ઓલિમ્પિકમાં હાર,હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં જીત, વિનેશ ફોગાટ ફરી રિંગમાં ઉતરશે

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચી ગયા હતા. તેમનું ઓછામાં ઓછું સિલ્વર મેડલ ફિક્સ થઈ ગયું હતું. તેમણે વિશ્વની નંબર-1 કુસ્તીબાજને પણ હરાવી દીધી હતી. જોકે, ફાઇનલ પહેલા તેમનું વજન વધારે હોવાનું જાણવા મળતા ભારે હોબાળો મચી ગયો હતો. ભારતે ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ વિનેશને ડિસ્ક્વાલિફાઇ કરી દેવામાં આવ્યા હતા. મેડલ જીતવાના તેમના સપના પર પાણી ફરી વળ્યું હતુમ. ત્યારબાદ વિનેશે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો. ભારત પરત ફર્યા બાદ તેઓ રાજનીતીમાં આવી ગયા અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા. તેમણે હરિયાણાના જુલાનાથી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના યોગેશ કુમારને 6000 મતોથી હરાવીને જીત હાંસલ કરી.

vinesh-phogat2
hindustantimes.com

હવે વિનેશ ફોગાટે કુસ્તીબાજીમાં પાછા ફરવાનો નિર્ણય લીધો છે. તેઓ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ભાગ લેવા માગે છે. વિનેશે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આની જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે, ‘લોકો પૂછતા રહ્યા કે શું પેરિસ અંત હતો. લાંબા સમય સુધી, મારી પાસે તેનો કોઈ જવાબ નહોતો. મારે મેટથી, પ્રેશરથી, અપેક્ષાઓથી અહીં સુધી કે પોતાના સપનાથી દૂર જવાની જરૂરિયાત હતી. વર્ષોમાં પહેલી વાર, મેં મારી જાતને શ્વાસ લેવા દીધી. મેં મારી સફરના ભારને સમજવા માટે સમય લીધો- ઉતાર-ચઢાવ, દિલ તૂટવું, ત્યાગ, મારા તે રૂપ જે દુનિયાએ ક્યારેય જોયા નથી. અને તે વિચારમાં ક્યાંક, મને સત્ય મળ્યું: મને હજુ પણ આ રમત પસંદ છે. હું અત્યારે પણ મુકાબલો કરવા માંગુ છું.

તેમણે વધુમાં લખ્યું કે, ‘આ મૌનમાં મને કંઈક એવું મળ્યું જે હું ભૂલી ગઈ હતી: આગ ક્યારેય ખતમ થતી નથી. તે માત્ર થાક અને અવાજો નીચે દબાઈ ગયું હતું. ડિસિપ્લિન, રૂટિન, લડાઈ... આ બધું મારા સિસ્ટમમાં છે. હું ગમે તેટલી દૂર જતી રહું, મારો એક ભાગ મેટ પર જ રહ્યો. તો હું અહીં છું, LA28 તરફ એક એવા દિલ સાથે ફરીથી પગલાં વધારી રહી છું, જે નીડર છે અને એક એવી ભાવના, જે ઝૂકવાનો ઇનકાર કરે છે અને આ વખતે હું એકલી ચાલી રહી નથી; મારો પુત્ર મારી ટીમ, મારી સૌથી મોટી પ્રેરણા, LA ઓલિમ્પિક્સના આ માર્ગ પર મારો નાનો ચીયરલીડર સાથે સામેલ થઇ રહ્યો છે.

About The Author

Related Posts

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.