ત્રીજી T20મા રોહિત શર્માએ ધોનીને પણ પાછળ છોડી દીધો, આ રેકોર્ડ્સ બન્યા

દિલધડક મેચમાં અફઘાનિસ્તાન સામે જીત મેળવ્યા બાદ રોહિત શર્માની ટીમે 3-0થી સીરિઝ પોતાના નામે કરી લીધી હતી. ત્રીજી મેચમાં તો રોહિત શર્માનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો, જેમાં તેણે ત્રણ ત્રણ વાર બેટિંગ પર ઉતરીને બોલરોને બરાબર ધોયા હતા. સદી ફટકારનાર રોહિત શર્માએ એક એવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો, જેમાં તે ધોનીથી પણ આગળ નીકળી ગયો છે. T20 ઈન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ જીતવાને મામલે તે સંયુક્ત રૂપથી પહેલા સ્થાને પહોંચી ગયો છે. રોહિતની કેપ્ટનશીપમાં ભારતે 55માંથી 42 મેચ જીતી છે. રોહિતે ઈંગ્લેન્ડના ઇયોન મોર્ગન, પાકિસ્તાનના બાબર આઝમ અને અફઘાનિસ્તાનના અસગર અફઘાનની બરાબરી કરી છે. આ ત્રણેયની કપ્તાનીમાં પણ 42 મેચ જીતી છે. ભારત તરફથી સૌથી વધુ T20 મેચ જીતવાનો રેકોર્ડ પહેલા ધોનીના નામે હતો, જેણે 41 મેચ જીતી છે, પરંતુ રોહિતે તેને પાછળ છોડી દીધો છે.

આ સિવાય T20 ઈન્ટરનેશનલમાં રોહિતે પાંચમી સદી ફટકારી દીધી હતી, જે પણ એક રેકોર્ડ છે. આ સિવાય ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ રોહિતે પોતાના નામે કરી લીધો છે. તેણે કેપ્ટન તરીકે 1648 રન બનાવ્યા છે, જ્યારે કોહલીએ 1570 રન બનાવ્યા હતા. T20મા ભારતીય કેપ્ટન તરીકે મેન ઓફ ધ મેચ બનવામાં પણ રોહિત  સૌથી આગળ છે, તેને 6 વાર મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે, જ્યારે કોહલીને 3 વાર આ એવોર્ડ મળ્યો છે.

ત્રીજી T20મા બે-બે સુપરઓવર બાદ ધમાકેદાર જીત મેળવ્યા પછી ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, મને યાદ નથી કે બે-બે સુપરઓવર પહેલા ક્યારે થઈ હતી. મને લાગે છે મેં IPLની એક મેચમાં ત્રણ વાર બેટિંગ કરી હતી. પાર્ટનરશીપ બનાવવી મહત્ત્વપૂર્ણ હતી અને અમે મોટી મેચોમાં આ ઈન્ટેન્ટને ગુમાવ્યા વગર એક-બીજા સાથે વાત કરી હતી અને આ અમારા માટે એક સારી મેચ હતી, દબાણ હતું અને લાંબી અને ઉંડાણથી બેટિંગ કરવી અને ઈન્ટેન્ટ સાથે બાંધછોડ ન કરવું મહત્ત્વપૂર્ણ હતું.

રોહિતે રિંકુ સિંહ વિશે કહ્યું હતું કે, છેલ્લી થોડી સીરિઝ જે એ રમ્યો, તેણે બતાવ્યું કે તે બેટથી શું કરી શકે છે. તે ખૂબ જ શાંત છે અને પોતાની તાકાતને સારી રીતે જાણે છે. ભારત માટે તેણે ખરેખર સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમ માટે આ સારા સંકેત છે. બેકએન્ડ પર એવો કોઈ વ્યક્તિ જોઈતો હતો અને અમે જાણીએ છીએ કે તેણે  IPLમા શું કર્યું છે  અને તે એને ભારતીય રંગમાં પણ લાવ્યો.

Top News

ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે

ભુજ નગરપાલિકાએ શહેરમાં પાણીના બગાડને રોકવા માટે આકરા નિર્ણયો લીધા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ પાણીનો બગાડ કરશે, તો...
Gujarat 
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે

સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા...
National 
સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા

પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...

લગ્ન બાદ પણ પોતાને અપરિણીત બતાવીને છોકરીઓને પ્રેમમાં ફસાવનાર એક  પુરુષનું રહસ્ય તેની જ પત્નીએ ખોલી દીધું. પત્નીએ સોશિયલ મીડિયા...
National 
પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...

ચૈતર વસાવાની ચિમકી, તો PM મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લારી- ગલ્લા, ઘર, ઝુપડાનું દબાણ હટાવી દેવાતા આમ આદમી...
Gujarat 
ચૈતર વસાવાની ચિમકી, તો PM મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું
Copyright (c) Khabarchhe All Rights Reserved.