ઇંગ્લેન્ડના પૂર્વ કોચે હાર્દિક પંડ્યાને કેમ કહી દીધો માથાનો દુઃખાવો?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં લખનૌ સુપર જાયન્ટ્સ (GT) અને ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચે રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચ ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ લખનૌમાં રમાઈ હતી. આ મેચ અગાઉ ઇંગ્લેન્ડની ટીમના ક્રિકેટર અને પૂર્વ કોચ પોલ કોલિંગવુડે પોતાના એક નિવેદનમાં હાર્દિક પંડ્યાને માથાનો દુઃખાવો કહી દીધો હતો.

કોલિંગવુડે હાર્દિક પંડ્યાના વખાણ કરતા કહ્યું કે, જ્યારે તેઓ ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમના હેડ કોચ હતા, એ સમયે ભારત વિરુદ્ધ એક સીરિઝમાં હાર્દિક પંડ્યા તેમના માટે માથાનો દુઃખાવો સાબિત થયો હતો. સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાતચીત કરતા પોલ કોલિંગવુડે હાર્દિક પંડ્યાને લઈને કહ્યું હતું કે, તે એક રોકસ્ટાર છે અને સૌથી વધુ મનોરંજક ખેલાડી છે. તે સામેથી નેતૃત્વ કરે છે. જ્યારે અમે ભારત વિરુદ્ધ રમી રહ્યા હતા તો ઇંગ્લેન્ડના કોચના રૂપમાં તેણે મને સૌથી વધારે માથાનો દુઃખાવો આપ્યો.

તે એવો ખેલાડી છે જે પોતાના પ્રદર્શનથી રમતની દિશા બદલી શકે છે અને આ જ વસ્તુ તેને કોઈ પણ વિપક્ષી ટીમ માટે જોખમી બનાવે છે. એ સીઝનમાં હાર્દિક પંડ્યાએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પહેલી T20 ઇન્ટરનેશનલમાં અડધી સદી બનાવી હતી અને અંતિમ અને નિર્ણાયક મેચમાં પણ 71 રનની ઇનિંગ રમી હતી. આ અગાઉ હાર્દિક પંડ્યાએ વન-ડે સીરિઝમાં કુલ 100 રન બનાવ્યા હતા અને 6 વિકેટ લીધી હતી. ભારતે વન-ડે અને T20 બંને સીરિઝ પોતાના નામે કરી હતી.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડયાએ IPL 2023માં અત્યાર સુધી કુલ 6 મેચ રમી છે. હાર્દિક પંડ્યાએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વિરુદ્ધ 8 રન બનાવ્યા, દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 5, પંજાબ કિંગ્સ વિરુદ્ધ 8 અને રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ 28 રન બનાવ્યા અને 1 વિકેટ લીધી. જો લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે થયેલી મેચની વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ગુજરાતની ઇનિંગની શરૂઆત ખૂબ જ ખરાબ રહી.

પહેલી 2 ઓવરમાં માત્ર 5 રન બનાવ્યા અને બીજી ઓવરના પહેલા બૉલ પર જ ઑપનર શુભમન ગિલે પોતાની વિકેટ ગુમાવી દીધી. ગુજરાત ટાઈટન્સની ટીમ સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 135 રન જ બનાવી શકી. ટીમ તરફથી સૌથી વધુ રન કેપ્ટન હાર્દિક પંડ્યાએ 66 રન બનાવ્યા જ્યારે ઋદ્ધિમાન સાહાએ 47 રન બનાવ્યા. તો 136 રનનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમ સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 128 રન જ બનાવી શકી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.