શું વિરાટ-રોહિત રિટાયરમેન્ટ લઈ લેવાના છે? રાજીવ શુકલાએ આપ્યો જવાબ

T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ અચાનક એક એવો નિર્ણય લીધો જેની કોઈ ક્રિકેટ ફેને અપેક્ષા રાખી નહોતી. વર્લ્ડ કપ ટ્રોફી ઉઠાવવા સાથે જ, રોહિત અને વિરાટે T20 ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. ત્યારબાદ ભારતીય ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હાર્યા બાદ, રોહિત શર્માએ 7 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઈ લીધો હતો. તો 5 દિવસ બાદ 12 મેના રોજ વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી હતી.

Virat-rohit
livemint.com

વિરાટ કોહલી અને રોહિત શર્મા આ બંને ખેલાડીઓની વન-ડેમાંથી સંન્યાસની અટકળો પણ લગાવવામાં આવી રહી છે. તેને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ બધું સ્પષ્ટ કહી દીધું છે. આ સાથે જ તેમણે વિરાટ અને રોહિતને ક્રિકેટમાંથી ફેરવેલ મળવાને લઈને પણ વાત કરી છે.

UP T20 લીગની યુટ્યુબ ચેનલ પર રાજીવ શુક્લા સાથેની પોડકાસ્ટ શેર કરવામાં આવી છે. તેમાં BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાને પૂછવામાં આવ્યું હતું કે શું રોહિત શર્મા અને વિરાટ કોહલીને સચિન તેંદુલકર જેવી વિદાય મળશે? આ સવાલના જવાબમાં રાજીવ શુક્લાએ કહ્યું હતું કે, તેઓ ક્યારે રિટાયર થયા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને અત્યારે પણ વન-ડે રમી રહ્યા છે. રાજીવ શુક્લાએ વધુમાં કહ્યું કે, ‘BCCIની એક પોલિસી ખૂબ જ સ્પષ્ટ છે, અમે કોઈપણ ખેલાડીને કહેતા નથી કે રિટાયર થઈ જાવ, ખેલાડીએ પોતાનો નિર્ણય જાતે લેવાનો હોય છે અને તે જે પણ નિર્ણય લે છે, અમે તેનું સન્માન કરીએ છીએ.’

rajiv-shukla1
financialexpress.com

રાજીવ શુક્લાને કહેવામાં આવ્યું હતું કે જ્યારે પણ રોહિત અને વિરાટ સંન્યાસ લે, ત્યારે BCCI તેમને સારી ફેરવેલ આપે. તેના પર રાજીવ શુક્લાએ કહ્યું કે, ‘પુલ આવશે, પછી જ કહીશું ને કે કેવી રીતે ક્રોસ કરવાનું છે. વિરાટ ખૂબ જ ફિટ છે, રોહિત ખૂબ સારું રમે છે, તમે લોકો અત્યારથી ફેરવેલ માટે કેમ પરેશાન થઈ રહ્યા છો.’ રાજીવ શુક્લાએ પોતાની વાતથી સ્પષ્ટ કરી દીધું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી હાલમાં વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહ્યા નથી.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.