શું વિરાટ-રોહિત રિટાયરમેન્ટ લઈ લેવાના છે? રાજીવ શુકલાએ આપ્યો જવાબ

T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ અચાનક એક એવો નિર્ણય લીધો જેની કોઈ ક્રિકેટ ફેને અપેક્ષા રાખી નહોતી. વર્લ્ડ કપ ટ્રોફી ઉઠાવવા સાથે જ, રોહિત અને વિરાટે T20 ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. ત્યારબાદ ભારતીય ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હાર્યા બાદ, રોહિત શર્માએ 7 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઈ લીધો હતો. તો 5 દિવસ બાદ 12 મેના રોજ વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી હતી.

Virat-rohit
livemint.com

વિરાટ કોહલી અને રોહિત શર્મા આ બંને ખેલાડીઓની વન-ડેમાંથી સંન્યાસની અટકળો પણ લગાવવામાં આવી રહી છે. તેને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ બધું સ્પષ્ટ કહી દીધું છે. આ સાથે જ તેમણે વિરાટ અને રોહિતને ક્રિકેટમાંથી ફેરવેલ મળવાને લઈને પણ વાત કરી છે.

UP T20 લીગની યુટ્યુબ ચેનલ પર રાજીવ શુક્લા સાથેની પોડકાસ્ટ શેર કરવામાં આવી છે. તેમાં BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાને પૂછવામાં આવ્યું હતું કે શું રોહિત શર્મા અને વિરાટ કોહલીને સચિન તેંદુલકર જેવી વિદાય મળશે? આ સવાલના જવાબમાં રાજીવ શુક્લાએ કહ્યું હતું કે, તેઓ ક્યારે રિટાયર થયા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને અત્યારે પણ વન-ડે રમી રહ્યા છે. રાજીવ શુક્લાએ વધુમાં કહ્યું કે, ‘BCCIની એક પોલિસી ખૂબ જ સ્પષ્ટ છે, અમે કોઈપણ ખેલાડીને કહેતા નથી કે રિટાયર થઈ જાવ, ખેલાડીએ પોતાનો નિર્ણય જાતે લેવાનો હોય છે અને તે જે પણ નિર્ણય લે છે, અમે તેનું સન્માન કરીએ છીએ.’

rajiv-shukla1
financialexpress.com

રાજીવ શુક્લાને કહેવામાં આવ્યું હતું કે જ્યારે પણ રોહિત અને વિરાટ સંન્યાસ લે, ત્યારે BCCI તેમને સારી ફેરવેલ આપે. તેના પર રાજીવ શુક્લાએ કહ્યું કે, ‘પુલ આવશે, પછી જ કહીશું ને કે કેવી રીતે ક્રોસ કરવાનું છે. વિરાટ ખૂબ જ ફિટ છે, રોહિત ખૂબ સારું રમે છે, તમે લોકો અત્યારથી ફેરવેલ માટે કેમ પરેશાન થઈ રહ્યા છો.’ રાજીવ શુક્લાએ પોતાની વાતથી સ્પષ્ટ કરી દીધું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી હાલમાં વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહ્યા નથી.

About The Author

Top News

આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

નિઃસંતાન યુગલો માટે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેકનોલોજીનો ઉપયોગ હવે સામાન્ય થઇ ગયો છે, પરંતુ હવે તેનો ઉપયોગ દુર્લભ...
National 
આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

અમેરિકા વિદેશી નાગરિકો અંગે અભૂતપૂર્વ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે 200,000 થી વધુ વિદેશી નાગરિકોના બિઝનેસ...
World 
અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના સેંધવામાં આવેલી એકલવ્ય આદર્શ રહેણાંક શાળા (જામલી)ના સેંકડો વિદ્યાર્થીઓએ તેમની ગંભીર સમસ્યાઓ સામે બળવો પોકાર્યો છે. શાળામાં...
Education 
'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાન અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સૂચનાઓ બહાર પાડી છે. કોર્ટે જણાવ્યું હતું...
National 
બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.