ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઇરફાન અને ગાવસ્કરે પસંદ કરી પોતાની ડ્રીમ ટીમ

ચેમ્પિયન્સ ટ્રોફી ટીમની જાહેરાતને લઈને ભારતીય ક્રિકેટ ચાહકોની નજર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પર ટકેલી છે. આ દરમિયાન, મહાન સુનીલ ગાવસ્કર અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની ટીમની પસંદગી કરી છે. અજિત અગરકરની આગેવાની હેઠળની BCCI પસંદગી સમિતિએ તાજેતરમાં જ જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવની ઉપલબ્ધતા અંગે સસ્પેન્સને કારણે ICCને ટીમની જાહેરાત માટે થોડો સમય આપવાની વિનંતી કરી છે. ટીમની સત્તાવાર જાહેરાત 19 જાન્યુઆરીએ થવાની ધારણા છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે લગભગ મોટાભાગની ટીમોની જાહેરાત થઈ ગઈ છે. પરંતુ ટીમ ઈન્ડિયાની જાહેરાત હજુ પણ વિલંબિત થઈ રહી છે. ભારત આ અઠવાડિયે પોતાની ટીમની જાહેરાત કરી શકે છે. આ દરમિયાન, ઇરફાન પઠાણ અને સુનીલ ગાવસ્કરે પોતાની ભારતીય ટીમની પસંદગી કરી લીધી છે. તેમણે ટીમમાં શ્રેયસ ઐયર, KL રાહુલ જેવા ખેલાડીઓને તક આપી છે.

તેમણે કહ્યું, 'જો હું હોત, તો મેં એ જોયું હોત કે, તાજેતરના સમયમાં કોણે સારું પ્રદર્શન કર્યું છે. KL રાહુલે 50 ઓવરના વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. શ્રેયસ ઐયર, જે રીતે તે ODI વર્લ્ડ કપમાં રમ્યો, મને લાગે છે કે તેણે ટીમમાં પાછા ફરવું જોઈએ. છેલ્લા કેટલાક મહિનાઓથી તેની અવગણના કરવામાં આવી રહી છે. હું આ બંને ખેલાડીઓને મારી ટીમમાં તક આપીશ.'

ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે કહ્યું, 'મારા માટે, શ્રેયસ ઐયર ચોથા નંબર પર રહેશે, KL રાહુલ પાંચમા નંબરે અને રિષભ પંત છઠ્ઠા નંબરે રહેશે. સંજુ સેમસન ટીમમાં હોવો જોઈએ, કારણ કે તેણે ભારત માટે ઘણી સદીઓ ફટકારી છે. તમે એવા ખેલાડીને કેવી રીતે અવગણી શકો છો, જે તેની ટીમ માટે સદી ફટકારી રહ્યો છે.'

ઇરફાન પઠાણે કહ્યું, 'જો આવી ટીમ હોય તો રવિન્દ્ર જાડેજાએ 8મા નંબર પર આવવું જોઈએ. મોહમ્મદ સિરાજને બેકઅપ સીમર તરીકે રાખી શકાય છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી ટીમમાં રહેશે કે નહીં તેના પર પણ તેનો આધાર રહેશે.' ગાવસ્કરે કહ્યું કે, 'જો તે બંને ન હોય તો અર્શદીપ સિંહને પણ બેકઅપ સીમર તરીકે રાખી શકાય છે.'

ગાવસ્કર અને ઇરફાનની પસંદગીની ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શુભમન ગિલ, રિષભ પંત, KL રાહુલ, હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐયર, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, સંજુ સેમસન.

Top News

‘રામ મંદિર નિર્માણમાં સરકારનો એક પણ પૈસો લાગ્યો નથી’, અધ્યક્ષે જણાવ્યું- કેવી રીતે બન્યું આટલું ભવ્ય મંદિર?

અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ મંદિર 71 એકરમાં ફેલાયેલું...
National 
‘રામ મંદિર નિર્માણમાં સરકારનો એક પણ પૈસો લાગ્યો નથી’,  અધ્યક્ષે જણાવ્યું- કેવી રીતે બન્યું આટલું ભવ્ય મંદિર?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 07-06-2025 દિવસ: શનિવાર મેષ: જો તમારા હાથમાં મોટી રકમ આવશે તો તમારી ખુશીનો પાર રહેશે નહીં. પરિવારના કોઈ સભ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

ભારતીય ટીમ 5 ટેસ્ટ, 3 વન-ડે અને 3 T20 મેચોની સીરિઝ માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. વિરાટ કોહલી...
Sports 
શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

એલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારતમાં જરૂરી લાઇસન્સ મળ્યું છે. મસ્કની કંપની છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં તેની સેવા શરૂ...
Tech and Auto 
એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.