શું સાઉથ આફ્રિકા સામે શરમજનક હાર પાછળ ગંભીરનો મોટો હાથ છે, આ કારણો તો એવું જ દર્શાવે છે

ભારતીય ટેસ્ટ ટીમને ફરી એકવાર ખરેખર નિરાશાજનક દિવસનો સામનો કરવો પડ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે 0-3થી હાર્યા બાદ, ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે પણ હારી ગઈ છે. આ હાર બાદ હેડ કોચ ગૌતમ ગંભીરની ખૂબ ટીકા થઈ રહી છે. હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરે આ સીરિઝમાં કેટલીક ભૂલો કરી હતી, જેના કારણે ભારતીય ટીમને હાર મળી. એ સાચું છે કે ગૌતમ ગંભીર કોચ છે અને તેઓ મેદાન પર રમવા ઉતરતા નથી, પરંતુ તેમના કેટલાક નિર્ણયો ચોક્કસપણે ભારતીય ટીમ વિરુદ્ધ ગયા હતા. ચાલો આ સીરિઝમાં ગંભીરે કરેલી ભૂલો પર એક નજર કરીએ.

ગૌતમ ગંભીરની પહેલી અને સૌથી મોટી ભૂલ પ્લેઈંગ ઈલેવન સાથે ચેડાં કરવાની હતી. ગૌતમ ગંભીરે પહેલી ટેસ્ટ મેચમાં નંબર 3 બેટ્સમેન સાઈ સુદર્શનને પડતો મૂક્યો અને તેની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કર્યો. પરતું આગામી ટેસ્ટ મેચમાં સુંદરને નંબર-8 પર ઉતાર્યો. રવિ શાસ્ત્રી અને અનિલ કુંબલે સહિત ઘણા અનુભવી ખેલાડીઓએ આ નિર્ણયની ટીકા કરી.

gambhir2
sports.ndtv.com

ગૌતમ ગંભીરની બીજી મોટી ભૂલ આ ટેસ્ટ સીરિઝમાં સારા બેટ્સમેન કરતા ઓલરાઉન્ડરો પર વધુ ભરોસો વ્યક્ત કર્યો.. કોલકાતાની પડકારજનક વિકેટ અને ગુવાહાટીની રમતિયાળ વિકેટ પર સારા બેટ્સમેનોનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો.

ગૌતમ ગંભીરની ત્રીજી મોટી ભૂલ ઘરેલુ ટેસ્ટ સીરિઝમાં પીચ પસંદગી મહત્ત્વપૂર્ણ હોય છે અને ગંભીર આ મોરચે પણ નિષ્ફળ ગયા. કોલકાતામાં ટર્નિંગ ટ્રેક પર ફસાયા તો ગુવાહાટીમાં ફ્લેટ વિકેટ લીધી. જોકે, બંનેમાંથી કોઈ કામ આવ્યું ન આવી. ખેલાડીઓએ ખરાબ પ્રદર્શન કર્યું, પરંતુ ગંભીરના કેટલાક નિર્ણયો પણ તેનું કારણ હતા. કુંબલે અને કૈફે સ્પષ્ટપણે કહ્યું કે ખેલાડીઓ અસુરક્ષિત અનુભવી રહ્યા છે અને ખેલાડીઓને પોતાની ભૂમિકાને લઈને સ્પષ્ટતા જ નથી.

Team-India
BCCI

ગૌતમ ગંભીર ઘણીવાર કહે છે કે તે સૌથી સફળ કોચ નહીં, પરંતુ સૌથી નીડર કોચ બનવા માગે છે. નીડર કોચ બનવાના પ્રયાસમાં તેમણે ભારતીય ક્રિકેટ ટીમને 30-35 વર્ષ પાછળ લઈને જતા રહ્યા છે, જ્યારે ટીમ ઘરે અને બહાર બંને જગ્યાએ હારતી હતી. ગૌતમ ગંભીર હાઇ-રિસ્ક રિવોર્ડની વાત કરે છે, પરંતુ આ અભિગમ ફક્ત તેમના નિવેદનોમાં જ નજરે પડે છે. પરિસ્થિતિ એવી છે કે હવે ગૌતમ ગંભીરને તેની સફળતાઓ ગણાવવી પડે છે. તેમણે કહ્યું કે ઇંગ્લેન્ડમાં સીરિઝ મારા કાર્યકાળ દરમિયાન ડ્રો થઈ હતી. ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપની જીત દરમિયાન પણ હું કોચ હતો. પરંતુ અહીં આપણે ટેસ્ટ ક્રિકેટ વિશે વાત કરી રહ્યા છીએ, જ્યાં તેઓ 9માંથી 5 ટેસ્ટ મેચ હારી ગયા છે. જીત બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડીઝ સામે આવી છે, બંને નબળી ટીમો છે. આવા પ્રદર્શન બાદ હવે એવું લાગે છે કે આ ટીમ, ગયા વખતની જેમ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં નહીં પહોંચી શકે.

About The Author

Related Posts

Top News

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્ત્વપૂર્ણપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા...
Gujarat 
કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લેતી. બેંક ઓફ બરોડાએ અનિલ અંબાણી અને તેની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન સામે નવો...
Business 
અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.