પોતાની મર્સિડિઝ કારમાં તિલક વર્માને પ્રેક્ટિસ માટે લઈ ગયો રોહિત શર્મા, જુઓ વીડિયો

બુધવારે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મેચ રમાશે. આ મેચ પ્લેઓફની દૃષ્ટિએ બંને ટીમો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મેચ જે પણ ટીમ જીતશે, તેની આશાઓ વધુ મજબૂત બનશે. આ મેચ માટે બંને ટીમો ખૂબ મહેનત કરી રહી છે. આ દરમિયાન, રોહિત શર્મા તાજેતરમાં જ તેના સાથી તિલક વર્માને તેની સિલ્વર મર્સિડિઝ કારમાં પ્રેક્ટિસ સત્ર માટે લઈ જતો જોવા મળ્યો હતો. આ ઘટના આગામી IPL 2025માં દિલ્હી કેપિટલ્સ (DC) સામેની મેચ અગાઉની છે, જે 21 મેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

rohit1
BCCI

 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોવા મળ્યું હતું કે રોહિત શર્મા ડ્રાઇવિંગ સીટ પર છે, જ્યારે તિલક વર્મા પાછળની સીટ પર બેસે છે. બંને ખેલાડીઓ MI ટ્રેનિંગ જર્સીમાં જોવા મળ્યા હતા, જેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ પ્રેક્ટિસ સેશન માટે જઈ રહ્યા હતા. સીઝનમાં અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો રોહિત શર્માએ 11 મેચમાં 30ની સરેરાશ અને 152.28ની સ્ટ્રાઇક રેટથી 300 રન બનાવ્યા છે, જેમાં 3 અડધી સદીનો સમાવેશ થાય છે. તો, તિલક વર્માએ 9 ઇનિંગ્સમાં 35.14ની સરેરાશ અને 138.98ની સ્ટ્રાઇક રેટ સાથે 246 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદીનો સમાવેશ થાય છે.

મુંબઈ ઈન્ડિયન્સ હાલમાં 12 મેચમાં 7 જીત અને 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે, જેના કારણે MI પર અંતિમ સ્થાન માટે દબાણ વધ્યું છે. દિલ્હી કેપિટલ્સ 13 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે અને તેની 2 મેચ બાકી છે. એટલે બંને ટીમો વચ્ચેની આ મેચ પ્લેઓફની રેસમાં નિર્ણાયક બની શકે છે. મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી લીગ મેચ 26 મેના રોજ જયપુરમાં પંજાબ કિંગ્સ સામે રમાશે.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.