સંન્યાસ લીધા બાદ ચેતેશ્વર પૂજરાએ માગી માફી, વીડિયો જાહેર કરીને બતાવ્યું કારણ...

ભારતીય ટીમની દિવાલ તરીકે જાણીતા ચેતેશ્વર પૂજારાએ રવિવારે ક્રિકેટને અલવિદા કહી દીધી હતી. પૂજારાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે તે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છે. પૂજારા લાંબા સમયથી ભરતે ટીમની બહાર હતો. સંન્યાસ લીધા બાદ, પૂજારાએ મંગળવારે એક વીડિયો જાહેર કરીને માફી માગી છે.

Pujara1
indiatoday.in

પૂજારાએ ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ-2023ની ફાઇનલમાં ભારત માટે તેની છેલ્લી મેચ રમી હતી. ત્યારબાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને તે ફરી પાછો ન ફર્યો. તેણે વાપસી માટે ખૂબ પ્રયાસ કર્યો, જે બધા વ્યર્થ ગયા. તાજેતરમાં દુલીપ ટ્રોફી માટે પૂજારાની પશ્ચિમ ઝોન ટીમમાં પસંદગી કરવામાં આવી નહોતી.

પુજારાએ મંગળવારે તેના X હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે અને માફી માગી છે. પૂજારાએ એ લોકો પાસે માફી માગી છે જેમણે તેને ખાનગીમાં મેસેજ કર્યો હતો, પરંતુ તે એ મેસેજનો જવાબ આપી શક્યો નથી. પૂજારાએ વીડિયોમાં કહ્યું- ‘હેલ્લો એવરિવન. હું તમારા બધાનો આભાર માનું છું કે તમે બધાએ તમારી શુભેચ્છાઓ અને વિનમ્ર શબ્દો માટે તમારા બધાનો આભાર માનવા માગું છું. છેલ્લા કેટલાક દિવસોમાં, તમારામાંથી ઘણા લોકોએ મારો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, જેનાથી મને ખૂબ આનંદ થયો. મેં શક્ય તેટલા મેસેજોનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ જો હું કોઈને જવાબ ન આપી શક્યો હોઉ, તો હું માફી માગુ છું.

Pujara
news18.com

પૂજારાએ કહ્યું છે કે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવું તેમના માટે ખૂબ સારું રહ્યું છે અને તે ભવિષ્યમાં પણ ભારતીય ક્રિકેટને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેશે. મારા દેશનું ઉચ્ચ સ્તર પર પ્રતિનિધિત્વ કરવું મારા માટે સન્માનની વાત રહી છે. હું ભવિષ્યમાં પણ ભારતીય ક્રિકેટને કોઈપણ રીતે મદદ કરવા તૈયાર છું. તમારા બધાના પ્રેમ અને સમર્થન માટે હું આભારી છું. ખૂબ ખૂબ આભાર.

About The Author

Related Posts

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.