પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ને પોતાના નિર્ણય બાબતે જાણ કરી દીધી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સાથેના તાજેતરના તણાવ બાદ આ નિર્ણય લીધો છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, ભારતીય ટીમ આગામી મહિને શ્રીલંકામાં આયોજિત થનાર મહિલા ઇમર્જિંગ ટીમ એશિયા કપ અને સપ્ટેમ્બરમાં થનારા પુરુષ એશિયા કપ ટૂર્નામેન્ટનો હિસ્સો નહીં રહે.

BCCI
cricketaddictor.com

 

હાલમાં, પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી, ACCની કમાન સંભાળી રહ્યા છે. મોહસીન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ પણ છે. BCCIનો આ નિર્ણય પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને અલગ-થલગ પાડવાના પ્રયાસનો એક હિસ્સો છે. BCCI સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, ભારતીય ટીમ કોઈ પણ એવા ટૂર્નામેન્ટનો હિસ્સો નહીં હોય, જેના આયોજનની જવાબદારી ACCની છે. આ દેશની ભાવના છે. અમે ACCને આગામી મહિલા ઇમર્જિંગ ટીમ એશિયા કપમાંથી હટવા બાબતે મૌખિક જાણ કરી દીધી છે. અને ભવિષ્યમાં તેના કોઈપણ આયોજનમાં ભાગીદારી કરવામાં નહીં આવે. અમે આ મુદ્દા પર સતત ભારત સરકારના સંપર્કમાં છીએ.

BCCIના આ નિર્ણય બાદ સપ્ટેમ્બરમાં ભારતમાં આયોજિત થનારા એશિયા કપ પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા થઇ ગયા છે. આ ઇવેન્ટમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકાની ટીમો હિસ્સો બનવાની હતી. બોર્ડના નજીકના જાણકારોએ જણાવ્યું હતું કે, BCCI ખબર છે કે ભારત વિના એશિયા કપનું આયોજન સંભાવ નથી કેમ કે, ઇવેન્ટના મોટાભાગના પ્રાયોજકો ભારતથી છે. આ ઉપરાંત, ભારત-પાકિસ્તાન વચ્ચે થનારી મેચ વિના તેના આયોજનમાં બ્રોડકાસ્ટર્સને પણ કોઈ રસ નહીં હોય.

Asia Cup
siasat.com

 

વર્ષ 2024માં, સોની પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયા (ESPNI)170 મિલિયન અમેરિકન ડૉલરમાં એશિયા કપના આગામી 8 વર્ષના બ્રોડકસ્ટિંગ અધિકારો હાંસલ કર્યા હતા. જો ટૂર્નામેન્ટની આ સીઝન નહીં થાય તો ફરીથી આ ડીલ પર કામ કરવું પડશે. ACCના 5 ફુલ ટાઈમ મેમ્બર્સ- ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાનને બ્રોડકસ્ટિંગ રેવન્યૂનો 15-15 ટકા મળે છે. જ્યારે બાકીના પૈસા એસોસિએટ અને એફિલિએટ દેશોને મળે છે.

Related Posts

Top News

અમેરિકા હટાવશે 25 ટકા ટેરિફ, સરકારના મોટા અધિકારીનો દાવો; જાણો શું બોલ્યા

ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને કહ્યું કે, અમેરિકા ટૂંક સમયમાં ભારતીય સામાન પર લાગનારો વધારાના પેનલ 25% ટેરિફને...
National 
અમેરિકા હટાવશે 25 ટકા ટેરિફ, સરકારના મોટા અધિકારીનો દાવો; જાણો શું બોલ્યા

આર્મીનો યુનિફોર્મ પહેરી 3 લૂંટારું SBIમાં આવ્યા 20 કિલો સોનું ઉડાવી ગયા

કર્ણાટકના વિજયપુરા જિલ્લાના ચાદચાનમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ આવેલી છે. મંગળવારે સાંજે સ્ટેટ બેંકની શાખામાં 3 માસ્ક ધારી આર્મીનો...
National 
આર્મીનો યુનિફોર્મ પહેરી 3 લૂંટારું SBIમાં આવ્યા 20 કિલો સોનું ઉડાવી ગયા

સોનાના ભાવમાં ઉછાળો... શું શેરબજારમાં કડાકો બોલવાની શક્યતા છે? 'નિક્સન શોક' જેવી આપત્તિ આવવાના સંકેતો

હમણાના કેટલાક સમયમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે એવી અટકળો થઈ રહી છે કે, ...
Business 
સોનાના ભાવમાં ઉછાળો... શું શેરબજારમાં કડાકો બોલવાની શક્યતા છે? 'નિક્સન શોક' જેવી આપત્તિ આવવાના સંકેતો

એવું શું છે અદાણી અંગેના 138 વીડિયોમાં કે રવિશ કુમાર, ધ્રૂવ રાઠી બધાને સરકારે ડિલીટ કરવા કહી દીધું

કેન્દ્ર સરકારના ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટીંગ ડિપાર્ટમેન્ટ બે મીડિયા સંસ્થા અને અનેક યુટ્યુબર્સને નોટીસ મોકલીને અદાણી ગ્રુપ સબંધિત 138 વીડિયો અને ...
National 
એવું શું છે અદાણી અંગેના 138 વીડિયોમાં કે રવિશ કુમાર, ધ્રૂવ રાઠી બધાને સરકારે ડિલીટ કરવા કહી દીધું

Opinion

એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે એ વાત સાચી છે કે... વનતારા વન્યજીવન સંરક્ષણ માટે નિઃસ્વાર્થ કઠોર મહેનત કરે છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના જામનગરમાં વસતું વનતારા એક અદ્ભુત અને પ્રેરણાદાયી સેવાકીય પ્રકલ્પ છે જે અંબાણી પરિવારની નિઃસ્વાર્થ મહેનત અને વિઝનનું...
સુરતની સચિન GIDCના ઉદ્યોગકારોને બ્લેકમેલિંગ, લાઇઝનિંગ અને લાંચખોરીથી કોણ બચાવશે?
વેસુ કેનાલ વોકવે ખાઉધરાગલીમાં પરિવર્તિત થઈ રહ્યો છે: શું આરોગ્યની ભેટ હવે વેપારીકરણનું માધ્યમ બની રહી છે?
GIDCના લાંચીયા અધિકારીઓથી સમગ્ર ગુજરાતના ઉદ્યોગકારો ત્રાહિમામ
શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.