MIએ રોહિતની કેપ્ટન્સી છીનવી તો ચહલે કરી દીધું એવું કામ કે હેરાન થઈ ગયા ફેન્સ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને તેના માટે આજે ઓક્શન થવા જઈ રહ્યું છે. એવામાં 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ IPLની આગામી સીઝન અગાઉ પોતાનો કેપ્ટન બદલવાની જાહેરાત કરી છે. આ ફ્રેન્ચાઇઝીએ ધાકડ ઓપનર રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને ટીમની કેપ્ટન્સીની જવાબદારી સોંપી છે. આ દરમિયાન સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે  સોમવારે કંઈક એવું કરી દીધું, જેની ચર્ચા થવા લાગી છે.

ભારતીય ટીમના અનુભવી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પોતાના X (અગાઉ ટ્વીટર) અકાઉન્ટનો પ્રોફાઇલ ફોટો બદલી દીધો છે. 33 વર્ષીય યુઝવેન્દ્ર ચાહલે પોતાની નવા પ્રોફાઇલ પિક્ચર ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્મા સાથે લગાવ્યું છે. આ તસવીરમાં બંને ખેલાડી ભારતીય જર્સીમાં એક સાથે મેદાનમાં નજરે પડી રહ્યા છે. ‘હિટમેન’ આ તસવીરમાં યુઝવેન્દ્ર ચહલને ગળે લગાવતો નજરે પડી રહ્યો છે. એટલું જ નહીં યુઝવેન્દ્ર ચહલના બેકગ્રાઉન્ડ પ્રોફાઇલમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પણ તેની સાથે જોઈ શકાય છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ IPL ફ્રેન્ચાઇઝી મુંબઈ ઈન્ડિયન્સએ રોહિત શર્માને કેપ્ટન્સી પદમાંથી હટાવી દીધો છે. ફ્રેન્ચાઇઝીન આ નિર્ણય પર ફેન્સમાં ખૂબ ગુસ્સો છે. લોકો સતત સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે. એટલું જ નહીં, ફેન્સ સોશિયલ મીડિયા પર રોહિત શર્મા સાથે પોતાની તસવીર પણ શેર કરી રહ્યા છે. યુઝવેન્દ્ર ચહલ હાલમાં ભારતીય ટીમ સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે. તે માત્ર વન-ડે ટીમનો હિસ્સો છે.

ભારતીય ટીમ આ પ્રવાસ પર T20, વન-ડે અને ટેસ્ટ સીરિઝ રમવાની છે. જો કે, 3 મેચોની T20 સીરિઝ 1-1થી બરાબર રહી. તો હાલના સમયમાં 3 મેચોની વન-ડે સીરિઝમાં ભારતીય ટીમે 1-0ની લીડ મેળવી લીધી છે. પછી રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ટેસ્ટ સીરિઝ રમશે. જોહાનિસબર્ગમાં રમાયેલી પહેલી વન-ડે મેચમાં યુઝવેન્દ્ર ચહલને પ્લેઇંગ ઇલેવનમાં રમવાનો ચાંસ મળ્યો નહોતો. આજે બંને ટીમો વચ્ચે બીજી વન-ડે રમાશે.

About The Author

Top News

કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

ઇઝરાયેલમાં અલ્ટ્રા-ઓર્થોડોક્સ (કટ્ટરપંથી યહૂદી - જેને ત્યાં Haredi કહેવાય છે) સમુદાયની સૈન્ય ભરતીનો વિવાદ ખૂબ જૂનો અને સંવેદનશીલ છે. પરંતુ...
World 
કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ થયેલા અધિકારીએ સરકારને ખુલ્લો પત્ર લખી અનેક ખુલાસા કર્યા

લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ કરાયેલા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓફિસર (FSSO) કમલેન્દ્ર સિંહે તેમના સસ્પેન્શનનો વિરોધ કર્યો છે. તેમણે ...
National 
લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ થયેલા અધિકારીએ સરકારને ખુલ્લો પત્ર લખી અનેક ખુલાસા કર્યા

120 ડૉલરથી 76 ડૉલરે પહોંચી ગયો ક્રૂડ ઓઇલનો ભાવ; પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થશે?

US-ઈરાન યુદ્ધ પૂરું થયું છે. US-ઈરાન શાંતિ કરાર પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત ઘટી રહ્યા...
Business 
120 ડૉલરથી 76 ડૉલરે પહોંચી ગયો ક્રૂડ ઓઇલનો ભાવ;  પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થશે?

આ ગામમાં લોકો સ્માર્ટફોન કેમ તોડી રહ્યા છે, DSPની હાજરીમાં જ આવું કર્યું

હરિયાણાના નૂહ જિલ્લામાં સ્થિત સુખપુરી ગામમાં ઘણા રહેવાસીઓએ તેમના સ્માર્ટફોન તોડી નાખ્યો હોવાના અહેવાલ છે. યુવાનોએ ગુનાની દુનિયા છોડી દેવાનો...
National 
આ ગામમાં લોકો સ્માર્ટફોન કેમ તોડી રહ્યા છે, DSPની હાજરીમાં જ આવું કર્યું

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.