સંન્યાસ લીધા બાદ ચેતેશ્વર પૂજરાએ માગી માફી, વીડિયો જાહેર કરીને બતાવ્યું કારણ...

ભારતીય ટીમની દિવાલ તરીકે જાણીતા ચેતેશ્વર પૂજારાએ રવિવારે ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. પૂજારાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે તે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છે. પૂજારા લાંબા સમયથી ભરતે ટીમની બહાર હતો. સંન્યાસ લીધા બાદ, પૂજારાએ મંગળવારે એક વીડિયો જાહેર કરીને માફી માગી છે.

Pujara1
indiatoday.in

પૂજારાએ ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ-2023ની ફાઇનલમાં ભારત માટે તેની છેલ્લી મેચ રમી હતી. ત્યારબાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને તે ફરી પાછો ન ફર્યો. તેણે વાપસી માટે ખૂબ પ્રયાસ કર્યો, જે બધા વ્યર્થ ગયા. તાજેતરમાં દુલીપ ટ્રોફી માટે પૂજારાની પશ્ચિમ ઝોન ટીમમાં પસંદગી કરવામાં આવી નહોતી.

પુજારાએ મંગળવારે તેના X હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે અને માફી માગી છે. પૂજારાએ એ લોકો પાસે માફી માગી છે જેમણે તેને ખાનગીમાં મેસેજ કર્યો હતો, પરંતુ તે એ મેસેજનો જવાબ આપી શક્યો નથી. પૂજારાએ વીડિયોમાં કહ્યું- ‘હેલ્લો એવરિવન. હું તમારા બધાનો આભાર માનું છું કે તમે બધાએ તમારી શુભેચ્છાઓ અને વિનમ્ર શબ્દો માટે તમારા બધાનો આભાર માનવા માગું છું. છેલ્લા કેટલાક દિવસોમાં, તમારામાંથી ઘણા લોકોએ મારો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, જેનાથી મને ખૂબ આનંદ થયો. મેં શક્ય તેટલા મેસેજોનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ જો હું કોઈને જવાબ ન આપી શક્યો હોઉ, તો હું માફી માગુ છું.

Pujara
news18.com

પૂજારાએ કહ્યું છે કે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવું તેમના માટે ખૂબ સારું રહ્યું છે અને તે ભવિષ્યમાં પણ ભારતીય ક્રિકેટને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેશે. મારા દેશનું ઉચ્ચ સ્તર પર પ્રતિનિધિત્વ કરવું મારા માટે સન્માનની વાત રહી છે. હું ભવિષ્યમાં પણ ભારતીય ક્રિકેટને કોઈપણ રીતે મદદ કરવા તૈયાર છું. તમારા બધાના પ્રેમ અને સમર્થન માટે હું આભારી છું. ખૂબ ખૂબ આભાર.

About The Author

Related Posts

Top News

'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

બોલિવૂડના ઉભરતા સ્ટાર ગણાતા રણવીર સિંહ સામે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)એ એક મોટો નિર્ણય લીધો...
Entertainment 
'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

થાઈલેન્ડની મુલાકાત લેવાનું વિચારી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે ખરાબ સમાચાર છે. થાઈ સરકારે ભારતીયો માટે 60 દિવસની વીઝા-મુક્ત પ્રવેશ યોજના...
World 
થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

સોમવારે સુપ્રીમ કોર્ટે ટ્વિશા શર્માના મૃત્યુના કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે મીડિયાને પણ આ મામલે સંયમ રાખવાની અપીલ કરી હતી. ...
National 
કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...

મુરાદાબાદમાં બનેલી એક ભયાનક ઘટનાએ સંબંધો, વિશ્વાસ અને પરિવારની વ્યાખ્યાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. 6 વર્ષ અગાઉ જે...
National 
ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.