ત્રીજી T20મા રોહિત શર્માએ ધોનીને પણ પાછળ છોડી દીધો, આ રેકોર્ડ્સ બન્યા

દિલધડક મેચમાં અફઘાનિસ્તાન સામે જીત મેળવ્યા બાદ રોહિત શર્માની ટીમે 3-0થી સીરિઝ પોતાના નામે કરી લીધી હતી. ત્રીજી મેચમાં તો રોહિત શર્માનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો, જેમાં તેણે ત્રણ ત્રણ વાર બેટિંગ પર ઉતરીને બોલરોને બરાબર ધોયા હતા. સદી ફટકારનાર રોહિત શર્માએ એક એવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો, જેમાં તે ધોનીથી પણ આગળ નીકળી ગયો છે. T20 ઈન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ જીતવાને મામલે તે સંયુક્ત રૂપથી પહેલા સ્થાને પહોંચી ગયો છે. રોહિતની કેપ્ટનશીપમાં ભારતે 55માંથી 42 મેચ જીતી છે. રોહિતે ઈંગ્લેન્ડના ઇયોન મોર્ગન, પાકિસ્તાનના બાબર આઝમ અને અફઘાનિસ્તાનના અસગર અફઘાનની બરાબરી કરી છે. આ ત્રણેયની કપ્તાનીમાં પણ 42 મેચ જીતી છે. ભારત તરફથી સૌથી વધુ T20 મેચ જીતવાનો રેકોર્ડ પહેલા ધોનીના નામે હતો, જેણે 41 મેચ જીતી છે, પરંતુ રોહિતે તેને પાછળ છોડી દીધો છે.

આ સિવાય T20 ઈન્ટરનેશનલમાં રોહિતે પાંચમી સદી ફટકારી દીધી હતી, જે પણ એક રેકોર્ડ છે. આ સિવાય ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ રોહિતે પોતાના નામે કરી લીધો છે. તેણે કેપ્ટન તરીકે 1648 રન બનાવ્યા છે, જ્યારે કોહલીએ 1570 રન બનાવ્યા હતા. T20મા ભારતીય કેપ્ટન તરીકે મેન ઓફ ધ મેચ બનવામાં પણ રોહિત  સૌથી આગળ છે, તેને 6 વાર મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે, જ્યારે કોહલીને 3 વાર આ એવોર્ડ મળ્યો છે.

ત્રીજી T20મા બે-બે સુપરઓવર બાદ ધમાકેદાર જીત મેળવ્યા પછી ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, મને યાદ નથી કે બે-બે સુપરઓવર પહેલા ક્યારે થઈ હતી. મને લાગે છે મેં IPLની એક મેચમાં ત્રણ વાર બેટિંગ કરી હતી. પાર્ટનરશીપ બનાવવી મહત્ત્વપૂર્ણ હતી અને અમે મોટી મેચોમાં આ ઈન્ટેન્ટને ગુમાવ્યા વગર એક-બીજા સાથે વાત કરી હતી અને આ અમારા માટે એક સારી મેચ હતી, દબાણ હતું અને લાંબી અને ઉંડાણથી બેટિંગ કરવી અને ઈન્ટેન્ટ સાથે બાંધછોડ ન કરવું મહત્ત્વપૂર્ણ હતું.

રોહિતે રિંકુ સિંહ વિશે કહ્યું હતું કે, છેલ્લી થોડી સીરિઝ જે એ રમ્યો, તેણે બતાવ્યું કે તે બેટથી શું કરી શકે છે. તે ખૂબ જ શાંત છે અને પોતાની તાકાતને સારી રીતે જાણે છે. ભારત માટે તેણે ખરેખર સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમ માટે આ સારા સંકેત છે. બેકએન્ડ પર એવો કોઈ વ્યક્તિ જોઈતો હતો અને અમે જાણીએ છીએ કે તેણે  IPLમા શું કર્યું છે  અને તે એને ભારતીય રંગમાં પણ લાવ્યો.

About The Author

Top News

મધ્ય પ્રદેશ: ભાજપના ધારાસભ્યની ઇનોવા કાર ફાયર બ્રિગેડના પાણીથી ધોવાતા રાજકીય વિવાદ સળગ્યો

મધ્ય પ્રદેશના સિંગરોલીથી ભાજપના ધારાસભ્ય રામનિવાસ શાહના સરકારી બંગલા બહાર તેમની ટોયોટા ઇનોવા કારને ફાયર બ્રિગેડના વાહન વડે ધોવામાં આવી...
Politics 
મધ્ય પ્રદેશ: ભાજપના ધારાસભ્યની ઇનોવા કાર ફાયર બ્રિગેડના પાણીથી ધોવાતા રાજકીય વિવાદ સળગ્યો

વસ્તી ગણતરીમાં ભિખારીઓ અને ભટકતા લોકોના ડેટા નહીં હોય, સરકારે આ નિર્ણય કેમ લીધો?

ભારતની 2027ની વસ્તી ગણતરી દરમિયાન પહેલીવાર એક કામ નહીં કરવામાં આવે. કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો છે, જેની નોટિફિકેશન...
National 
વસ્તી ગણતરીમાં ભિખારીઓ અને ભટકતા લોકોના ડેટા નહીં હોય, સરકારે આ નિર્ણય કેમ લીધો?

હવે દર વર્ષે DGCA દ્વારા તમામ પાઈલટનો ડોપ ટેસ્ટ કરવામાં આવશે; તૈયારીઓ શરૂ

નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાયલટોની સુરક્ષાને લઈને મોટું પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે. મંત્રાલય વર્ષમાં એક વખત તમામ પાઇલટ્સનો ફરજિયાત...
National 
હવે દર વર્ષે DGCA દ્વારા તમામ પાઈલટનો ડોપ ટેસ્ટ કરવામાં આવશે; તૈયારીઓ શરૂ

દેવદત્ત પડિક્કલને પડતો મૂકવો હવે અશક્ય, શું ODI ટીમમાં પણ એન્ટ્રી મળશે?

શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાને એક નવો સ્ટાર મળ્યો છે. વાત થઇ રહી છે દેવદત્ત પડિક્કલની, જેણે શ્રીલંકા સામે...
Sports 
દેવદત્ત પડિક્કલને પડતો મૂકવો હવે અશક્ય, શું ODI ટીમમાં પણ એન્ટ્રી મળશે?

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.