એશિયા કપ અગાઉ ભારતને લાગ્યો મોટો ઝટકો, આ બે ખેલાડી ટીમનો હિસ્સો નહીં હોય

ભારતીય ટીમને એશિયા કપ અગાઉ મોટો ઝટકો લાગ્યો છે. એશિયા કપમાં કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐય્યર ટીમનો હિસ્સો નહીં રહે. એમ માનવામાં આવી રહ્યું હતું કે, કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐય્યર ઇજાથી બહાર આવી ચૂક્યા છે અને બંને ખેલાડી એશિયા કપમાં ભારતીય ટીમ માટે રમતા નજરે પડશે, પરંતુ ફેન્સને નિરાશા હાથ લાગી છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં કે.એલ. રાહુલ બેટિંગ અને વિકેટકીપિંગ પ્રેક્ટિસ કરતો નજરે પડ્યો હતો. ત્યારબાદ ફેન્સમાં આશા જાગી કે, કે.એલ. રાહુલ એશિયા કપમાં રમતો નજરે પડશે, પરંતુ ફરી એક વખત ફેન્સની આશાઓ પર મોટો ઝટકો લાગ્યો છે.

છેલ્લા ઘણા સમયથી કે.એલ. રાહુલ ક્રિકેટના મેદાનથી દૂર છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝન દરમિયાન કે.એલ. રાહુલ ઇજાનો શિકાર થઈ ગયો હતો. ત્યારબાદ તે પોતાની સર્જરી અને રિકવરી પર કામ કરી રહ્યો હતો. તો કે.એલ. રાહુલ સિવાય શ્રેયસ ઐય્યર પણ એશિયા કપમાં નહીં રમી શકે. ભારતીય ટીમ સતત મિડલ ઓર્ડરની સમસ્યાથી ઝઝૂમી રહી છે. એમ માનવામાં આવી રહ્યું છે કે કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐય્યરની વાપસી બાદ મિડલ ઓર્ડરની સમસ્યા ઉકેલાઈ શકતી હતી, પરંતુ હવે સવાલ એ છે કે શું વર્લ્ડ કપ સુધી કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐય્યર ફિટ થઈ શકશે?

જો વર્લ્ડ કપ સુધી કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐય્યર ફિટ નહીં થઈ શકે તો આ રોહિત શર્માની આગેવાનીવાળી ભારતીય ટીમ માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. હાલમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર છે. ભારતીય ટીમે ટેસ્ટ અને વન-ડે સીરિઝમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવી છે. હવે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 5 T20 મેચોની સીરિઝની પહેલી મેચ આજે રમાવાની છે. એશિયા કપ બાદ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 મેચોની ઘરેલુ વન-ડે સીરિઝ રમવાની છે.

આ સીરિઝમાં બંનેને અવસર આપી શકાય છે, પરંતુ ત્રણ મેચોમાં પોતાને વર્લ્ડ કપ માટે ફિટ સાબિત કરવું ખૂબ મુશ્કેલ હશે. સાથે જ આ 3 વન-ડે મેચોથી બંને ખેલાડીઓ સામે પોતાના ફોર્મને સાબિત કરવું મુશ્કેલ હશે. જો આ બંને જ ટેસ્ટમાં બંને ખરા ઉતરતા નથી કે બંનેને સાબિત કરવાનો પણ અવસર મળતો નથી અને એ છતા તેનું વર્લ્ડ કપ માટે સિલેક્શન થાય છે તો તે સવાલોના ઘેરામાં પણ રહેશે. જો કે ફોર્મ અને ફિટનેસ સાબિત કર્યા વિના કોઈ પણ ખેલાડીનું વર્લ્ડ કપ માટે સિલેક્શન થવું ખૂબ મુશ્કેલ છે. એવામાં કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐય્યર સામે વર્લ્ડ કપથી બહાર થવાનું જોખમ મંડરાઈ રહ્યું છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.