છેલ્લાં 2 વર્લ્ડકપની મેચોમાં આપણી બોલિંગમાં જોશનો અભાવ હતો: ઇરફાન પઠાણ

પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણનું માનવું છે કે, ટીમ ઇન્ડિયા T-20 વર્લ્ડ કપ 2021 અને 2022માં એટલા માટે સફળ નહોતી થઇ કારણ કે ભારત પાસે ફાસ્ટ બોલર અથવા વિવિધતા વાળા બોલર્સનો અભાવ હતો. અત્યારે ટીમ ઇન્ડિયાએ શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામે વન-ડે સીરિઝમાં જીત સાથે શરૂઆત કરી છે. ઇરફાને ન્યૂઝીલેન્ડ સામેની બીજી વન-ડેમાં મોહમ્મદ શમીના પ્રદર્શન પર વાત કરતા કહ્યું હતું કે, જો શમી વર્લ્ડકપ 2023માં જવા માંગતા હોય તો તેમણે બોલિંગમાં થોડો સુધારો કરવો પડશે.

ઇરફાને કહ્યું કે, ભારતે બોલિંગ પર ધ્યાન આપવાની જરૂર છે. આપણે કયા કોમ્બિનેશન સાથે રમવું જોઇએ અને કયા બોલરોને તક મળવી જોઈએ તેનું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. તે પીચોનો તેઓ મહત્તમ ઉપયોગ કેવી રીતે કરે છે તેના પર નિર્ભર છે. અહીં સૌથી મોટી સમસ્યા એ છે કે, પિચો સપાટ છે. અમારી બોલિંગ સારી નથી અને તે જ અમે છેલ્લા બે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે તેમજ ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં જોયું છે. આપણી બોલિંગમાં ચોક્કસપણે ગરમીનો અભાવ જોવા મળ્યો હતો.

પઠાણે કહ્યું કે, હું આપણા બોલરોને વ્યક્તિગત રીતે આગળ વધતા જોવા માંગુ છું કે આપણી પાસે બે બોલર્સ છે જેમને ખાસ પિચોની જરૂર નથી જેની અમને અપેક્ષા છે, પઠાણે સ્ટાર સ્પોર્ટ્સ પર ફોલો ધ બ્લૂઝ શોમાં કહ્યું. એ બે બોલર્સ પાસે ગતિ અથવા વિવિધતા સંબંધિત કુશળતા છે અને મને લાગે છે કે ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો અને દરેક વ્યક્તિ, સુકાની રોહિત શર્મા પણ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે.

ઇરફાને એ પણ કહ્યું કે, ન્યૂઝીલેન્ડ સામેની બીજી વન-ડેમાં મને મોહમ્મદ શમીનું પ્રદર્શન પસંદ આવ્યું હતું. શમીએ આ મેચમાં ન્યૂઝીલેન્ડને 108 રનમાં ઓલઆઉટ કરવમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. શમીએ પોતાની કલાઇથી બોલને અંદર લાવવાનું કામ અસરકારક રહ્યું. તેણે બાન્સર બોલિંગ કરીને પીચનો સારી રીતે ઉપયોગ કર્યો અને બે વિકેટ લીધી હતી.

ભારત ઑક્ટોબર અને નવેમ્બરમાં યોજાનાર ODI વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યું છે, જેમાં શ્રીલંકા સામે 3-0થી સીરિઝ અને ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે સીરિઝ જીતી છે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ પેસ બોલિંગ લાઇન અપમાં મુખ્ય આધાર તરીકે ઉભરી આવ્યા છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.