પૂજારાની સરેરાશ 75... ડોમેસ્ટિક ક્રિકેટમાં રનનો વરસાદ, છતા ટીમમાં સ્થાન નહીં

શું ચેતેશ્વર પૂજારાને તેની વધતી ઉંમરને કારણે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવી રહ્યો નથી? શું તેનો રન સ્કોરિંગનો કોઈ ફાયદો નથી? હકીકતમાં, પૂજારાનું બેટ વર્તમાન રણજી સિઝનમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે. આ વખતે પૂજારાએ ઘરેલુ ક્રિકેટમાં 75ની એવરેજથી રન બનાવ્યા છે. આમ છતાં તેને ટીમ ઈન્ડિયામાં તક આપવામાં આવી રહી નથી.

જો ઉંમર બેટિંગ ફોર્મ પર ભારે પડી રહી છે, તો કેપ્ટન રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિનને ટીમમાં જગ્યા મળી છે. જે ચેતેશ્વર પુજારા કરતા ઉંમરમાં મોટા છે.

આજની તારીખ (14 ફેબ્રુઆરી 2023) મુજબ, રોહિત શર્માની ઉંમર 36 વર્ષ, 290 દિવસ છે. જ્યારે રવિચંદ્રન અશ્વિન 37 વર્ષ 150 દિવસનો છે. જ્યારે ચેતેશ્વર પૂજારા 36 વર્ષ 20 દિવસનો છે.

વેલ, ઉંમરથી આગળ વધીને અને ચેતેશ્વર પૂજારાના તાજેતરના ફોર્મ વિશે વાત કરીએ તો, તે ચોક્કસપણે ટીમ ઈન્ડિયામાં રહેવાને લાયક છે.

વિરાટ કોહલીની અનુપલબ્ધતા અને ઇજાગ્રસ્ત KL રાહુલ પછી, પૂજારાને યોગ્ય વિકલ્પ માનવામાં આવી શકે છે. વિરાટના બહાર થયા પછી હૈદરાબાદ ટેસ્ટમાં રજત પાટીદાર રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં આવ્યો હતો. હવે KL રાહુલ ઈજાગ્રસ્ત થયા પછી દેવદત્ત પડિકલ રાજકોટ ટેસ્ટ માટે ટીમમાં આવ્યા છે.

પુજારા, જેને ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ કહેવામાં આવે છે, તેણે આ વખતે રણજી સિઝન (2023/24)માં 6 મેચની 10 ઇનિંગમાં 673 રન બનાવ્યા છે. આમાં તેનો સર્વોચ્ચ સ્કોર 243 નોટઆઉટ રહ્યો છે. પૂજારાની એવરેજ 74.77 રહી છે.

થોડા દિવસો પહેલા રાહુલ દ્રવિડનું એક નિવેદન સમાચારોમાં હતું, જે તેણે ઈશાન કિશનને લઈને આપ્યું હતું. રાહુલે કહ્યું કે, ઈશાન કિશનને ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું જોઈએ, જેથી તેના નામ પર વધુ વિચાર કરી શકાય.

પરંતુ એક ક્રિકેટર (પુજારા) છે જે રણજીમાં સતત પ્રદર્શન કરી રહ્યો છે. આમ છતાં તેને ટીમમાં પસંદ કરવામાં આવી રહ્યો નથી. આવી સ્થિતિમાં ચેતેશ્વર પૂજારાએ બીજું શું કરવું જોઈએ? જેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

શુભમન ગિલ તાજેતરમાં વિઝાગ ટેસ્ટમાં જ હિટ રહ્યો હતો. આ ઇનિંગ્સમાં તેણે 104 રન બનાવ્યા હતા. તે પહેલાં, ગિલની ઇનિંગ્સ (13,18, 6, બેટિંગ નહીં, 10, 29, 2, 26, 36, 10, 23, 0, 34, 104) શરૂ થતાંની સાથે જ સમાપ્ત થઈ ગઈ હતી.

ગીલને જે પ્રકારની તકો મળી અને પૂજારાને ન મળી... કુંબલેએ વિઝાગ ટેસ્ટ પહેલા આ વાતનો ખુલાસો કર્યો હતો. હકીકતમાં, ગિલ લાંબા સમયથી પૂજારાની જગ્યાએ નંબર 3 પર રમી રહ્યો છે. કુંબલેએ કહ્યું હતું કે, પૂજારાને પણ ગિલ જેટલી તકો મળી નથી.

રોહિતે હૈદરાબાદ ટેસ્ટની પૂર્વ સંધ્યાએ અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા પર પણ નિવેદન આપ્યું હતું. ત્યારે રોહિતે કહ્યું હતું કે, 'અમે સિનિયર ખેલાડીઓને લાવવાનું વિચાર્યું હતું, પરંતુ પછી યુવા ખેલાડીઓને ક્યારે તક મળશે. અમે આ વિશે પણ વિચાર્યું. પરંતુ સિનિયર ખેલાડીઓને બહાર રાખવાનો નિર્ણય સરળ ન હતો.'

આવી સ્થિતિમાં રોહિતનું આ નિવેદન પણ ખૂબ જ વિચિત્ર હતું. કારણ કે ટીમની પસંદગી ફોર્મના આધારે જ થવી જોઈએ.

ઈંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણી પહેલા અને તે દરમિયાન ચેતેશ્વર પૂજારાને તક આપવી જોઈએ, તેવી ઘણી માંગણીઓ ઉઠી હતી. ટીમને હજુ પણ અનુભવી બેટ્સમેનની જરૂર છે.

ટેસ્ટ ક્રિકેટના ભરોસાપાત્ર બેટ્સમેનોમાંના એક પુજારા છેલ્લે આ વર્ષે WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયા તરફથી રમતા જોવા મળ્યા હતા.

તેણે 103 ટેસ્ટ મેચમાં 43.60ની એવરેજથી 7195 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 19 સદી અને 35 અડધી સદી આવી. પુજારાનો ટેસ્ટ ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર અણનમ 206 રન છે, જે તેણે ઈંગ્લેન્ડ સામે બનાવ્યો હતો. પૂજારાએ 5 વનડેમાં કુલ 51 રન બનાવ્યા છે.

ચેતેશ્વર પૂજારાની ટેસ્ટ કારકિર્દીઃ 103 મેચ, 7195 રન, 43.60 એવરેજ, 19 સદી, 35 અડધી સદી, 44.36 સ્ટ્રાઈક રેટ, 863 ચોગ્ગા, 16 છગ્ગા.

About The Author

Top News

સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

​સુરત: ફરિયાદીની પુત્રીની દાંતની સારવારમાં સ્મીમેર હોસ્પિટલના દાંત વિભાગના તબીબોએ બેદરકારી દાખવીને જમણી બાજુને બદલે ડાબી બાજુની દાઢ કાઢી નાંખી...
Gujarat 
સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

સુપ્રીમ કોર્ટે દિલ્હી રમખાણો કેસમાં ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામને જામીન ન આપવાના પોતાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. જસ્ટિસ ...
National 
સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

NEET-UG 2026 પેપર લીક કેસની તપાસમાં એક બહુ મોટી સફળતા મળી છે. આ દેશવ્યાપી પરીક્ષા લીક નેટવર્કની તપાસના તાર હવે...
Education 
NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો

હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં એક લગ્ન દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. પરંપરાગત વિધિઓ અને દેખાડાથી દૂર રહીને નવદંપતીઓએ લગ્ન પહેલાં ...
National 
અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.