વન-ડે સીરિઝમાં વ્હાઇટ વોશ મળ્યા બાદ નિરાશ શ્રીલંકન કેપ્ટને જુઓ શું કહ્યું

રવિવારે રમાયેલી વન-ડે સીરિઝની ત્રીજી મેચમાં ભારતીય ટીમે શ્રીલંકન ટીમને 317 રનના મોટા અંતરથી હરાવી દીધી હતી. આ પ્રકારે ભારતીય ટીમે 3 વન-ડે મેચોની સીરિઝ 3-0થી પોતાના નામે કરી દીધી. આ મેચમાં શ્રીલંકન ટીમને જીત માટે 391 રનનું વિશાળ લક્ષ્ય મળ્યું હતું, પરંતુ દાસુન શનાકાની ટીમ 22 ઓવરમાં માત્ર 73 રનો પર જ સમેટાઇ ગઇ હતી. શ્રીલંકા માટે ઓપનર નુવાનિદૂ ફર્નાન્ડોએ સૌથી વધુ 19 રન બનાવ્યા. એ સિવાય મોટા ભાગના ખેલાડી ડબલ ડિજિટના આંકડા સુધી પહોંચવામાં પણ નિષ્ફળ રહ્યા.

તો આ હારથી નિરાશ શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાએ કહ્યું કે, આ પ્રકારની હાર ખૂબ નિરાશાજનક છે. અમે ટીમ તરીકે આ પ્રકારની મેચ નથી ઇચ્છતા, પરંતુ ક્યારેક-ક્યારેક એમ થાય છે. અમારા બોલરો સિવાય બેટ્સમેનોએ પણ શીખવું પડશે. અમારા ખેલાડીઓએ શીખવું પડશે કે આ પ્રકારની વિકેટ પર કઇ રીતે આઉટ કરી શકાય અને કયા પ્રકારે રન બનાવી શકાય છે. એ સિવાય બંડારા અને વેન્ડરસેની ઇજા પર દાસુન શનાકાએ કહ્યું કે, તેને હાલમાં કોઇ આઇડિયા નથી.

દાસુન શનાકાએ કહ્યું કે, પોઝિટિવ ક્રિકેટ રમવી ખૂબ મહત્ત્વની છે. જો કે, દાસુન શનાકાએ સારી ક્રિકેટ માટે ભારતીય ટીમના વખાણ કર્યા. તેણે કહ્યું કે, ભારતીય ટીમે જે પ્રકારની ક્રિકેટ રમી, અમે તેને શુભેચ્છા પાઠવીએ છીએ. ઐતિહાસિક જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, આ એક એવી સીરિઝ હતી, જેમાં ભારતીય બેટ્સમેનોએ રન બનાવ્યા અને બોલરોએ સારી બોલિંગ કરી. આખી સીરિઝ દરમિયાન બેટ્સમેનોએ રન બનાવ્યાં, એ જોવું સારું રહ્યું. છેલ્લા કેટલાક વર્ષોમાં અમે મોહમ્મદ સિરાજને આગળ વધતા અને સારું કરતા જોયો છે.

અમે સિરાજને 5 વિકેટ લેવામાં મદદ કરવા માટે દરેક પ્રકારનો પ્રયત્ન કર્યો, પરંતુ તે ન લઇ શક્યો. તે શાનદાર બોલિંગ કરી રહ્યો છે. સિરાજ શાનદાર બોલર છે.  મેચની વાત કરીએ તો ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા વિરાટ કોહલીના નોટઆઉટ 166 રન અને શુભમન ગિલ 116 રનની મદદથી સીમિત 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 390 રન બનાવ્યા હતા, 391 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમ 22 ઓવરમાં 73 રન પર જ સમેટાઇ ગઇ હતી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.