પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ને પોતાના નિર્ણય બાબતે જાણ કરી દીધી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સાથેના તાજેતરના તણાવ બાદ આ નિર્ણય લીધો છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, ભારતીય ટીમ આગામી મહિને શ્રીલંકામાં આયોજિત થનાર મહિલા ઇમર્જિંગ ટીમ એશિયા કપ અને સપ્ટેમ્બરમાં થનારા પુરુષ એશિયા કપ ટૂર્નામેન્ટનો હિસ્સો નહીં રહે.

BCCI
cricketaddictor.com

 

હાલમાં, પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી, ACCની કમાન સંભાળી રહ્યા છે. મોહસીન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ પણ છે. BCCIનો આ નિર્ણય પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને અલગ-થલગ પાડવાના પ્રયાસનો એક હિસ્સો છે. BCCI સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, ભારતીય ટીમ કોઈ પણ એવા ટૂર્નામેન્ટનો હિસ્સો નહીં હોય, જેના આયોજનની જવાબદારી ACCની છે. આ દેશની ભાવના છે. અમે ACCને આગામી મહિલા ઇમર્જિંગ ટીમ એશિયા કપમાંથી હટવા બાબતે મૌખિક જાણ કરી દીધી છે. અને ભવિષ્યમાં તેના કોઈપણ આયોજનમાં ભાગીદારી કરવામાં નહીં આવે. અમે આ મુદ્દા પર સતત ભારત સરકારના સંપર્કમાં છીએ.

BCCIના આ નિર્ણય બાદ સપ્ટેમ્બરમાં ભારતમાં આયોજિત થનારા એશિયા કપ પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા થઇ ગયા છે. આ ઇવેન્ટમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકાની ટીમો હિસ્સો બનવાની હતી. બોર્ડના નજીકના જાણકારોએ જણાવ્યું હતું કે, BCCI ખબર છે કે ભારત વિના એશિયા કપનું આયોજન સંભાવ નથી કેમ કે, ઇવેન્ટના મોટાભાગના પ્રાયોજકો ભારતથી છે. આ ઉપરાંત, ભારત-પાકિસ્તાન વચ્ચે થનારી મેચ વિના તેના આયોજનમાં બ્રોડકાસ્ટર્સને પણ કોઈ રસ નહીં હોય.

Asia Cup
siasat.com

 

વર્ષ 2024માં, સોની પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયા (ESPNI)170 મિલિયન અમેરિકન ડૉલરમાં એશિયા કપના આગામી 8 વર્ષના બ્રોડકસ્ટિંગ અધિકારો હાંસલ કર્યા હતા. જો ટૂર્નામેન્ટની આ સીઝન નહીં થાય તો ફરીથી આ ડીલ પર કામ કરવું પડશે. ACCના 5 ફુલ ટાઈમ મેમ્બર્સ- ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાનને બ્રોડકસ્ટિંગ રેવન્યૂનો 15-15 ટકા મળે છે. જ્યારે બાકીના પૈસા એસોસિએટ અને એફિલિએટ દેશોને મળે છે.

About The Author

Related Posts

Top News

36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. 'Gen-Z' આંદોલન બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં કાઠમંડુ મહાનગરના પૂર્વ મેયર...
World 
36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક ખૂબ જ નિરાશ...
Sports 
સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ગરમીનું જોર વધવાની સાથે જ હવામાન...
Gujarat 
ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

ગુજરાતના સુરત શહેરમાંથી ખાદ્ય સુરક્ષાને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત ખાદ્ય સુરક્ષા વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન...
Gujarat 
સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.