હાર છતા સેમિફાઇનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, હવે ક્વોલિફાય થવા બચ્યા છે આ સમીકરણો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની યજમાની પાકિસ્તાની ટીમને મળી છે. પરંતુ યજમાન પાકિસ્તાનનું આ ટુર્નામેન્ટમાં પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ટુર્નામેન્ટમાં તેની શરૂઆત એક ખરાબ સપના જેવી રહી. જ્યારે પહેલી જ મેચમાં તેને ન્યુઝીલેન્ડ સામે 60 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, ભારતીય ટીમે તેને 6 વિકેટથી હરાવી દીધું અને સેમિફાઇનલનો રસ્તો ખૂબ જ મુશ્કેલ બનાવી દીધો. પરંતુ ભારત સામે હાર્યા પછી પણ, તેની પાસે સેમિફાઇનલમાં પહોંચવાની તક છે.

Champions Trophy 2025
tv9hindi.com

 

છેલ્લા સ્થાને છે પાકિસ્તાની ટીમ 

પાકિસ્તાની ટીમ હાલમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. તેણે બે મેચ રમી છે અને બંનેમાં હારી છે. તેનો નેટ રન રેટ માઈનસ 1.087 છે. તેની એક મેચ બાંગ્લાદેશ સામે બાકી છે, જે તેને 27 ફેબ્રુઆરીએ રમવાની છે. પાકિસ્તાનને હવે સેમિફાઇનલમાં પહોંચવા માટે નસીબની મદદની જરૂર છે. આપણે તેને ત્રણ મુદ્દાઓ દ્વારા સમજી શકીએ છીએ.

પાકિસ્તાનના સેમિફાઇનલમાં પહોંચવા માટેના સમીકરણો

1. બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 24 ફેબ્રુઆરીએ રાવલપિંડીના મેદાન પર મેચ રમાશે. પાકિસ્તાને પ્રાર્થના કરવી પડશે કે બાંગ્લાદેશની ટીમ ન્યુઝીલેન્ડને હરાવે.

2. પાકિસ્તાની ટીમ 27 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે અને સેમિફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાની ટીમે કોઈપણ ભોગે આ મેચ મોટા માર્જિનથી જીતવી પડશે. જેથી તેનો નેટ રન રેટ વધે.

3. ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે 2 માર્ચે મેચ રમવાની છે. પાકિસ્તાની ટીમે પ્રાર્થના કરવી પડશે કે ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામેની મેચ જીતે.

Champions Trophy 2025
crictracker.com

 

જો ઉપર જણાવેલ ત્રણેય મુદ્દા સાચા હોય, તો તે સ્થિતિમાં ભારતીય ટીમ ગ્રુપ A માંથી ત્રણેય મેચ જીતીને સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગઈ હશે. જ્યારે પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ એક-એક મેચ જીત્યા પછી, ત્રણેય ટીમોના સમાન બે-બે પોઇન્ટ થશે. આ સ્થિતિમાં, જો પાકિસ્તાની ટીમ બાંગ્લાદેશ સામે મોટા માર્જિનથી જીતી ગઈ, તો તેનો નેટ રન રેટ ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ કરતા વધારે થશે. પછી પાકિસ્તાની ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ કરી શકે છે. પરંતુ આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી.

Related Posts

Top News

લંડન જતું પ્લેન અમદાવાદમાં ક્રેશ, 242 મુસાફરો સવાર હતા, CM વિજય રૂપાણી પણ હતા પ્લેનમાં

અમદાવાદમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે, જ્યાં લંડન જતી એક ફ્લાઇટ ક્રેશ થઈ જતા દોડાદોડી થઈ ગઈ છે....
Gujarat 
લંડન જતું પ્લેન અમદાવાદમાં ક્રેશ, 242 મુસાફરો સવાર હતા, CM વિજય રૂપાણી પણ હતા પ્લેનમાં

અમેરિકાએ જણાવ્યું એરપોર્ટ પર ભારતીય યુવકને હથકડી લગાવવાનું કારણ

અમેરિકાના ન્યૂ જર્સીના નેવાર્ક એરપોર્ટ પર ભારતીય નાગરિકને હાથકડી પહેરાવવાનો મામલો આ દિવસોમાં ચર્ચામાં છે. તેના પર હવે એવું અપડેટ...
World 
અમેરિકાએ જણાવ્યું એરપોર્ટ પર ભારતીય યુવકને હથકડી લગાવવાનું કારણ

શુું વિજય માલ્યાએ કાયદેસર રીતે ભારત છોડ્યું હતું?

મુખ્ય સમાચાર માધ્યમોમાં પ્રસારિત થયેલા એક નવા ખુલાસાત્મક ઇન્ટરવ્યુમાં, સંઘર્ષગ્રસ્ત ઉદ્યોગપતિ વિજય માલ્યાએ લાંબા સમયથી ચાલી આવતી જાહેર ધારણાને નકારી...
Opinion 
શુું વિજય માલ્યાએ કાયદેસર રીતે ભારત છોડ્યું હતું?

ઈચ્છા હોવા છતા 14 ટકા ભારતીયો બાળકોને જન્મ આપી શકતા નથી, 38 ટકા લોકો આ વાતથી ડરે છે

ભારતની વાત કરીએ તો, 13 ટકા લોકોએ કહ્યું કે તેઓ બાળકો પેદા કરી શકતા નથી, કારણ કે તેઓ...
National 
ઈચ્છા હોવા છતા 14 ટકા ભારતીયો બાળકોને જન્મ આપી શકતા નથી, 38 ટકા લોકો આ વાતથી ડરે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.