દ્રવિડે શ્રેયસ ઐય્યરને પ્લેઇંગ XIમાં સામેલ કરવાને લઇને જુઓ શું કહ્યું

હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સીરિઝ રમાઇ રહી છે. આ બંને ટીમો વચ્ચે 17 ફેબ્રુઆરી એટલે કે કાલથી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે, પરંતુ આ અગાઉ થયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે ભાગ લીધો અને મેચની તૈયારીઓને લઇને મહત્ત્વની વાતચીત કરી હતી. કોચ રાહુલ દ્રવિડે યુવા બેટ્સમેં શ્રેયસ ઐય્યરને સીધો પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાને લઇને મોટી પ્રતિક્રિયા આપી છે.

તેમણે એ જણાવ્યું કે, જો શ્રેયસ ઐય્યર પોતાની ફિટનેસ સાબિત કરીને ટેસ્ટ મેચનો લોડ લઇ શકે છે તો તેને સીધી પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળશે. શ્રેયસ ઐય્યર પીઠની ઇજાના કારણે નાગપુરમાં થયેલી પહેલી ટેસ્ટમાં રમ્યો નહોતો, જ્યારે આ અગાઉ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી વન-ડે સીરિઝમાં પણ તે રમી શક્યો નહોતો. છેલ્લા કેટલાક દિવસોથી તે નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)માં પોતાની ઇજાથી બહાર આવી રહ્યો હતો અને હવે તે ફિટ થઇને દિલ્હી ટેસ્ટ મેચમાં વાપસી કરવા તૈયાર છે, પરંતુ રાહુલ દ્રવિડે એ એ સ્પષ્ટ કરી દીધું છે કે શ્રેયસ ઐય્યર ટેસ્ટ મેચનો ભાર ઉઠાવી શકે છે તો તે જરૂર પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થશે.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના હેડ કોચ રહાઉલ દ્રવિડે આ સંદર્ભમાં કહ્યું કે, મને ખુશી છે કે શ્રેયસ ઐય્યર પાછો આવી ગયો છે અને તે ફિટ છે. અમે કેટલાક દિવસની પ્રેક્ટિસ બાદ નિર્ણય લઇશું. તેનું કાલે  લાંબુ પ્રેક્ટિસ સેશન રહ્યું, તેણે આજે કેટલીક પ્રેક્ટિસ કરી છે. અમે આજે પણ તેની ફિટનેસનું આંકલન કરીશું અને જોઇશું કે સાંજે તે કેવું અનુભવે છે, પરંતુ નિશ્ચિત રૂપે જો તે ફિટ છે અને રમવા માટે તૈયાર છે અને ટેસ્ટ મેચનો ભાર ઉઠાવવા તૈયાર છે તો તેના પ્રદર્શનનો અર્થ છે કે તે સીધો ટીમમાં સામેલ થશે.

હવે સવાલ એ ઉઠે છે કે જો શ્રેયસ ઐય્યરની ટીમમાં વાપસી થાય છે તો કોનું પત્તું કપાશે. શ્રેયસ ઐય્યર મિડલ મોર્ડરમાં રમે છે, એવામાં સૂર્યકુમાર યાદવને બીજી ટેસ્ટથી બહાર કરી શકાય છે. નાગપુર ટેસ્ટ સૂર્યકુમાર યાદવે ડેબ્યૂ કર્યું હતું અને તે માત્ર 8 રન જ બનાવી શક્યો હતો. સૂર્યકુમાર યાદવ આ સમયે T20નો નંબર-1 બેટ્સમેન છે. 28 વર્ષીય શ્રેયસ ઐય્યરના ટેસ્ટ રેકોર્ડ જોઇએ તો તે 7 ટેસ્ટની 12 ઇનિંગમાં બેટિંગ કરવા ઉતર્યો. આ દરમિયાન તેણે એક સદી અને 5 અડધી સદી લગાવી. એટલે કે દરેક બીજી ઇનિંગમાં તે 50 કે તેથી વધુ રનની ઇનિંગ રમી રહ્યો છે. ગત દિવસોમાં તેણે બાંગ્લાદેશમાં પણ 2 અડધી સદી બનાવી હતી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.