જાડેજાએ કહ્યું- CSKના ફેન્સ મારા આઉટ થવા માટે પ્રાર્થના કરે છે કારણ કે...

ચેપોક સ્ટેડિયમમાં બુધવારે (10 મે) રમાયેલી નિર્ણાયક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 27 રને હરાવીને પ્લેઓફમાં પહોંચવાની તેમની આશા મજબૂત કરી. ચેન્નાઈની આ જીતમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મહત્વનું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં એક વિકેટ લેવાની સાથે તેણે બેટ વડે 16 બોલમાં 21 રનની મૂલ્યવાન ઇનિંગ પણ રમી હતી.

તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. ઈજામાંથી પરત ફર્યા બાદ જાડેજા સારી બેટિંગ કરી રહ્યો છે અને ઓલરાઉન્ડરે આખરે ચાહકોના મનપસંદ MS ધોનીથી પહેલા આવીને બેટિંગ કરવા પર પોતાનું મૌન તોડ્યું છે. દર વખતે આ સિઝનમાં એવું જોવામાં આવ્યું છે કે જાડેજા ધોની પહેલા બેટિંગ કરવા આવે છે અને દરેક વખતે ચાહકો તેને આઉટ કરવા માટે પ્રાર્થના કરતા જોવા મળે છે, જેથી કરીને MS ધોની બેટિંગ કરવા આવી શકે.

જ્યારે જાડેજાને આ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે જાડેજાએ સીધો જવાબ આપ્યો કે, જ્યારે તે 7માં નંબર પર બેટિંગ કરવા ઉતરે છે ત્યારે તેને CSK ફેન્સ તરફથી MS ધોનીના નારા સાંભળવા મળે છે અને જ્યારે તે બેટિંગ કરવા આવે છે ત્યારે લોકો તેની પાસેથી આઉટ થવાની અપેક્ષા રાખે છે, જેથી ધોની બેટિંગ માટે બહાર આવી શકે છે. જાડેજાએ મેચ પછી આ વિશે વાત કરતા કહ્યું, 'હું માહી ભાઈના નારા સાંભળતો રહું છું. જો હું પહેલા બેટિંગ કરીશ તો ભીડ મારા આઉટ થવાની રાહ જોશે. જ્યાં સુધી ટીમ જીતે છે ત્યાં સુધી હું ખુશ છું.'

બીજી તરફ, આ શાનદાર જીત પછી, કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સંતુષ્ટ દેખાતો ન હતો અને તેના બેટિંગ યુનિટની ભૂલો ગણવા લાગ્યો હતો. ધોનીએ કહ્યું કે તેની ટીમે બેટિંગમાં વધુ સારું પ્રદર્શન કરવું પડશે. નવ બોલમાં 20 રન બનાવનાર ધોનીએ કહ્યું, 'મારું કામ કેટલાક ચોગ્ગા અને છગ્ગા મારવાનું છે. હું જેટલી પણ બોલ રમી રહ્યો છું, તેમાં યોગદાન આપીને ખુશ છું.

બીજા હાફમાં બોલ ઘણો ટર્ન લઈ રહ્યો હતો. અમારા સ્પિનરોએ સીમનો પૂરો ફાયદો ઉઠાવ્યો. હું ઇચ્છતો હતો કે બોલરો માત્ર વિકેટો જ ન શોધે પરંતુ શ્રેષ્ઠ બોલિંગ કરે. બેટિંગ યુનિટ તરીકે અમે વધુ સારું પ્રદર્શન કરી શક્યા હોત. કેટલાક એવા શોટ્સ હતા જે આ પીચ પર ન રમવા જોઈએ. સારી વાત એ છે કે, મોઈન અને જાડેજાને બેટિંગ કરવાની તક મળી. છેલ્લી મેચ પહેલા દરેકને થોડી બેટિંગ પ્રેક્ટિસ મળી ગઈ છે.

બીજી તરફ, જો આ મેચની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 27 રને હરાવીને પ્લેઓફ તરફ મજબૂત આગેકૂચ કરી છે. 12 મેચમાં ચેન્નાઈની આ સાતમી જીત છે અને હવે ધોનીની ટીમના 15 પોઈન્ટ છે અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે, દિલ્હીની ટીમ આ મેચમાં હાર સાથે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, એ જોવું રસપ્રદ રહેશે કે ધોનીની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ કે બીજા સ્થાને રહી શકે છે કે નહીં, કારણ કે જો ચેન્નાઈની ટીમ પ્રથમ કે બીજા સ્થાને રહેશે તો તેને ફાઈનલ રમવાની વધારાની તક મળશે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.