશિયલ મીડિયા પર રોહિત શર્મા સાથે પોતાની તસવીર પણ શેર કરી રહ્યા છે. યુઝવેન્દ્ર ચહલ હાલમાં ભારતીય ટીમ સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે. તે માત્ર વન-ડે ટીમનો હિસ્સો છે.

ભારતીય ટીમ આ પ્રવાસ પર T20, વન-ડે અને ટેસ્ટ સીરિઝ રમવાની છે. જો કે, 3 મેચોની T20 સીરિઝ 1-1થી બરાબર રહી. તો હાલના સમયમાં 3 મેચોની વન-ડે સીરિઝમાં ભારતીય ટીમે 1-0ની લીડ મેળવી લીધી છે. પછી રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ટેસ્ટ સીરિઝ રમશે. જોહાનિસબર્ગમાં રમાયેલી પહેલી વન-ડે મેચમાં યુઝવેન્દ્ર ચહલને પ્લેઇંગ ઇલેવનમાં રમવાનો ચાંસ મળ્યો નહોતો. આજે બંને ટીમો વચ્ચે બીજી વન-ડે રમાશે.

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.