શું સાઉથ આફ્રિકા સામે શરમજનક હાર પાછળ ગંભીરનો મોટો હાથ છે, આ કારણો તો એવું જ દર્શાવે છે

ભારતીય ટેસ્ટ ટીમને ફરી એકવાર ખરેખર નિરાશાજનક દિવસનો સામનો કરવો પડ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે 0-3થી હાર્યા બાદ, ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે પણ હારી ગઈ છે. આ હાર બાદ હેડ કોચ ગૌતમ ગંભીરની ખૂબ ટીકા થઈ રહી છે. હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરે આ સીરિઝમાં કેટલીક ભૂલો કરી હતી, જેના કારણે ભારતીય ટીમને હાર મળી. એ સાચું છે કે ગૌતમ ગંભીર કોચ છે અને તેઓ મેદાન પર રમવા ઉતરતા નથી, પરંતુ તેમના કેટલાક નિર્ણયો ચોક્કસપણે ભારતીય ટીમ વિરુદ્ધ ગયા હતા. ચાલો આ સીરિઝમાં ગંભીરે કરેલી ભૂલો પર એક નજર કરીએ.

ગૌતમ ગંભીરની પહેલી અને સૌથી મોટી ભૂલ પ્લેઈંગ ઈલેવન સાથે ચેડાં કરવાની હતી. ગૌતમ ગંભીરે પહેલી ટેસ્ટ મેચમાં નંબર 3 બેટ્સમેન સાઈ સુદર્શનને પડતો મૂક્યો અને તેની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કર્યો. પરતું આગામી ટેસ્ટ મેચમાં સુંદરને નંબર-8 પર ઉતાર્યો. રવિ શાસ્ત્રી અને અનિલ કુંબલે સહિત ઘણા અનુભવી ખેલાડીઓએ આ નિર્ણયની ટીકા કરી.

gambhir2
sports.ndtv.com

ગૌતમ ગંભીરની બીજી મોટી ભૂલ આ ટેસ્ટ સીરિઝમાં સારા બેટ્સમેન કરતા ઓલરાઉન્ડરો પર વધુ ભરોસો વ્યક્ત કર્યો.. કોલકાતાની પડકારજનક વિકેટ અને ગુવાહાટીની રમતિયાળ વિકેટ પર સારા બેટ્સમેનોનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો.

ગૌતમ ગંભીરની ત્રીજી મોટી ભૂલ ઘરેલુ ટેસ્ટ સીરિઝમાં પીચ પસંદગી મહત્ત્વપૂર્ણ હોય છે અને ગંભીર આ મોરચે પણ નિષ્ફળ ગયા. કોલકાતામાં ટર્નિંગ ટ્રેક પર ફસાયા તો ગુવાહાટીમાં ફ્લેટ વિકેટ લીધી. જોકે, બંનેમાંથી કોઈ કામ આવ્યું ન આવી. ખેલાડીઓએ ખરાબ પ્રદર્શન કર્યું, પરંતુ ગંભીરના કેટલાક નિર્ણયો પણ તેનું કારણ હતા. કુંબલે અને કૈફે સ્પષ્ટપણે કહ્યું કે ખેલાડીઓ અસુરક્ષિત અનુભવી રહ્યા છે અને ખેલાડીઓને પોતાની ભૂમિકાને લઈને સ્પષ્ટતા જ નથી.

Team-India
BCCI

ગૌતમ ગંભીર ઘણીવાર કહે છે કે તે સૌથી સફળ કોચ નહીં, પરંતુ સૌથી નીડર કોચ બનવા માગે છે. નીડર કોચ બનવાના પ્રયાસમાં તેમણે ભારતીય ક્રિકેટ ટીમને 30-35 વર્ષ પાછળ લઈને જતા રહ્યા છે, જ્યારે ટીમ ઘરે અને બહાર બંને જગ્યાએ હારતી હતી. ગૌતમ ગંભીર હાઇ-રિસ્ક રિવોર્ડની વાત કરે છે, પરંતુ આ અભિગમ ફક્ત તેમના નિવેદનોમાં જ નજરે પડે છે. પરિસ્થિતિ એવી છે કે હવે ગૌતમ ગંભીરને તેની સફળતાઓ ગણાવવી પડે છે. તેમણે કહ્યું કે ઇંગ્લેન્ડમાં સીરિઝ મારા કાર્યકાળ દરમિયાન ડ્રો થઈ હતી. ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપની જીત દરમિયાન પણ હું કોચ હતો. પરંતુ અહીં આપણે ટેસ્ટ ક્રિકેટ વિશે વાત કરી રહ્યા છીએ, જ્યાં તેઓ 9માંથી 5 ટેસ્ટ મેચ હારી ગયા છે. જીત બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડીઝ સામે આવી છે, બંને નબળી ટીમો છે. આવા પ્રદર્શન બાદ હવે એવું લાગે છે કે આ ટીમ, ગયા વખતની જેમ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં નહીં પહોંચી શકે.

About The Author

Related Posts

Top News

‘મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઈક્સ અને વ્યૂઝ નહીં...’, ટીકાકારો પર વરસ્યા ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર

ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ રવિવાર (23 ઓગસ્ટ)થી કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC)માં રમાઈ રહી...
Sports 
‘મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઈક્સ અને વ્યૂઝ નહીં...’, ટીકાકારો પર વરસ્યા ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર

42 વર્ષ જીવવાનું છે... હાઈ કોર્ટે મહિલાનું ભરણપોષણ 10 લાખથી વધારીને 40 લાખ કર્યું

ઝારખંડ હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં 28 વર્ષીય મહિલાને આપવામાં આવતા કાયમી ભરણપોષણની રકમ ₹10 લાખથી વધારીને ₹40 લાખ કરી દીધી...
National 
42 વર્ષ જીવવાનું છે... હાઈ કોર્ટે મહિલાનું ભરણપોષણ 10 લાખથી વધારીને 40 લાખ કર્યું

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-08-2026 દિવસ: મંગળવાર મેષ: દરેક કાર્ય ધીરે ધીરે પૂર્ણ થતા લાગે, કૌટુંબિક પ્રશ્નોમાં ઉકેલ મળે, સ્વજનો અંગેની ચિંતા દૂર...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી- દીકરી પાછી લાવી આપો

વડોદરા જિલ્લામાંથી લવ-જેહાદનો મામલો સામે આવ્યો છે. કરજણ તાલુકાના કિયા ગામના ફૈઝલ મજીદ દિવાન નામના યુવક સામે જંબુસરની હિન્દુ ડૉક્ટર...
Gujarat 
વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી-  દીકરી પાછી લાવી આપો

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.