IPL 2024: GTએ મોહમ્મદ શમી અને MIએ મદુશંકાની જગ્યાએ આ ખેલાડીઓને લીધા

ગુજરાત ટાઈટન્સ (GT)એ ધાકડ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે. ઇજાના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં નહીં રમી શકે. ગુજરાતે મોહમ્મદ શમીની જગ્યાએ કેરળના સંદીપ વારિયરને ટીમમાં સામેલ કર્યો છે. તેણે IPLમાં કુલ 5 મેચ રમી છે. તે IPLમાં છેલ્લી વખત વર્ષ 2021માં મેદાન પર ઉતર્યો હતો. શમીએ IPL 2023માં 28 વિકેટ લઈને પર્પલ કેપ પોતાના નામે કરી હતી. તો મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ ઇજાગ્રસ્ત દિલશાન મદુશંકાની જગ્યાએ દક્ષિણ આફ્રિકાના 17 વર્ષીય પેસર ક્વેના મફાકાને ટીમ સાથે જોડ્યો છે.

શ્રીલંકન ફાસ્ટ બોલર મદુશંકા બાંગ્લાદેશ સામેની સીરિઝમાં ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. IPLની 17મી સીઝનની શરૂઆત 22 માર્ચથી શરૂ થવા જઇ રહી છે. IPLએ બુધવારે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, ગુજરાત ટાઈટન્સે શમીના રિપ્લેસમેન્ટના રૂપમાં 32 વર્ષીય ફાસ્ટ બોલર સંદીપ વારિયરને જોડ્યો છે. શમીએ હાલમાં જ એડીની સફળતાપૂર્વક સર્જરી કરાવી છે અને રિકવર થઈ રહ્યો છે. સંદીપ વારિયર 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝ પર ગુજરાતની ટીમમાં સામેલ થયો છે.

બીજી તરફ મદુશંકા ઇજાગ્રસ્ત થવાના કારણે આગામી સીઝનથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ આફ્રિકન ફાસ્ટ બોલર માફાકા 50 લાખ રૂપિયામાં મુંબઇનો હિસ્સો બનશે. ઉલ્લેખનીય છે કે, મફાકાને અંડર-19 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 21 વિકેટ લીધી હતી. તેને 2 વખત 5-5 વિકેટ લીધી હતી અને એક વખત 6 વિકેટ પોતાના નામે કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ શમી છેલ્લી વખત વન-ડે વર્લ્ડ કપ 2023માં મેદાનમાં ઉતર્યો હતો. તેણે વર્લ્ડ કપમાં ધારદાર બોલિંગ કરતા 7 મેચમાં 24 વિકેટ લીધી હતી. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર રહ્યો. તે પેન કિલર લઈને ભારત માટે મેચ રમ્યો હતો. શમી ઇજાથી સારો થવા માટે જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયે લંડન ગયો હતો. ડૉક્ટરોએ પહેલા ઇન્જેક્શનથી ટ્રીટમેન્ટ કરી. શમીને જ્યારે ઇન્જેક્શનથી ફાયદો ન થયો તો સર્જરી કરાવવી પડી.

શમીને ફિટ થતા ઘણો સમય લાગશે. તે T20 વર્લ્ડ કપ 2024થી પણ બહાર થઈ ગયો છે, જેનું આયોજન વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકાની સંયુક્ત મેજબાનીમાં જૂનમાં આયોજિત થવાનો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે થોડા દિવસ અગાઉ તેની પુષ્ટિ કરી હતી. મોહમ્મદ શમી બાંગ્લાદેશ વિરુદ્ધ ઘરેલુ ટેસ્ટ સીરિઝમાં ભારત માટે રમી શકે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સીરિઝ આ વર્ષે સપ્ટેમ્બરમાં આયોજિત થવાની છે.

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.