પૂર્વ પાકિસ્તાની ખેલાડીના મતે કોહલીને RCB નહીં આ IPLની ટીમ માટે રમવું જોઈએ

On

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 13 વર્ષ પછી ઘરેલુ ક્રિકેટ રમવા માટે મેદાન પર ઉતર્યા. તેણે આટલા વર્ષો પછી દિલ્હીમાં રેલવે સામે રણજી ટ્રોફી મેચ રમી. દિલ્હીમાં રમાયેલી આ મેચમાં, કોહલીની ટીમે એક ઇનિંગ્સ અને 19 રનથી જીત મેળવી હતી અને આ મેચ દરમિયાન, કોહલીની રમત જોવા માટે સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કોહલીના કારણે, આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ થયું હતું અને તેનું લાઈવ સ્ટ્રીમિંગ પણ થયું હતું.

દિલ્હીમાં વિરાટ કોહલીની લોકપ્રિયતા જોઈને ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર બાસિત અલીએ કહ્યું કે, તેણે IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને બદલે દિલ્હી કેપિટલ્સ તરફથી રમવું જોઈએ. રણજી ટ્રોફી મેચમાં સ્ટાર બેટ્સમેન કોહલીને રમતા જોવા માટે એકત્ર થયેલી વિશાળ ભીડને ધ્યાનમાં રાખીને બાસિત અલીએ આ વાત કહી. કોહલીએ રેલવે સામે રમતા પહેલા ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બેટિંગ કોચ સંજય બાંગર પાસેથી પોતાની બેટિંગમાં રહેલી ટેકનિકલ ખામીઓને દૂર કરવા માટે તાલીમ પણ લીધી હતી. આ મેચમાં જ્યારે કોહલી 6 રન બનાવીને આઉટ થયો ત્યારે ક્રિકેટ ચાહકો સ્ટેડિયમ છોડીને ચાલ્યા ગયા હતા.

પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા બાસિત અલીએ કહ્યું કે, મેં મારા જીવનમાં બહુ ઓછા ખેલાડીઓ જોયા છે, કદાચ ફક્ત 2-3, જેમની આટલી ફેન ફોલોઈંગ હોય. હવે તે પાકિસ્તાનમાં પણ એક ટ્રેન્ડ બની ગયો છે. બધા લખી રહ્યા હતા, 'જુઓ, આને આદર કહેવાય'. બાસિત અલીએ વધુમાં કહ્યું કે, આ વ્યક્તિ (વિરાટ કોહલી) IPLમાં દિલ્હી માટે કેમ નથી રમતો, તે RCB માટે કેમ રમે છે? તે પોતાના જૂના મિત્રો અને લોકો સાથે મજા કરી રહ્યો હતો. ચાહકો ફક્ત તેમના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા હતા અને સતત 7 કલાક સુધી 'કોહલી, કોહલી'ના નારા લગાવતા રહ્યા.

અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં રમાયેલી આ મેચમાં વિરાટ કોહલીના કારણે જ ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી. આ અંગે DDCAના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 30 વર્ષના કરિયરમાં પહેલીવાર તેમણે રણજી મેચમાં આટલી મોટી ભીડ જોઈ છે અને તે ફક્ત કોહલીના કારણે જ શક્ય બન્યું છે. દરમિયાન, DDCAના પ્રમુખ રોહન જેટલીએ કોહલીના કારણે ચાહકો માટે સ્ટેડિયમમાં મફતમાં મેચ જોવાની વ્યવસ્થા કરી હતી. મેચના દિવસોમાં, કોહલીને જોવા માટે સવારે 5 વાગ્યાથી જ અરુણ જેટલી સ્ટેડિયમના દરવાજા પર કતારો જોવા મળતી હતી. જોકે, કોહલી આ મેચમાં ફક્ત એક જ ઇનિંગ રમી શક્યો અને 6 રન બનાવીને આઉટ થયો હતો.

Top News

PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

(પ્રોફેસર કિરણ પંડ્યા) હું એ સમજાવવાનો પ્રયત્ન પ્રયત્ન કરી રહ્યો છું કે કોઈપણ ચેટબોટના સકારાત્મક કે નકારાત્મક જવાબને બહુ ગંભીરતાથી...
Education 
PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.