ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઇરફાન અને ગાવસ્કરે પસંદ કરી પોતાની ડ્રીમ ટીમ

On

ચેમ્પિયન્સ ટ્રોફી ટીમની જાહેરાતને લઈને ભારતીય ક્રિકેટ ચાહકોની નજર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પર ટકેલી છે. આ દરમિયાન, મહાન સુનીલ ગાવસ્કર અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાની ટીમની પસંદગી કરી છે. અજિત અગરકરની આગેવાની હેઠળની BCCI પસંદગી સમિતિએ તાજેતરમાં જ જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવની ઉપલબ્ધતા અંગે સસ્પેન્સને કારણે ICCને ટીમની જાહેરાત માટે થોડો સમય આપવાની વિનંતી કરી છે. ટીમની સત્તાવાર જાહેરાત 19 જાન્યુઆરીએ થવાની ધારણા છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે લગભગ મોટાભાગની ટીમોની જાહેરાત થઈ ગઈ છે. પરંતુ ટીમ ઈન્ડિયાની જાહેરાત હજુ પણ વિલંબિત થઈ રહી છે. ભારત આ અઠવાડિયે પોતાની ટીમની જાહેરાત કરી શકે છે. આ દરમિયાન, ઇરફાન પઠાણ અને સુનીલ ગાવસ્કરે પોતાની ભારતીય ટીમની પસંદગી કરી લીધી છે. તેમણે ટીમમાં શ્રેયસ ઐયર, KL રાહુલ જેવા ખેલાડીઓને તક આપી છે.

તેમણે કહ્યું, 'જો હું હોત, તો મેં એ જોયું હોત કે, તાજેતરના સમયમાં કોણે સારું પ્રદર્શન કર્યું છે. KL રાહુલે 50 ઓવરના વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. શ્રેયસ ઐયર, જે રીતે તે ODI વર્લ્ડ કપમાં રમ્યો, મને લાગે છે કે તેણે ટીમમાં પાછા ફરવું જોઈએ. છેલ્લા કેટલાક મહિનાઓથી તેની અવગણના કરવામાં આવી રહી છે. હું આ બંને ખેલાડીઓને મારી ટીમમાં તક આપીશ.'

ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે કહ્યું, 'મારા માટે, શ્રેયસ ઐયર ચોથા નંબર પર રહેશે, KL રાહુલ પાંચમા નંબરે અને રિષભ પંત છઠ્ઠા નંબરે રહેશે. સંજુ સેમસન ટીમમાં હોવો જોઈએ, કારણ કે તેણે ભારત માટે ઘણી સદીઓ ફટકારી છે. તમે એવા ખેલાડીને કેવી રીતે અવગણી શકો છો, જે તેની ટીમ માટે સદી ફટકારી રહ્યો છે.'

ઇરફાન પઠાણે કહ્યું, 'જો આવી ટીમ હોય તો રવિન્દ્ર જાડેજાએ 8મા નંબર પર આવવું જોઈએ. મોહમ્મદ સિરાજને બેકઅપ સીમર તરીકે રાખી શકાય છે. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી ટીમમાં રહેશે કે નહીં તેના પર પણ તેનો આધાર રહેશે.' ગાવસ્કરે કહ્યું કે, 'જો તે બંને ન હોય તો અર્શદીપ સિંહને પણ બેકઅપ સીમર તરીકે રાખી શકાય છે.'

ગાવસ્કર અને ઇરફાનની પસંદગીની ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શુભમન ગિલ, રિષભ પંત, KL રાહુલ, હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐયર, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, સંજુ સેમસન.

Related Posts

Top News

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા...
National  Politics 
છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.